ભરૂચ: વિજયાદશમીના પાવન અવસરે પોલીસ વિભાગે કર્યું શસ્ત્રોનું પૂજન,SP અક્ષયરાજ મકવાણા રહ્યા ઉપસ્થિત

આજરોજ વિજયાદશમીના પાવન પર્વ નિમિત્તે ભરૂચ જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે શસ્ત્રપૂજાનું આયોજન કરવામાં આવ્યુ હતુ

author-image
By Connect Gujarat Desk
New Update
  • આજરોજ વિજયા દશમીનું પર્વ

  • પોલીસ વિભાગ દ્વારા શસ્ત્રપૂજાનું કરવામાં આવ્યું આયોજન

  • શસ્ત્રો અને અશ્વોનું પૂજન કરાયુ

  • શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજન અર્ચન કરાયુ

  • SP અક્ષયરાજ મકવાણા રહ્યા ઉપસ્થિત

આજરોજ વિજયાદશમીના પાવન પર્વ નિમિત્તે ભરૂચ જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે શસ્ત્રપૂજાનું આયોજન કરવામાં આવ્યુ હતુ
આજરોજ વિજયાદશમીના પાવન અવસરે ભરૂચ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા ઠેર ઠેર શસ્ત્રોનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું ત્યારે ભરૂચ પોલીસ હેડક્વાર્ટર ખાતે જિલ્લા પોલીસવડા અક્ષયરાજ મકવાણાએ શસ્ત્ર પૂજન કરી જિલ્લાવાસીઓને દશેરા પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી.સનાતન પરંપરામાં વિજયાદશમી અથવા દશેરાનું ધાર્મિક મહત્વ ઘણું છે. અસત્ય પર સત્યની જીત સાથે જોડાયેલા આ તહેવાર પર ભગવાન રામની પૂજા સાથે શસ્ત્રોની પૂજા કરવાનો પણ અનેરો મહિમા છે.
પ્રાચીન કાળથી રાજાઓ અને સમ્રાટો દ્વારા થતી શસ્ત્ર પૂજા કરવાની પરંપરા આજ દિન સુધી ચાલી આવી છે ત્યારે ભરૂચ હેડક્વાર્ટર ખાતે પોલીસ વિભાગ દ્વારા વિવિધ શસ્ત્ર સહિત પોલીસ કાફલામાં સામેલ અસ્વ અને શ્વાનની પણ પૂજા કરવામાં આવી હતી.આ પ્રસંગે એ.એસ.પી.અજયકુમાર મીણા, ડી.વાય.એસ.પી.પી.એલ ચૌધરી,ડો.કુશલ ઓઝા, સી.કે.પટેલ તેમજ પોલીસ ઇન્સ્પેકટર સહિતના અધિકારીઓ તેમજ પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે જિલ્લા પોલીસ વડાએ જિલ્લાવાસીઓને વિજયાદશમી પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી. 
Latest Stories