ભરૂચ: હોળી-ધુળેટીના પર્વ પર બજારોમાં ચહલ પહલ વધી, અવનવા પ્રકારની પિચકારી આકર્ષણનું કેન્દ્ર

ભરૂચ શહેર અને જિલ્લામાં હોળી - ધૂળેટી પર્વ પર બજારમાં ચહલ પહલ વધી છે. રંગો અને પિચકારીના બજારમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે.

New Update
  • હોળી ધુળેટીના પર્વને ઉજવવા થનગનાટ

  • બજારોમાં જોવા મળી ચહલ પહલ

  • અવનવા પ્રકારની પિચકારીઓનું વેચાણ

  • ઓર્ગેનિક રંગો લોકોની પહેલી પસંદ

  • ધાણી-ખજૂરનું પણ ધૂમ વેચાણ

ભરૂચ શહેર અને જિલ્લામાં હોળી - ધૂળેટી પર્વ પર બજારમાં ચહલ પહલ વધી છે. રંગો અને પિચકારીના બજારમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે.
રંગોના પર્વ હોળી અને ધુળેટીના તહેવારને ઉજવવા માટે ભરૂચ જિલ્લાવાસીઓમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે ત્યારે બજારોમાં પણ ચહલ પહલ વધી છે. ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાઓ પણ પૂર્ણ થતા હવે બજારોમાં ઘરાકી જોવા મળી રહી છે આ વર્ષે બજારોમાં અવનવા પ્રકારની પિચકારી અને રંગોએ લોકોમાં આકર્ષણ જણાવ્યું છે ગત વર્ષની સરખામણીએ રંગો અને પિચકારીના ભાવમાં ખાસ કોઈ વધારો થયો નથી ત્યારે લોકો પિચકારી અને રંગોની ખરીદી કરી રહ્યા છે કેમિકલ યુક્ત રંગોના બદલે હવે લોકો ઓર્ગેનિક રંગો તરફ પણ વળ્યા છે.
આ તરફ હોળીની હુતાસણીના ખજૂર, ધાણી, ચણા, નારિયેળ સહિતના ભાવોમાં આ વખતે પણ વધારો જોવા મળી રહ્યો છે.ભરૂચમાં શક્તિનાથ, લિંક રોડ, સ્ટેશન રોડ, જ્યોતિનગર સહિતના સ્થળે હોળી ધુળેટી પર્વને લઈ હાટડીઓ ઉભી કરવામાં આવી છે જયાં ગ્રાહકોની ચહલ પહલ જોવા મળી રહી છે
Read the Next Article

અંકલેશ્વર: NH 48 પર ટ્રાફિકજામની રોજિંદી સમસ્યા, બિસ્માર માર્ગોના પગલે સમસ્યા

અંકલેશ્વર નેશનલ હાઇવે પર  આમલાખાડી પરના બિસ્માર બ્રિજ અને હાઇવેનો માર્ગ ખખડધજ બનતા સતત ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. અંકલેશ્વર નેશનલ હાઇવે

New Update
MixCollage-09-Jul-2025-08-21-PM-8778

અંકલેશ્વર નેશનલ હાઇવે પર  આમલાખાડી પરના બિસ્માર બ્રિજ અને હાઇવેનો માર્ગ ખખડધજ બનતા સતત ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે.

અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર આવેલ આમલાખાડી પરનો બ્રિજ છેલ્લા ઘણા સમયથી બિસ્માર બન્યો છે.બીજી તરફ ચોમાસુ જામતા જ હાઇવે પર ખાડાઓની ભરમાર છે.તેવામાં રોજેરોજ ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થતા વાહન ચાલકો હેરાન પરેશાન બન્યા છે.વાહનોનું ભારણ અને બ્રિજ જર્જરિત,રસ્તા પર ખાડાઓ પડતા વાહન ચાલકો પોતાનો કિંમતી સમય સાથે ઇંધણ બગાડી રહ્યા છે.દિવસે દિવસે માથાના દુખાવા સમાન બનેલ આ ટ્રાફિકની સમસ્યા હલ કરવામાં આવે તે જરૂરી છે.તંત્ર યોગ્ય નિરાકરણ લાવે એવી વાહનચાલકો માંગ કરી રહ્યા છે