New Update
/connect-gujarat/media/media_files/2025/05/12/A6m0YbLWprWD5t1tPb3D.png)
સુરતની હોસ્ટેલમાંથી ભાગી ગયેલા બે સગીર વયના બાળકોનો પોલીસે પરિવારજનો સાથે ભેટો કરાવ્યો
ભરૂચ શહેર સી ડીવીઝન પોલીસ સ્ટેશનનાં પોલીસ કર્મચારી નાઈટ પેટ્રોલીગમાં હાજર હતા તે સમયે કસક સર્કલ પાસે બે સગીર વયના બાળકો કસક સર્કલથી ઝાડેશ્વર તરફ ચાલતા જતા હોય જેથી તેઓને પૂછપરછ કરતા બંને બાળકો હાલ સુરત ખાતે આવેલ વાત્સલ્ય ધામ હોસ્ટેલ ખાતે રહી અભ્યાસ કરતા હોય અને તેઓ રાત્રીના સમયે હોસ્ટેલમાં કોઈને કઈ પણ જાણ કર્યા વગર હોસ્ટેલમાંથી બહાર નીકળી એક ન્યુઝ પેપરની ઇકો ગાડીમાં સુરતથી ભરૂચ ખાતે આવેલની હકીકત જણાવેલ અને તેઓના રહેઠાણ બાબતે પૂછપરછ કરતા તેઓ ઝાડેશ્વર દુબઈ ટેકરી ખાતે રહેતા હોવાનું જણાવતા તેમજ પિતાનો સર્પક નંબર આપતા ખાત્રી કરી તેઓને પોલીસ સ્ટેશન ખાતે બોલાવી તેમજ વાત્સલ્ય હોસ્ટેલ ખાતેના ગુહપતિ સાથે વાતચીત કરતા આ બંને બાળકો ત્યાંથી નીકળી ગયા હોવાની હકીકત જણાવી હતી. જેથી આ બંને બાળકોનાં પરીવારના સભ્યોનો સંપર્ક કરી પોલીસ સ્ટેશન ખાતે બોલાવી કાઉન્સીલીંગ કરી તેના પરીવાર સાથે મોકલી આપવામા આવ્યા હતા