ભરૂચ: ઝઘડિયામાં અસામાજિક તત્વો પર પોલીસની તવાઈ, 37 ઈસમો પર કાર્યવાહી

ભરૂચ પોલીસે અસામાજિક માથાભારે અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા તત્વો સામે કડક કાર્યવાહીની શરૂઆત કરી દીધી છે.

New Update
  • ભરૂચની ઝઘડિયા પોલીસની કાર્યવાહી

  • અસામાજિક તત્વો પર તવાઈ

  • 37 ઈસમો પર કાર્યવાહી કરાય

  • 10 આરોપીઓના વીજ જોડાણ કપાયા

  • 1 આરોપીની કરાયો તડીપાર 

Advertisment
ભરૂચ પોલીસે અસામાજિક માથાભારે અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા તત્વો સામે કડક કાર્યવાહીની શરૂઆત કરી દીધી છે. ભરૂચ, અંકલેશ્વર અને ઝઘડિયામાં છેલ્લા 3 દિવસથી પોલીસનું બુલડોઝર એક્શન દેખાઈ રહ્યું છે. 
ભરૂચ જિલ્લામાં 300થી વધુ અસામાજિક તત્વોની યાદી તૈયાર કરાયા બાદ હવે ગુનેગારોના ગુનાહિત ભુતકાળ અને અસામાજિક પ્રવૃત્તિઓની ગંભીરતાના આધારે હવે બુલડોઝર એક્શનની શરૂઆત કરાઈ છે.ઝઘડિયામાં નાયબ પોલીસ અધિક્ષક અજય કુમાર મીણાની આગેવાનીમાં હાથ ધરાયેલી કોમ્બિંગ સહિતની કામગીરીમાં વાલિયા, ઝઘડિયા, નેત્રંગ તાલુકાને ધમરોળવામાં આવ્યા હતા. ડિવિઝનની પોલીસે 10 આરોપીઓના વીજ જોડાણ કાપી નાખ્યા તો 2 આરોપીઓના દબાણો પર બુલડોઝર ફેરવી દીધું હતું. અહીં એક આરોપીને પાસા પણ કરાઈ છે. કાયદાના કોરડા 37 આરોપીઓ પર વિંજાયા હતા. 
Advertisment
Read the Next Article

ભરૂચ : DGVCL દ્વારા માતરીયા ઇન્ટેકવેલ પર  કામગીરીને પગલે વીજ અને  પાણી પુરવઠો રહેશે બંધ

ભરૂચ શહેરના માતરીયા ઇન્ટેકવેલ પર દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા મેન્ટેનન્સની કામગીરીને પગલે વીજ સપ્લાય બંધ રહેશે,જેના કારણે શહેરીજનોને અપાતો પાણી પુરવઠો પણ ખોરવાશે.

New Update
power cut

ભરૂચ શહેરના માતરીયા ઇન્ટેકવેલ પર દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા મેન્ટેનન્સની કામગીરીને પગલે વીજ સપ્લાય બંધ રહેશે,જેના કારણે શહેરીજનોને અપાતો પાણી પુરવઠો પણ ખોરવાશે.

Advertisment

aa

ભરૂચ નગરપાલિકા દ્વારા એક અખબારી યાદી જાહેર કરીને જણાવવામાં આવ્યું છે કે તારીખ 30-05-2025ને શુક્રવારના રોજ દક્ષિણ ગુજરાત વીજ કંપની તરફથી માતરીયા ઇન્ટેકવેલ ઉપર અપાતો વીજ પુરવઠો સવારના 7 કલાકથી બપોરેના 1 કલાક સુધી બંધ રાખવામાં આવશે.જેના કારણે શુક્રવારના રોજ સવારના 7 કલાકથી તમામ ટાંકી પરથી અપાતો પાણી પુરવઠો પણ બંધ રહેશે.જોકે તારીખ 31-05-2025ને શનિવારના રોજ તમામ વિસ્તારમાં રાબેતા મુજબ પાણી પુરવઠો રાબેતા મુજબ મળશે.

Advertisment