ભરૂચ: ચકચારી મનરેગા કૌભાંડની તપાસ અર્થે પોલીસની ટીમ વેરાવળ પહોંચી, પુરાવા એકત્રિત કરવા કવાયત

ભરૂચના ચકચારી મનરેગા કૌભાંડની તપાસ અર્થે પોલીસની એક ટીમ ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે પહોંચી છે અને દસ્તાવેજી પુરાવા એકત્રિત કરવા સહિતની કામગીરી કરી રહી છે

New Update
  • ભરૂચનું ચકચારી મનરેગા કૌભાંડ

  • પોલીસની એક ટીમ વેરાવળ પહોંચી

  • પુરાવા એકત્રિત કરવા કવાયત

  • હીરા જોટવા સહિત 6 આરોપીઓ છે પોલીસ રિમાન્ડ પર

  • તપાસ બાદ થઈ શકે છે વધુ ખુલાસા

ભરૂચના ચકચારી મનરેગા કૌભાંડની તપાસ અર્થે પોલીસની એક ટીમ ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે પહોંચી છે અને દસ્તાવેજી પુરાવા એકત્રિત કરવા સહિતની કામગીરી કરી રહી છે

ભરૂચના ચકચારી મનરેગા કૌભાંડની તપાસ તેજ બની છે.આ મામલામાં ઝડપાયેલ કોંગ્રેસ નેતા હીરા જોટવા તેનો પુત્ર દિગ્વિજય જોટવા સહિત 6 આરોપીઓ પોલીસના રિમાન્ડ પર છે ત્યારે ભરૂચ પોલીસની એક ટીમ ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે પહોંચી છે.આ મામલામાં વેરાવળની બંને એજન્સીઓ જલારામ એન્ટરપ્રાઇઝ અને મુરલીધર એન્ટરપ્રાઇઝ સામે ગુનો નોંધાયો હતો ત્યારે દસ્તાવેજી પુરાવા એકત્રિત કરવા સહિત નાણાકીય વ્યવહારોની તપાસ કરવા માટે ભરૂચ પોલીસની એક ટીમ વેરાવળ પહોંચી છે અને ત્યાં તપાસ કરી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે મનરેગા કૌભાંડમાં ભરૂચના જંબુસર આમોદ અને હાસોટ તાલુકાના 56 ગામોમાં રૂપિયા 7 કરોડથી વધુનું કૌભાંડ આચારાયુ હોવાની પોલીસ ફરિયાદ નોંધાઇ હતી ત્યારબાદ ભરૂચ પોલીસ દ્વારા સીટની રચના કરવામાં આવી હતી અને સીટ દ્વારા તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. હીરા જોટવાના અધિકારીઓ અને કર્મચારીઓ સાથેના સંબંધોની પણ તપાસ કરવામાં આવી રહી છે.આ ઉપરાંત કોની કોની સાથે નાણાકીય લેવડ-દેવડ થઈ હતી તે સહિતની વિગતો મેળવવા પોલીસે કમર કસી છે. તો બીજી તરફ મટીરીયલ સપ્લાય કરવા કોના વાહનો આવતા હતા એ સહિતની પણ વિગતો પોલીસ દ્વારા મેળવવામાં આવી રહી છે.

Read the Next Article

ભરૂચ: દાંડિયા બજારમાં યુવાને મિલકતના ઝઘડામાં ગળુ કાપી આપઘાતનો કર્યો પ્રયાસ, ગંભીર હાલતમાં સારવાર અર્થે ખસરડાયો

ચેતન પટેલે પોતાના ગળે ચપ્પુનો ઘા માર્યો અને તે લોહીલુહાણ હાલતમાં મળી આવ્યો હતો.ગંભીર રીતે ઇજાગ્રસ્ત ચેતન પટેલને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ બાદ સુરત ખસેડવામાં આવ્યો છે.

New Update
  • ભરૂચના દાંડિયા બજારનો બનાવ

  • યુવાને આપઘાતનો કર્યો પ્રયાસ

  • ગળુ કાપી આપઘાતનો પ્રયાસ કર્યો

  • મિલકતના ઝઘડામાં જીવન ટૂંકાવવા પ્રયાસ કર્યો

  • એ ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી

ભરૂચના દાંડિયાબજાર વિસ્તારમાં મિલ્કતના ઝઘડામાં યુવાને પોતાનું ગળું કાપી નાખતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવાનને ભરૂચ સિવિલ બાદ વધુ સારવાર માટે સુરત ખસેડાયો છે.
ભરૂચના દાંડિયાબજારમાં મિલ્કતના ઝઘડા વચ્ચે ચોંકાવનારી ઘટના સામે આવી છે. 10 વર્ષથી ચાલતી કાયદાકીય લડત બાદ કંટાળેલા સ્થાનિક યુવાન ચેતન પટેલે ગતરોજ બપોરે ઘરમાં એકલો હોવા દરમિયાન આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ચેતન પટેલે પોતાના ગળે ચપ્પુનો ઘા માર્યો અને તે લોહીલુહાણ હાલતમાં મળી આવ્યો હતો.ગંભીર રીતે ઇજાગ્રસ્ત ચેતન પટેલને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ બાદ સુરત ખસેડવામાં આવ્યો છે.
હાલ ચેતનની સ્થિતિ નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે.આ અંગે એ ડિવિઝન પોલીસે ઇજાગ્રસ્તના પરિવારજનોની જાણવા જોગ ફરિયાદ લઇ વધુ તપાસ હાથ ધરી છે. ઇજાગ્રસ્ત ચેતન સભાન અવસ્થામાં આવ્યા બાદ પોલીસ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવશે.