-
પાવરગ્રીડ સાઉથ 765 KV વીજ લાઇનની કરાશે કામગીરી
-
તાલુકાના 21 ગામોમાંથી પસાર થનાર વીજ લાઇનનો વિરોધ
-
દેત્રાલ ગામ ખાતે વિશેષ બેઠકનું આયોજન કરવામાં આવ્યું
-
સંબધિત ગામના સરપંચો સહિત ખેડૂતોની ઉપસ્થિતિ રહી
-
વીજ લાઇનથી થતાં નુકસાન સામે લડવાની તૈયારી બતાવી
ભરૂચ તાલુકાના 21 ગામોમાંથી પાવરગ્રીડ સાઉથ ઓલપાડ-વડોદરા 765 KV વીજ લાઇન પસાર થવાની હોવાથી દેત્રાલ ગામ ખાતે સંબધિત ગામના સરપંચ અને ખેડૂતોની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
પાવરગ્રીડ સાઉથ ઓલપાડ-વડોદરા 765 KV વીજ લાઇન ભરૂચ તાલુકાના 21 ગામોમાંથી પસાર થવાની હોવાથી દેત્રાલ ગામ ખાતે બેઠક યોજાય હતી. જેમાં અસરગ્રસ્ત ગામોના સંરપંચો, ગામ આગેવાનો તેમજ ખેડૂતોએ એક સૂરમાં વિરોધ નોંધાવ્યો છે. અસરગ્રસ્તોએ 765 KV વીજ લાઇનથી થતાં નુકસાન સામે લડવાની તૈયારી બતાવી હતી. ખેડૂતોએ જણાવ્યુ હતું કે, ગામના હિત માટે અમે કોઈપણ હદ સુધી સંઘર્ષ કરવા તૈયાર છે.
વીજ કંપનીઓ સામે જિલ્લા વહીવતી તંત્ર લાચાર બની એક તરફી નિર્ણય લેતા હોવાનો પણ આક્ષેપ થયો છે, ત્યારે જ્યાં સુધી ગ્રામજનોના પ્રશ્નનું નિરાકરણ ન આવે ત્યાં સુધી વીજ કંપની તથા વહીવટી તંત્રને કોઈપણ સાથ સહકાર આપવામાં આવશે નહીં આવે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે. સમગ્ર મામલે આવનારા દિવસોમાં 21 ગામોમાં 1 મુદ્દાની ખાસ ગ્રામસભા બોલાવવામાં આવશે, અને 765 KV વીજ લાઇનથી થતાં નુકસાન બાબતે ગ્રામજનો સહિત ખેડૂતોને જાગૃત કરવામાં આવશે.