ભરૂચ: પાટા પરથી ટ્રેનના ડબ્બા ખડી પડતા NDRF કામે લાગી, અંતે મોકડ્રિલ જાહેર કરાય

ભરૂચ રેલવેમાં પાટા પરથી ટ્રેનના ડબ્બા ખડી પડતા NDRFની ટીમ રાહત અને બચાવ કામગીરી માટે દોડી આવી હતી જો કે બાદમાં આ મોકડ્રિલ જાહેર થતા સૌ કોઈ રાહતનો શ્વાસ લીધો હતો

New Update

ભરૂચ રેલવેમાં ટ્રેનના ડબ્બા પાટા પરથી ખડી પડ્યા!

Advertisment

5 મુસાફરોને પહોંચી ઇજા

એન.ડી.આર.એફ.ની ટીમ કામે લાગી

અંતે મોકડ્રિલ જાહેર કરાય

ફાયર વિભાગ અને આરોગ્ય વિભાગ પણ જોડાયું

ભરૂચ રેલવેમાં પાટા પરથી ટ્રેનના ડબ્બા ખડી પડતા NDRFની ટીમ રાહત અને બચાવ કામગીરી માટે દોડી આવી હતી જો કે બાદમાં આ મોકડ્રિલ જાહેર થતા સૌ કોઈ રાહતનો શ્વાસ લીધો હતો
Advertisment
ભરૂચ રેલવે યાર્ડમાં આજરોજ સવારના સમયે પાટા પરથી ટ્રેનના ડબ્બા ખડી પડતા દોડધામ મચી જવા પામી હતી બનાવને જાણ સત્તાની સાથે જ એનડીઆરએફની ટીમ રાહત અને બચાવ કામગીરી માટે દોડી આવી હતી આ ઘટનામાં પાંચ ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જોકે અંતે આ ઘટનાને મોકડ્રિલ જાહેર કરવામાં આવી હતી.રેલવેમાં પાટા પરથી ટ્રેન ખડી પડવાની અનેક ઘટનાઓ બને છે જેમાં સેંકડો લોકોને નુકસાન પહોંચે છે ત્યારે આવી દુર્ઘટનાઓમાં કરવામાં આવતી કામગીરીનું એન.ડી.આર.એફ દ્વારા. રિહર્સલ યોજાયું હતુ. ભરૂચ રેલવે યાર્ડમાં ટ્રેન પાટા પરથી ખડી પડી હોય તેવુ દ્રશ્ય ઊભું કરવામાં આવ્યું હતું અને આ સમયે કરવામાં આવતી કામગીરી રિહર્સલ કરાયું હતું. આ મોકડ્રીલમાં એન.ડી.આર.એફ., રેલવે વિભાગ, ફાયર વિભાગ તેમજ આરોગ્ય વિભાગની વિવિધ ટીમો જોડાઈ હતી આ પ્રકારની દુર્ઘટનાઓમાં એનડીઆરએફનો રિસ્પોન્સ ટાઈમ વધે તે માટે મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું
Advertisment
Read the Next Article

અંકલેશ્વર: NH 48 પર નિંદ્રા માણી રહેલ કારચાલકના રૂ.7.78 લાખના માલમત્તાની ચોરી, 4 આરોપીઓની પોલીસે કરી ધરપકડ

અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર કારપાર કરી નિંદ્રા માણી રહેલા કારચાલકના રૂપિયા 7.78 લાખના મુદ્દામાલની ચોરી કરનાર ચાર આરોપીઓને પોલીસે ઝડપી પાડી

New Update

અંકલેશ્વરમાં બન્યો હતો બનાવ

Advertisment

NH 48 પરનો બનાવ

કારચાલકના માલમત્તાની થઈ હતી ચોરી

પોલીસે 4 આરોપીઓની કરી ધરપકડ

રૂ.7.78 લાખના માલમત્તાની કરી હતી ચોરી

અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર કારપાર કરી નિંદ્રા માણી રહેલા કારચાલકના રૂપિયા 7.78 લાખના મુદ્દામાલની ચોરી કરનાર ચાર આરોપીઓને પોલીસે ઝડપી પાડી તેવો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Advertisment
 ગત 14 મી મે 2025ના રોજ નવસારીના બીલીમોરા ખાતે રહેતા અને વલસાડ સ્થિત બાલાજી વેફર્સના પ્લાન્ટમાં રહેતા સિનિયર ઓફિસર કલ્પેશ શાહ રાત્રીના ઊંઘ આવતી હોવાથી તેઓ નવજીવન હોટલ સામે સર્વિસ રોડ પર કાર પાર્ક કરી સુઈ ગયા હતા તે દરમિયાન તેમના પહેરેલા સોનાના દાગીના અને મોબાઇલ અને તેની એસેસરીઝ મળી રૂ.  7.78 લાખની ચોરી કરી અજાણ્યા ઈસમો ફરાર થઇ ગયા હતા.
આ અંગે ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ફરિયાદ નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસતા શંકાસ્પદ બાઈક ચાલક નજરે પડ્યો હતો.પોલીસે બાઈક નંબરના આધારે રોયલ રેસિડેન્સી ખાતે રહેતા ભંગારીયા અલ્તાફ ઉર્ફે મોનુ જાવેદ ખાન, સાંઈ દર્શન સોસાયટી ખાતે રહેતા ખેતલા આપા હોટલના  વિપુલ પુના ગમારા ,અંસાર માર્કેટ ખાતે રહેતા ભંગારના દલાલ નૂરઆલમ , બદરુદ્દીન મનીહાર,  અને ભંગાર વેપારીને ત્યાં ન્યુ ઇન્ડિયા માર્કેટમાં મજૂરી કામ કરતા જીકરાન ઉર્ફે જીકાન ઈમરાન કુરેશી ને ઝડપી પાડ્યા હતા અને તેમની ઉલટ તપાસ કરતા તેઓ ચોરીની કબૂલાત કરી હતી.પોલીસે ચોરીમાં ગયેલ મુદ્દામાલ મળી કુલ રૂપિયા 4.35 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Advertisment