ભરૂચ: પેરોલ ફર્લો સ્કોડે દહેજ મરીન પોલીસ મથકના ઘરફોડ ચોરીના ગુનામાં 2 વર્ષથી ફરાર આરોપીની કરી ધરપકડ

હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સ આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને મધ્ય પ્રદેશના પોસ્ટ ગૈરતલાઇમાં રહેતો જસવંતસિંહ જગતરાજસિંહ રઘુવંશીને ઝડપી પાડ્યો હતો.આરોપી ચોરીના ગુનામાં 2 વર્ષથી ફરાર હતો

New Update
Dahej Marine Police
ભરૂચ જિલ્લા પોલીસ વડા મથુર ચાવડા દ્વારા પેરોલ, ફર્લો જમ્પ ફરાર આરોપી અને નાસતા ફરતા આરોપીઓ પકડવા માટે આપેલ સૂચનાને આધારે પેરોલ ફર્લો સ્કોડની ટીમના પી.એસ.આઈ એ.કે.જાડેજાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે દહેજ મરીન પોલીસ મથકના ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસતા-ફરતા રીઢા આરોપી હાલ ભરૂચ રેલ્વે સ્ટેશન ખાતે આવવાનો હોય છે જેવી હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સ આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને મધ્ય પ્રદેશના પોસ્ટ ગૈરતલાઇમાં રહેતો જસવંતસિંહ જગતરાજસિંહ રઘુવંશીને ઝડપી પાડ્યો હતો.આરોપી ચોરીના ગુનામાં 2 વર્ષથી ફરાર હતો જેને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે.
Read the Next Article

ભરૂચ : નિકોરાના આનંદીમાં આશ્રમ ખાતે સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન શિબિર યોજાઈ,800થી વધુ બહેનોએ લીધો લાભ

નિકોરા ધ્યાની ધામ આનંદીમાં આશ્રમ ખાતે 13 વર્ષથી વધુ વયની રાજપુત દીકરીઓ માટે એક દિવસીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 800થી વધુ રાજપૂત દિકરીઓએ લીધો શિબિરમાં ભાગ

New Update
  • સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન વિષય પર યોજાઈ શિબિર

  • નિકોરા આનંદીમાં ધ્યાની ધામ આશ્રમ ખાતે યોજાઈ શિબિર

  • રાજપૂત સમાજની દીકરીઓ માટે કરાયું આયોજન

  • 800થી વધુ રાજપૂત દિકરીઓએ લીધો શિબિરમાં ભાગ

  • રાજપૂત યુવા સંઘ પ્રેરિત મહિલા સંઘના હોદેદારોનું કરાયું સન્માન

ભરૂચના નિકોરા આનંદીમાં આશ્રમ ખાતે સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન શિબિર યોજાઈ હતી. જેમાં800થી વધારે બહેનોએ આ શિબિરનો લાભ લીધો હતો.

ભરૂચ તાલુકાના નિકોરા ગામેમાં નર્મદા નદીના કિનારે આનંદીમાં ધ્યાની ધામ આશ્રમ ખાતે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ પ્રેરિત મહિલા સંઘ અને યુવા પાંખ ભરૂચ જિલ્લા દ્વારા આયોજિત સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન શિબિરમાં800બહેનોએ શિબિરનો લાભ લીધો હતો.

નિકોરા ધ્યાની ધામ આનંદીમાં આશ્રમ ખાતે13વર્ષથી વધુ વયની રાજપુત દીકરીઓ માટે એક દિવસીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ આધુનિક યુગમાં પરિવારમાં સાંસ્કૃતિક સમસ્યાઓ થાય છેમેરેજ પછી  પોતાના જીવનમાં મૂલ્યવાન સમજણ આવે સાસરિયામાં પણ સંયુક્ત કુટુંબ સાથે રહી સમાજ અને પોતાનું નામ રોશન કરે તેવા ઉમદા હેતુથી સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં800થી વધુ દીકરીઓએ ઉપસ્થિત રહી પોતાના જીવનમાં પરિવર્તન માટેની હાંકલ  કરી હતી. આ સાથે જ આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાના નવ  નિયુક્ત હોદ્દેદારોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.

Latest Stories