ભરૂચ:બોર્ડની પરીક્ષા દરમ્યાન ટ્રાફિકમાં ફસાયેલ વિદ્યાર્થીઓને પોલીસ પરીક્ષા કેન્દ્ર પર પહોંચાડશે, આ નંબર પર કરો કોલ

ભરૂચ જિલ્લામાં બોર્ડની પરીક્ષા દરમિયાન કોઈ વિદ્યાર્થી ટ્રાફિક જામમાં ફસાઈ તો તેને પોલીસ દ્વારા પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવામાં આવશે આ માટે હેલ્પલાઇન નંબર પણ શરૂ કરવામાં આવ્યો છે.

New Update
  • ભરૂચ પોલીસનો સરાહનીય અભિગમ

  • બોર્ડની પરીક્ષાના વિદ્યાર્થીઓની કરશે મદદ

  • ટ્રાફિકમાં વિદ્યાર્થી ફસાસે તો પોલીસ આવશે મદદે

  • વિદ્યાર્થીને પરીક્ષા કેન્દ્ર સુધી સમયસર પહોંચાડશે

  • હેલ્પલાઈન નં. ૦૨૬૪૨- ૨૨૩૦૮૪/ ૦૨૬૪૨ - ૨૨૩૩૦૩ પર કરો કોલ

Advertisment
ભરૂચ જિલ્લામાં બોર્ડની પરીક્ષા દરમિયાન કોઈ વિદ્યાર્થી ટ્રાફિક જામમાં ફસાઈ તો તેને પોલીસ દ્વારા પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવામાં આવશે આ માટે હેલ્પલાઇન નંબર પણ શરૂ કરવામાં આવ્યો છે.
બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓ સમયસર પોતાના પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચી શકે તે માટે ભરૂચ જિલ્લા પોલીસની  ટ્રાફિક શાખા દ્વારા તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થાણા ઈન્ચાર્જની આગેવાનીમાં પોલીસ કર્મીઓની ટીમો બનાવવામાં આવી છે. વિદ્યાર્થી ટ્રાફિક સમસ્યામાં ફસાઈ તો તેવા સમયમાં તેઓએ હેલ્પલાઈન નં. ૦૨૬૪૨- ૨૨૩૦૮૪  તેમજ  ૦૨૬૪૨ - ૨૨૩૩૦૩ ઉપર કોલ કરવો.નજીકના વિસ્તારની ટીમ દ્વારા કોઈ વિદ્યાર્થી ટ્રાફિકમાં ફસાય હોય તો તેને ઓન ડ્યુટી એક્ષ્ઝામ વ્હીકલ દ્નારા પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવામાં મદદ પૂરી પાડશે. તે ઉપરાંત ટ્રાફિક સિગ્નલ ઉપર ફરજ બજાવતા પોલીસકર્મીઓ પણ વિદ્યાર્થીને તમામ પ્રકારની મદદ પહોચાડશે.
Advertisment
Read the Next Article

ભરૂચ: મનરેગા કૌભાંડમાં હાંસોટના 4 ગામોમાં પોલીસની તપાસ, પંચકેસ સહિતની પ્રક્રિયા પૂર્ણ કરાય

ભરૂચમાં પણ મનરેગા કૌભાંડ બહાર આવ્યું છે.જેમાં બે એજન્સીએ મળી 11 ગામોમાં મનરેગા હેઠળ થયેલા કામોમાં ગેરરીતિ આચરી રૂપિયા 19.64 લાખ સરકાર પાસે વસૂલ્યા હોવાની પોલીસ ફરિયાદ નોંધાય 

New Update
  • ભરૂચમાં બહાર આવ્યું મનરેગા કૌભાંડ

  • 3 તાલુકાના ગામોમાં કૌભાંડ આચરાયું

  • પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો

  • ગામોમાં પંચકેસ સહિતની પ્રક્રિયા શરૂ કરાય

  • 9 પોલીસકર્મીઓનો તપાસ ટીમમાં સમાવે સમાવેશ થાય છે 

Advertisment

 

ભરૂચ જિલ્લામાં બહાર આવેલ મનરેગા કૌભાંડમાં પોલીસની ટીમ દ્વારા આજરોજ હાંસોટ તાલુકાના 4 ગામોમાં તપાસ કરી પંચકેસ સહિતની કાર્યવાહી કરી હતી ભરૂચમાં પણ મનરેગા કૌભાંડ બહાર આવ્યું છે.જેમાં બે એજન્સીએ મળી 11 ગામોમાં મનરેગા હેઠળ થયેલા કામોમાં ગેરરીતિ આચરી રૂપિયા 19.64 લાખ સરકાર પાસે વસૂલ્યા હોવાની પોલીસ ફરિયાદ નોંધાય  હતી.આ બે એજન્સીઓમાં વેરાવળની જલારામ એન્ટરપ્રાઇઝ અને મુરલીધર એજન્સીનો સમાવેશ થાય છે. આ મામલે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

ભરૂચ જિલ્લા પોલીસવડા મયુર ચાવડા દ્વારા સ્પેશિયલ ટીમ બનાવવામાં આવી છે. જેમાં 3 અધિકારીઓ અને 6 પોલીસકર્મીઓનો સમાવેશ થાય છે. આ અંગે તપાસ અધિકારી આર.એમ.વસાવાએ જણાવ્યુ હતું કે ટીમ દ્વારા આજરોજ હાંસોટ તાલુકાના સમલી, કંટીયાજાળ, બોલાવ અને સુણેવખુદ ગામમાં તપાસ કરવામાં આવી હતી.પોલીસકર્મીઓ દ્વારા પંચકેસ સહિતની કાર્યવાહી કરવામાં આવી છે.ભરૂચ જિલ્લાના કુલ 56 ગામોમાં 7.30 કરોડનું કૌભાંડ આચરાયુ હોવાની આશંકા પોલીસ ફરિયાદમાં વ્યક્ત કરવામાં આવી છે જેમાં હાંસોટ તાલુકાના સૌથી વધુ ગામોનો સમાવેશ થાય છે.

Advertisment