ભરૂચ: વકફ કાયદો અને UCCનો મુસ્લિમ સમાજ દ્વારા વિરોધ, કતોપોર બજારમાં સ્વંય ભૂ બંધનો માહોલ !

મુસ્લિમ સમાજ દ્વારા ધારણા પ્રદર્શનનો કાર્યક્રમ યોજાયોજેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો જોડાયા અને વકફ કાયદા તેમજ યુનિફોર્મ સિવિલ કોડને રદ કરવાની માંગ કરવામાં આવી

New Update
  • ભરૂચમાં યોજાયું વિરોધ પ્રદર્શન

  • મુસ્લિમ સમાજ દ્વારા કરાયો વિરોધ

  • વકફ કાયદો અને UCCનો વિરોધ

  • ધરણા પ્રદર્શનમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા

  • કતોપોર બજાર બંધ રહ્યું 

ભરૂચમાં કેન્દ્ર સરકારના વકફ કાયદા અને યુનિફોર્મ સિવિલ કોડનો મુસ્લિમ સમાજ દ્વારા ભારે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. મુસ્લિમ સમાજ દ્વારા ધારણા પ્રદર્શન યોજાયું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા
કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં બનાવાયેલ વકફ કાયદાનો પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં વિરોધ થઈ રહ્યો છે તો સાથે જ ગુજરાત સરકારના સૂચિત યુનિફોર્મ સિવિલ કોડને લઈને પણ વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે ત્યારે ભરૂચમાં ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના માર્ગદર્શન હેઠળ સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું.
મુસ્લિમ સમાજ દ્વારા ધારણા પ્રદર્શનનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો જોડાયા હતા અને વકફ કાયદા તેમજ યુનિફોર્મ સિવિલ કોડને રદ કરવાની માંગ કરવામાં આવી હતી.
મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા કે કેન્દ્ર સરકારના બંને કાયદાઓ ધર્મ સ્વતંત્રતા છીનવે છે જે ભારતના બંધારણની વિરુદ્ધ છે.મુસ્લિમ સમાજના વિરોધ પ્રદર્શનના પગલે કતોપોર બજાર બંધ નજરે પડ્યું હતું બજારના વેપારીઓ ધરણા પ્રદર્શનમાં જોડાતા બજારે જાણે સજ્જડ બંધ પાડ્યું હોય એવા દ્રશ્યો જોવા મળ્યા હતા.
Read the Next Article

ભરૂચ: રથયાત્રાના પર્વને અનુલક્ષી પોલીસ દ્વારા ફ્લેગમાર્ચનું આયોજન કરાયુ

ભરૂચમાં અષાઢી બીજ ના રોજ નીકળનાર ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને પોલીસ વિભાગ એક્શનમાં આવ્યુ છે.જેના ભાગરૂપે ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું

New Update

ભરૂચમાં નિકળશે ભગવાન જગન્નાથની રથયાત્રા

અષાઢી બીજના રોજ રથયાત્રાનું આયોજન

પોલીસ દ્વારા ચાપતો બંદોબસ્ત ગોઠવાશે

એ અને બી ડિવિઝન પોલીસ દ્વારા ફ્લેગમાર્ચ યોજાય

ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ જોડાયા

ભરૂચમાં અષાઢી બીજ ના રોજ નીકળનાર ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને પોલીસ વિભાગ એક્શનમાં આવ્યુ છે.જેના ભાગરૂપે ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું
ભરૂચમાં અષાઢી બીજ નિમિત્તે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળશે ત્યારે રથયાત્રાના ઉત્સવ પ્રસંગે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્રએ કમરકસી છે. જેના ભાગરૂપે ભરૂચ શહેર એ અને બી ડિવિઝન પોલીસ દ્વારા ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફ્લેગમાર્ચ શહેરના ફુરજા વિસ્તારમાં આવેલ જગન્નાથ મંદિરેથી નીકળી રવિવારી બજાર, સોની ફળિયુ, લાલ બજાર, લલ્લુભાઈ ચકલાથી હાથીખાના બજાર થઈ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પહોંચી હતી જેમાં મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ જોડાયા હતા. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પણ હાજરી આપી શહેરીજનોને સુરક્ષા અને શાંતિનો અનુભવ કરાવ્યો હતો.