ભરૂચ: 10 વર્ષની બાળકી સાથે નરાધમે વિકૃતિની તમામ હદ વટાવી,જુઓ પોલીસ તપાસમાં શું થયા ચોંકાવનારા ખુલાસા

ભરૂચની ઝઘડિયા જીઆઇડીસી વિસ્તારમાં 10 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મના મામલામાં આરોપી વિજય પાસવાને વિકૃતિની તમામ હદ વટાવી હોવાનું બહાર આવ્યું છે.

New Update
  • ભરૂચની ઝઘડિયા જીઆઇડીસીનો ચકચારી બનાવ

  • 10 વર્ષની બાળકી સાથે આચરાયું હતું દુષ્કર્મ

  • પોલીસ તપાસમાં થયા ચોંકાવનારો ખુલાસો

  • બાળકી સાથે અગાઉ પણ આચરાયું હતું દુષ્કર્મ

  • નરાધમે બાળકીના ગુપ્ત ભાગમાં લોખંડનો સળિયો પણ નાખ્યો

ભરૂચની ઝઘડિયા જીઆઇડીસી વિસ્તારમાં 10 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મના મામલામાં આરોપી વિજય પાસવાને વિકૃતિની તમામ હદ વટાવી હોવાનું બહાર આવ્યું છે.
ભરૂચની ઝઘડિયા જીઆઇડીસી વિસ્તારમાં શ્રમજીવી પરિવારની 10 વર્ષની બાળકી તેના પડાવ નજીક લાકડા વીણવા ગઈ હતી. 10-15 મિનિટ બાદ બાળકીની માતાને દીકરીની મદદ માટે બૂમો સંભળાઈ હતી. માતા અવાજની દિશામાં પહોંચી ત્યારે લોહીથી લથબથ હાલતમાં કણસતી દીકરી નજરે પડી હતી. બાળકીને તાત્કાલિક અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખસેડાઇ હતી જ્યાંથી વધુ સારવાર અર્થે વડોદરાની એસ.એસ.જી.હોસ્પિટલ ખસેડવામાં આવી છે.
પોલીસે બળાત્કારનો ગુનો નોંધી DYSP અંકલેશ્વરના માર્ગદર્શન હેઠળ 6 ટુકડીઓ તૈયાર કરી હવસખોર વિજયકુમાર પાસવાન ગુનાને અંજામ આપી તેના વતન ઝારખંડ ભાગી જાય તે પહેલા જ તેને ઝડપી પાડ્યો હતો.જે આરોપીની પુછપરછમાં તેણે વિકૃતિની તમામ હદ વટાવી હોવાનું બહાર આવ્યું છે.આરોપીએ બાળકી પર દુષ્કર્મ સાથે ગુપ્તાંગમાં લોખંડનો સળિયો નાખતા ગંભીર ઇજા પહોંચી હતી આથી તેની 2 સર્જરી કરવામાં આવી છે.
પોલીસ તપાસમાં વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે જેમાં અગાઉ પણ આ જ બાળકી સાથે નરાધમે દુષ્કર્મ આચર્યું હોવાનો ઘટસ્ફોટ થયો છે. ચકચારી કેસ માટે પોલીસ દ્વારા સ્પેશ્યલ ટીમ બનાવવામાં આવી છે જેનું સુપર વિઝન અંકલેશ્વર વિભાગીય પોલીસ વડા ડો.કુશલ ઓઝા કરી રહ્યા છે તો બીજી તરફ ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ અને SOGની ટીમ ફોરેન્સિક પુરાવા એકત્રિત કરવા કામે લાગી છે.પોલીસ દ્વારા આરોપી સામે પૂરતા સમયમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવશે સાથે સ્પેશ્યલ  પ્રોસિક્યુટરની પણ માંગ કરાશે.બાળકીના પરિવારને યોગ્ય વળતર મળે તે માટે પણ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આ તરફ આરોપીને આજરોજ કોર્ટમાં રજૂ કરી પોલીસ દ્વારા 14 દિવસના રિમાન્ડની માંગણી કરાશે.
Read the Next Article

અંકલેશ્વર: ખરોડ ગામે યુવાનની હત્યા કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, અગાઉ થયેલ માથાકૂટની રીસ રાખી હત્યા કરાય

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

અંકલેશ્વરના ખરોડમાં મળી આવ્યો હતો મૃતદેહ

હત્યા થઈ હોવાનું આવ્યું બહાર

પોલીસે હત્યારાની કરી ધરપડક

અગાઉના ઝઘડાની રીસ રાખી કરાય હત્યા

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી


અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાં આવેલ બાકરોલ વગામાં ખેતરના શેઢા ઉપર અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો.આ બાબતે પાનોલી પોલીસે ગુનો નોંધી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી.આ તરફ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી દરમ્યામ પોલીસને બાતમી મળી હતી કે આ ગુનામાં  અક્કલકુવાનો શંકર મોવરીયા વસાવા નામનો ઈસમ સંડોવાયો છે જે અંકલેશ્વર તથા પાનોલી વિસ્તારમા છુટક મજુરી કરે છે.પોલીસે હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે આરોપીની ખરોડ નજીકથી ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ મામલામાં મરણ જનાર ઇસમે થોડા દિવસ અગાઉ મારમારી 1500 રૂપિયા લૂંટી લીધા હતા જેની રીસ રાખી આરોપી શંકર વસાવાએ મૃતકને શોધી તેને મજૂરી કામ અપાવવાના બહાને ખરોડ ગામની સીમમાં લઈ ગયો હતો અને ત્યાં પથ્થરના ઘા મારી હત્યા કર્યા બાદ તેના વતન ફરાર થઇ ગયો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.