ભરૂચ: સંવેદનશીલ ગણાતા હાંસોટમાં પોલીસ દ્વારા વાહનચેકીંગ શરૂ કરાયુ, તમામ ગતિવિધિઓ પર પોલીસની નજર

ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવભરી પરિસ્થિતિ સર્જાતા સંવેદનશીલ ગણાતા ભરૂચના હાસોટમાં પોલીસ દ્વારા સઘન વાહન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે અને તમામ ગતિવિધિ પર નજર રાખવામાં આવી રહી છે.

New Update
  • ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવભરી પરિસ્થિતિ

  • સમગ્ર દેશમાં સુરક્ષા વ્યવસ્થા સઘન

  • ભરૂચમાં પણ પોલીસ એલર્ટ

  • હાંસોટમાં પોલીસ દ્વારા વાહનચેકીંગ શરૂ કરાયુ

  • તમામ પરિસ્થિતિ પર પોલીસની નજર

ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવભરી પરિસ્થિતિ સર્જાતા સંવેદનશીલ ગણાતા ભરૂચના હાસોટમાં પોલીસ દ્વારા સઘન વાહન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે અને તમામ ગતિવિધિ પર નજર રાખવામાં આવી રહી છે.

હાલ ભારત પાકિસ્તાન વચ્ચે તણાવભરી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. બંને દેશો સામ સામે જવાબી કાર્યવાહી કરી રહ્યા છે ત્યારે સમગ્ર દેશમાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે જેના ભાગરૂપે સંવેદનશીલ ગણાતા ભરૂચના પણ સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી છે. હાંસોટમાં પોલીસ દ્વારા રાઉન્ડ ધ ક્લોક વાહન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે.હાંસોટ ટાઉનમાંથી પસાર થતાં દરેક વાહનોની ચકાસણી કરવામાં આવી રહી છે.હાંસોટ નજીક જ આલિયાબેટ જેવો દુર્ગમ વિસ્તાર આવેલો છે ત્યારે પોલીસ દ્વારા વધુ તકેદારી રાખવામાં આવી રહી છે અને શંકાસ્પદ ગતિવિધિઓ પર નજર રાખવામાં આવી રહી છે.

Read the Next Article

અંકલેશ્વર: ખરોડ ગામે યુવાનની હત્યા કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, અગાઉ થયેલ માથાકૂટની રીસ રાખી હત્યા કરાય

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

અંકલેશ્વરના ખરોડમાં મળી આવ્યો હતો મૃતદેહ

હત્યા થઈ હોવાનું આવ્યું બહાર

પોલીસે હત્યારાની કરી ધરપડક

અગાઉના ઝઘડાની રીસ રાખી કરાય હત્યા

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી


અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાં આવેલ બાકરોલ વગામાં ખેતરના શેઢા ઉપર અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો.આ બાબતે પાનોલી પોલીસે ગુનો નોંધી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી.આ તરફ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી દરમ્યામ પોલીસને બાતમી મળી હતી કે આ ગુનામાં  અક્કલકુવાનો શંકર મોવરીયા વસાવા નામનો ઈસમ સંડોવાયો છે જે અંકલેશ્વર તથા પાનોલી વિસ્તારમા છુટક મજુરી કરે છે.પોલીસે હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે આરોપીની ખરોડ નજીકથી ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ મામલામાં મરણ જનાર ઇસમે થોડા દિવસ અગાઉ મારમારી 1500 રૂપિયા લૂંટી લીધા હતા જેની રીસ રાખી આરોપી શંકર વસાવાએ મૃતકને શોધી તેને મજૂરી કામ અપાવવાના બહાને ખરોડ ગામની સીમમાં લઈ ગયો હતો અને ત્યાં પથ્થરના ઘા મારી હત્યા કર્યા બાદ તેના વતન ફરાર થઇ ગયો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.