ભરૂચ: રાષ્ટ્રીય સંવિધાન દિવસ નિમિત્તે ભાજપ-કોંગ્રેસ દ્વારા ડો.બાબાસાહેબ આંબેડકરને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી !

રાષ્ટ્રીય સંવિધાન દિવસ નિમિત્તે ભરૂચમાં વિવિધ સંગઠનો દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર અર્પણ કરી ઉજવણી કરવામાં આવી......

New Update
  • આજે તારીખ 26મી નવેમ્બર

  • રાષ્ટ્રીય સંવિધાન દિવસ

  • ભરૂચમાં યોજાયા કાર્યક્રમ

  • ભાજપ દ્વારા ડો.બાબા સાહેબને પુષ્પાંજલી

  • જિલ્લા કોંગ્રેસ દ્વારા પણ કાર્યક્રમ યોજાયો

ભારતીય બંધારણના સ્વીકારની યાદમાં દર વર્ષે 26 નવેમ્બરે બંધારણ દિવસ ઉજવવામાં આવે છે. નાગરિકોમાં બંધારણીય મૂલ્યોને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્રીય સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયે 19 નવેમ્બર 2015 ના રોજ જાહેરાત કરી હતી કે ભારત સરકાર દર વર્ષે 26 નવેમ્બરને બંધારણ દિવસ તરીકે ઉજવશે જેના ભાગરૂપે આજરોજ ભરૂચમાં જિલ્લા ભાજપ દ્વારા  રાષ્ટ્રીય સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
ભાજપના આગેવાનો અને કાર્યકરો દ્વારા રેલ્વે સ્ટેશન સ્થિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ઉપપ્રમુખ દિવ્યેશ પટેલ,મહામંત્રી નીરલ પટેલ, કનુ પરમાર સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
આ તરફ ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પણ રાષ્ટ્રીય સંવિધાન દિવસની ઉજવણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતના બંધારણના ઘડવૈયા ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિકૃતિને ફુલહાર અર્પણ કરવામાં આવ્યા હતા અને બંધારણ અંગેના શપથ ગ્રહણ કરવામાં આવ્યા હતા.આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા ભરૂચ શહેર કોંગ્રેસના પ્રમુખ સલીમ અમદાવાદી, ઝુબેર પટેલ  સહિતના આગેવાનો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories