ભરૂચ: ધનતેરસના પાવન પર્વ પર મહાલક્ષ્મી માતાને અતિપ્રિય એવા કમળના પુષ્પોનું ધૂમ વેચાણ !

આજે ધનતેરસના પાવન પર્વ પર મહાલક્ષ્મી માતાજીનું પૂજન અર્જન કરવામાં આવે છે ત્યારે મહાલક્ષ્મી માતાને અતિપ્રિય એવા પુષ્પ કમળનું ભરૂચમાં ઠેર ઠેર વેચાણ થયું હતું

New Update

દિવાળીના તહેવારોનો થયો પ્રારંભ

આજે ધનતેરસના પર્વની ઉજવણી

મહાલક્ષ્મી માતાજીનું કરવામાં આવે છે પૂજન

માતાજીને અતિપ્રિય છે કમળનું પુષ્પ

ભરૂચમાં ઠેર ઠેર કમળના પુષ્પોનું વેચાણ

આજે ધનતેરસના પાવન પર્વ પર મહાલક્ષ્મી માતાજીનું પૂજન અર્જન કરવામાં આવે છે ત્યારે મહાલક્ષ્મી માતાને અતિપ્રિય એવા પુષ્પ કમળનું ભરૂચમાં ઠેર ઠેર વેચાણ થયું હતું
પ્રકાશના પર્વ દિપાવલીના તહેવારોનો પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે આજે ધનતેરસના પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. ધનતેરસના દિવસે માતા વૈભવ લક્ષ્મીનું પૂજન અર્ચન કરવામાં આવે છે. આસો માસની વદની તેરસના દિવસે ધનતેરસ ઉજવવામાં આવે છે ત્યારે ભક્તોએ શ્રદ્ધાપૂર્વક શાસ્ત્રોક્ત વિધિ અનુસાર માતાજીનું પૂજન અર્ચન કર્યું હતું.માતાજીના પૂજનમાં કમળનો ઘણો જ મહિમા રહેલો છે લક્ષ્મી માતાજીને કમળનું પુષ્પ અતિપ્રિય છે ત્યારે ભરૂચમાં ઠેર ઠેર કમળનું વેચાણ થયું હતું. ધનતેરસના રોજ પ્રદોષ કાળમાં માતા લક્ષ્મી, ધનપતિ કુબેર, ભગવાન ધન્વંતરિ અને ગણેશજી પૂજા કરવામાં આવે છે. ધનતેરસની પૂજા કરવાથી આખું વર્ષ ધન, સંપત્તિમાં વૃદ્ધિ થાય છે.
Read the Next Article

ભરૂચ: છોટુ વસાવાને 80માં જન્મદિવસે BTPના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવાયા, કહ્યું કેટલાક પરિબળોએ અમારું સંગઠન તોડવા કર્યો પ્રયાસ !

આદિવાસી મસીહા એવા ઝઘડિયા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય છોટુભાઈ વસાવાનો આજે જન્મદિવસ હતો. આદિવાસી નેતા 80 વર્ષ પૂર્ણ કરી 81 માં વર્ષમાં પ્રવેશ્યા છે.

New Update
  • ભરૂચના ઝઘડિયાના પૂર્વ ધારાસભ્ય

  • છોટુ વસાવા બન્યા બિટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ

  • 80માં જન્મદિવસે કરાય જાહેરાત

  • મહેશ વસાવાએ ટેકો જાહેર કર્યો

  • મોટી સંખ્યામાં સમર્થકો રહ્યા ઉપસ્થિત

ભરૂચના ઝઘડિયાના પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાને 80 માં જન્મદિવસે  BTPના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવતા ટેકેદારોએ આ જાહેરાતને વધાવી લીધી હતી
આદિવાસી મસીહા એવા ઝઘડિયા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય છોટુભાઈ વસાવાનો આજે જન્મદિવસ હતો. આદિવાસી નેતા 80 વર્ષ પૂર્ણ કરી 81 માં વર્ષમાં પ્રવેશ્યા છે. તેઓના જન્મદિવસે તેમને શુભેચ્છા પાઠવવા દેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય પુત્ર મહેશ વસાવા, દિલીપ વસાવા, કિશોર વસાવા સાથે અન્ય આગેવાનો પણ ઉમટી પડ્યા હતા.વાલિયા તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ રાજુભાઇ વસાવા, રજની વસાવા, વિજય વસાવા સહિતના આગેવાનો તેમજ સમર્થકોની હાજરીમાં છોટુ વસાવાના જન્મદિવસની ઉજવણી કરી તેઓને શુભકામનાઓ પાઠવાઈ હતી.
પૂર્વ ધારાસભ્યના જન્મદિવસે જ તેઓને BTP ના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા.તાજેતરમાં જ ભાજપ સાથે મોહભંગ થતા રાજીનામુ આપનાર તેમના પુત્ર મહેશ વસાવાએ આ જાહેરાતને ટેકો જાહેર કર્યો હતો. આ અંગે છોટુ વસાવાએ જણાવ્યું હતું કે કેટલાક પરિબળોએ અમારું સંગઠન તોડવા પ્રયાસ કર્યા હતા પરંતુ હવે અમે એક થઈ લડીશું