ભરૂચ: સોશ્યલ મીડિયા પર આદિવાસી યુવતી અને યુવા પર થયેલ ટિપ્પણીના મુદ્દે રોષ, પોલીસને કરાય રજુઆત

અંકલેશ્વરના પીન્કેશ પટેલ નામના ઈસમ દ્વારા તેના સોશિયલ મીડિયા પર આદિવાસી સમાજની યુવતી અને યુવા વર્ગ માટે અભદ્ર ટિપ્પણી કરતી પોસ્ટ કરી હતી..

New Update
  • ભરૂચમાં આદિવાસી સમાજમાં રોષ

  • સોશ્યલ મીડિયા પર કરવામાં આવી હતી ટીપ્પણી

  • આદિવાસી યુવક-યુવતી અંગે કરાય હતી પોસ્ટ

  • એ ડિવિઝન પોલીસ મથકે કરાય રજુઆત

  • પોસ્ટ કરનાર યુવક સામે ફરિયાદ નોંધવા માંગ

અંકલેશ્વરમાં સોશ્યલ મીડિયા પર આદિવાસી યુવતી અને યુવા પર થયેલ ટિપ્પણીના મુદ્દે સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે ત્યારે ભરૂચ આદિવાસી સમાજના યુવાનો દ્વારા ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે લેખિતમાં અરજી આપવામાં આવી હતી 
તાજેતરમાં સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર આદિવાસી સમાજ અંગે અભદ્ર ટિપ્પણીના મુદ્દે આદિવાસી યુવા વર્ગમાં ભારે રોષ ફેલાયો છે. અંકલેશ્વરના પીન્કેશ પટેલ નામના ઈસમ દ્વારા તેના સોશિયલ મીડિયા પર આદિવાસી સમાજની યુવતી અને યુવા વર્ગ માટે અભદ્ર ટિપ્પણી કરતી પોસ્ટ કરી હતી.
જે પોસ્ટ અંગે આદિવાસી સમાજના યુવા વર્ગ ને જાણ થતાં તેમના દ્વારા પોસ્ટના પ્રુફ એકત્ર કર્યા હતા અને યુવાનને સમાજની માફી માંગણી કરી હતી આ તરફ ભરૂચમાં આદિવાસી સમાજના લોકોએ ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે લેખિતમાં ફરિયાદ આપી હતી.
Read the Next Article

અંકલેશ્વર : શહેર ભાજપ યુવા મોરચા દ્વારા ડો.શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે રક્તદાન શિબિરનું કરાયું આયોજન

અંકલેશ્વર શહેરમાં ભાજપ યુવા મોરચા દ્વારા ડો.શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
  • શહેર ભાજપ યુવા મોરચા દ્વારા રક્તદાન શિબિર યોજાઈ 

  • ડો.શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે આયોજન

  • પાલિકા ડિસ્પેન્સરી ખાતે કરાયું રક્તદાન શિબિરનું આયોજન

  • ભાજપ જિલ્લા પ્રમુખ સહિતના આગેવાનો રહ્યા ઉપસ્થિત

  • ભાજપના કાર્યકર્તાઓએ ઉત્સાહભેર કર્યું રક્તદાન 

અંકલેશ્વર શહેરમાં ભાજપ યુવા મોરચા દ્વારા ડો.શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

અંકલેશ્વર પાલિકા ડિસ્પેન્સરી ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું,રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાના પર્યાય ભારતીય જનસંઘના સંસ્થાપક ડો.શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે ભારતીય જનતા યુવા મોરચા દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું,આ રક્તદાન શિબિરમાં મોટી સંખ્યામાં રકતદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કરીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી,અંકલેશ્વર શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ણા,પાલિકા પ્રમુખ લલિતા રાજપુરોહિત તેમજ મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.