ભરૂચ : ઉત્તરાયણ પર્વ નિમિત્તે વાહનચાલકો અને રાહદારીઓની સુરક્ષાનાં ભાગરૂપે પાલિકાએ  ઓવરબ્રિજ ઉપર તાર લગાવ્યા

ભરૂચ નગરપાલિકા દ્વારા પતંગની દોરીથી નાગરિકોને નુકસાન ન થાય તેવા ઉમદા હેતુથી ઓવરબ્રિજ પર તાર લગાડવામાં આવ્યા છે.અને લોકોને સાવચેત તેમજ સુરક્ષિત રહેવા માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

New Update
  • ઉતરાયણમાં પતંગ દોરીથી સર્જાય છે અકસ્માત  

  • ન.પા.દ્વારા લોકોની સુરક્ષા માટે લગાવ્યા તાર

  • ઓવરબ્રિજ સહિતના સ્થાનો પર લગાવ્યા તાર

  • સ્ટ્રીટ લાઇટ પર પણ લગાવ્યા તાર

  • સુરક્ષિત અને સાવચેત રહેવા માટે નાગરિકોને કરાય અપીલ   

ભરૂચ નગરપાલિકા દ્વારા પતંગની દોરીથી નાગરિકોને નુકસાન ન થાય તેવા ઉમદા હેતુથી ઓવરબ્રિજ પર તાર લગાડવામાં આવ્યા છે.અને લોકોને સાવચેત તેમજ સુરક્ષિત રહેવા માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

ભરૂચ જિલ્લામાં ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવા માટે પતંગ રસિકો ઉત્સુક બન્યા છે,ત્યારે નગરપાલિકા દ્વારા પણ વાહન ચાલકોની સાવચેતીના ભાગરૂપે ભરૂચના ઓવરબ્રિજ સહિતના અન્ય વિસ્તારોમાં લોખંડના તાર બાંધી અનોખી રીતે સાવચેતીથી રાખવામાં આવી રહી છે.જે કામગીરી આવકારદાયક કહી શકાય તેમ છે.સમગ્ર ભરૂચ જિલ્લામાં ઉત્તરાયણ પર્વની ઉત્સુકતા પતંગ રસિકોમાં જોવા મળી રહી છે.જેના પગલે પતંગ રસિકોની દોરીથી કોઇ વાહનચાલક ઇજાગ્રસ્ત ન થાય તે હેતુથી ભરૂચ નગરપાલિકા દ્વારા ભરૂચના વિવિધ જાહેર માર્ગો ઉપર સ્ટ્રીટ લાઈટ સાથે લોખંડના તાર બાંધી વાહન ચાલકોની સુરક્ષા કરવામાં આવી રહી છે.જેના પગલે ભરૂચના કોર્ટ રોડ ઉપર આવેલ ભૃગુઋષિ ઓવરબ્રિજ ઉપરથી પસાર થતા વાહનચાલકોનાં ગળામાં પતંગની દોરી ન આવી જાય અને અકસ્માતનો ભોગ ન બને તે માટે સ્ટ્રીટ લાઈટ સાથે લોખંડના તાર બાંધી વાહન ચાલકોની સાવચેતી રાખવામાં આવી રહી છે.

 

Read the Next Article

ભરૂચ: રથયાત્રાના પર્વને અનુલક્ષી પોલીસ દ્વારા ફ્લેગમાર્ચનું આયોજન કરાયુ

ભરૂચમાં અષાઢી બીજ ના રોજ નીકળનાર ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને પોલીસ વિભાગ એક્શનમાં આવ્યુ છે.જેના ભાગરૂપે ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું

New Update

ભરૂચમાં નિકળશે ભગવાન જગન્નાથની રથયાત્રા

અષાઢી બીજના રોજ રથયાત્રાનું આયોજન

પોલીસ દ્વારા ચાપતો બંદોબસ્ત ગોઠવાશે

એ અને બી ડિવિઝન પોલીસ દ્વારા ફ્લેગમાર્ચ યોજાય

ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ જોડાયા

ભરૂચમાં અષાઢી બીજ ના રોજ નીકળનાર ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને પોલીસ વિભાગ એક્શનમાં આવ્યુ છે.જેના ભાગરૂપે ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું
ભરૂચમાં અષાઢી બીજ નિમિત્તે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળશે ત્યારે રથયાત્રાના ઉત્સવ પ્રસંગે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્રએ કમરકસી છે. જેના ભાગરૂપે ભરૂચ શહેર એ અને બી ડિવિઝન પોલીસ દ્વારા ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફ્લેગમાર્ચ શહેરના ફુરજા વિસ્તારમાં આવેલ જગન્નાથ મંદિરેથી નીકળી રવિવારી બજાર, સોની ફળિયુ, લાલ બજાર, લલ્લુભાઈ ચકલાથી હાથીખાના બજાર થઈ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પહોંચી હતી જેમાં મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ જોડાયા હતા. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પણ હાજરી આપી શહેરીજનોને સુરક્ષા અને શાંતિનો અનુભવ કરાવ્યો હતો.