New Update
-
ભરૂચની ઝઘડિયા પોલીસની કાર્યવાહી
-
અસામાજિક તત્વો પર તવાઈ
-
37 ઈસમો પર કાર્યવાહી કરાય
-
10 આરોપીઓના વીજ જોડાણ કપાયા
-
1 આરોપીની કરાયો તડીપાર
ભરૂચ પોલીસે અસામાજિક માથાભારે અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા તત્વો સામે કડક કાર્યવાહીની શરૂઆત કરી દીધી છે. ભરૂચ, અંકલેશ્વર અને ઝઘડિયામાં છેલ્લા 3 દિવસથી પોલીસનું બુલડોઝર એક્શન દેખાઈ રહ્યું છે.
ભરૂચ જિલ્લામાં 300થી વધુ અસામાજિક તત્વોની યાદી તૈયાર કરાયા બાદ હવે ગુનેગારોના ગુનાહિત ભુતકાળ અને અસામાજિક પ્રવૃત્તિઓની ગંભીરતાના આધારે હવે બુલડોઝર એક્શનની શરૂઆત કરાઈ છે.ઝઘડિયામાં નાયબ પોલીસ અધિક્ષક અજય કુમાર મીણાની આગેવાનીમાં હાથ ધરાયેલી કોમ્બિંગ સહિતની કામગીરીમાં વાલિયા, ઝઘડિયા, નેત્રંગ તાલુકાને ધમરોળવામાં આવ્યા હતા. ડિવિઝનની પોલીસે 10 આરોપીઓના વીજ જોડાણ કાપી નાખ્યા તો 2 આરોપીઓના દબાણો પર બુલડોઝર ફેરવી દીધું હતું. અહીં એક આરોપીને પાસા પણ કરાઈ છે. કાયદાના કોરડા 37 આરોપીઓ પર વિંજાયા હતા.