ભરૂચ: ઝઘડિયામાં અસામાજિક તત્વો પર પોલીસની તવાઈ, 37 ઈસમો પર કાર્યવાહી

ભરૂચ પોલીસે અસામાજિક માથાભારે અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા તત્વો સામે કડક કાર્યવાહીની શરૂઆત કરી દીધી છે.

New Update
  • ભરૂચની ઝઘડિયા પોલીસની કાર્યવાહી

  • અસામાજિક તત્વો પર તવાઈ

  • 37 ઈસમો પર કાર્યવાહી કરાય

  • 10 આરોપીઓના વીજ જોડાણ કપાયા

  • 1 આરોપીની કરાયો તડીપાર 

ભરૂચ પોલીસે અસામાજિક માથાભારે અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા તત્વો સામે કડક કાર્યવાહીની શરૂઆત કરી દીધી છે. ભરૂચ, અંકલેશ્વર અને ઝઘડિયામાં છેલ્લા 3 દિવસથી પોલીસનું બુલડોઝર એક્શન દેખાઈ રહ્યું છે. 
ભરૂચ જિલ્લામાં 300થી વધુ અસામાજિક તત્વોની યાદી તૈયાર કરાયા બાદ હવે ગુનેગારોના ગુનાહિત ભુતકાળ અને અસામાજિક પ્રવૃત્તિઓની ગંભીરતાના આધારે હવે બુલડોઝર એક્શનની શરૂઆત કરાઈ છે.ઝઘડિયામાં નાયબ પોલીસ અધિક્ષક અજય કુમાર મીણાની આગેવાનીમાં હાથ ધરાયેલી કોમ્બિંગ સહિતની કામગીરીમાં વાલિયા, ઝઘડિયા, નેત્રંગ તાલુકાને ધમરોળવામાં આવ્યા હતા. ડિવિઝનની પોલીસે 10 આરોપીઓના વીજ જોડાણ કાપી નાખ્યા તો 2 આરોપીઓના દબાણો પર બુલડોઝર ફેરવી દીધું હતું. અહીં એક આરોપીને પાસા પણ કરાઈ છે. કાયદાના કોરડા 37 આરોપીઓ પર વિંજાયા હતા. 
Read the Next Article

ભરૂચ : આમોદ નેશનલ હાઇવે નં.64 પર આર.ટી.ઓ.ની તપાસથી ટ્રક ચાલકોમાં ફફડાટ

આમોદ નજીકના નેશનલ હાઇવે નં.64 પર ભરૂચ આર.ટી.ઓ. વિભાગ દ્વારા આજ રોજ ઓવરલોડ તેમજ કાગળ વિના દોડી રહેલા વાહનો સામે ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી

New Update
guj amod

90,000 રૂપિયાનો દંડ વસુલાયો, ઓવરલોડ અને બિનકાયદેસર વાહનો પર કાર્યવાહી

આમોદ નજીકના નેશનલ હાઇવે નં.64 પર ભરૂચ આર.ટી.ઓ. વિભાગ દ્વારા આજ રોજ ઓવરલોડ તેમજ કાગળ વિના દોડી રહેલા વાહનો સામે ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. આર.ટી.ઓ.ઇન્સ્પેક્ટર એમ.પી. ડાયમાની આગેવાની હેઠળ આ તપાસ દરમિયાન કુલ રૂ. 90,000 જેટલો દંડ વસૂલવામાં આવ્યો હતો.

આ માર્ગ પરથી દિવસ-રાત ભારે વાહનો પસાર થાય છે, જેમાં ખાસ કરીને નમક (મીઠું), રેતી અને હઝાર્ડ વેસ્ટ ભરેલ ટ્રકોનો સમાવેશ થાય છે. ઓવરલોડ અને સુરક્ષા નિયમોની અવગણનાથી અકસ્માતોની સંભાવના વધતી હોવાથી આર.ટી.ઓ. દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.તપાસની માહિતી વાયુવેગે ફેલાતા કેટલાય ટ્રક ચાલકોએ પોતાની ઓવરલોડ વાહનો રસ્તા કિનારે ઊભા રાખી દિધા હોવાની વિગતો સામે આવી છે. રાત્રિના સમયે દહેજ તરફ જતા મીઠું ભરેલ ટ્રકો અને હઝાર્ડ વેસ્ટવાળા વાહનો ગંભીર જોખમ ઊભું કરે છે, કારણ કે કેટલાક વાહનોમાંથી પ્રવાહી રોડ પર સરકે છે, જેને લીધે અકસ્માતોની ઘટનાઓ સર્જાઈ છે.તદુપરાંત, કરજણથી વહેલી સવારે પસાર થતી રેતી ભરેલી ટ્રકોમાં યોગ્ય કવરિંગ ન હોવાને કારણે રેતી ઉડીને પાછળ આવતા બાઈક સવારોને આંખમાં વળગી જાય છે. રાત્રી દરમિયાન કેટલીક ટ્રકોની લાઈટો પણ બંધ હોવાના કારણે માર્ગ પર અકસ્માતનો ભય વધ્યો છે.