ભરૂચ: નહેરૂ યુવા કેન્દ્ર દ્વારા નુક્કડ નાટક પ્રદર્શનનું આયોજન કરાયું

ભરૂચના નેહરુ યુવા કેન્દ્ર દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત નાટક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્લાસ્ટિકથી થતા નુકસાન અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો

New Update

ભરૂચમાં સ્વરછતા હી સેવા અભિયાનની ઉજવણી

નહેરૂ યુવા કેન્દ્ર દ્વારા આયોજન કરાયું

નુક્કડ નાટક પ્રદર્શનનું આયોજન

પ્લાસ્ટિકના નુકશાન અંગે જાગૃતિ અંગેનો પ્રયાસ

આગેવાનો રહ્યા ઉપસ્થિત

ભરૂચના નેહરુ યુવા કેન્દ્ર દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત નાટક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્લાસ્ટિકથી થતા નુકસાન અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો
સ્વચ્છતા હિ સેવા અભિયાન અંતર્ગત નેહરૂ યુવા કેન્દ્ર ભરૂચના  સ્વયંસેવકો દ્વારા ભરુચ બસ ડેપો ખાતે IEC પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં એક નુક્કડ નાટકનું પ્રદર્શન કરાયું હતું.આ નાટકનો મુખ્ય ઉદ્દેશ એક વખત વપરાતા પ્લાસ્ટિકના માળખાકીય નુકસાન અને તેના ઘટાડા અંગે જાગૃતિ લાવવાનો હતો.નુક્કડ નાટક દ્વારા સ્વયંસેવકોએ પ્લાસ્ટિકના વિપરિત અસરોને લઈને પ્રદર્શન કર્યુ હતું.નાટકમાં પ્લાસ્ટિકના ઓછા ઉપયોગ અને પર્યાવરણને અનુકૂળ વિકલ્પોની પસંદગીના મહત્વને લોકો સુધી પહોંચાડવા પ્રયત્ન કર્યો હતો.આ કાર્યક્રમમાં રાજવીરસિંહ સિંધા, શિવાની રાજ, મયૂરધ્વજસિંહ રાણા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
Read the Next Article

અંકલેશ્વરની એસ વી ઈ એમ ગુજરાતી માધ્યમ શાળામાં વિશ્વ યોગ દિનની ONE EARTH ONE HEALTH  થીમ અંતર્ગત ઉજવણી

વર્ષ 2014માં સંયુક્ત રાષ્ટ્રની બેઠકમાં આપણા ભારત દેશના પીએમ નરેન્દ્ર મોદી દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિનની ઉજવણીનો પ્રસ્તાવ મુકાયો હતો. જેનો સ્વીકાર સંયુક્ત રાષ્ટ્ર દ્વારા કરવામાં આવ્યો 

New Update
svem school ankleshwar
અંકલેશ્વર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત એસ વી ઈ એમ ગુજરાતી માધ્યમ શાળામાં તારીખ 21 જૂન 2025 ને શનિવારના રોજ પૂર્વ પ્રાથમિક તેમજ પ્રાથમિક વિભાગમાં 11માં વિશ્વ યોગ દિનની ONE EARTH ONE HEALTH  થીમ અંતર્ગત ઉજવણી કરવામાં આવી હતી.
શાળાના આચાર્ય મિલેન્દ્રસિંહ કેસરોલા તેમજ સુપરવાઇઝર મીતા રીંડાણીની અધ્યક્ષતા અને માર્ગદર્શન હેઠળ શાળાના યોગ શિક્ષિકા ભામીની ભરડીવાળાના નેતૃત્વ હેઠળ વિદ્યાર્થીઓને યોગનું મહત્વ સમજાવી વિવિધ યોગાસન,પ્રાણાયામ કરાવવામાં આવ્યા હતા.વર્ષ 2014માં સંયુક્ત રાષ્ટ્રની બેઠકમાં આપણા ભારત દેશના પીએમ નરેન્દ્ર મોદી દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિનની ઉજવણીનો પ્રસ્તાવ મુકાયો હતો.
જેનો સ્વીકાર સંયુક્ત રાષ્ટ્ર દ્વારા કરવામાં આવ્યો  હતો. આથી તારીખ 21 જૂન 2015 થી આજ દિન સુધી દર વર્ષે શાળામાં શુભાશય સાથે વિશ્વ યોગ દિનની ઉજવણી કરી યોગઃ કર્મસુ કૌશલમ્ આ વાક્યને ચરિતાર્થ કરવામાં આવ્યું હતું.સાથે વિશ્વ સંગીત દિવસની ઉજવણી પણ શાળાના સંગીત શિક્ષક કરણ ભટારા દ્વારા વિદ્યાર્થીઓને સંગીતની સમજ સાથે સુર, તાલ, લયના સથવારે રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી.