ભરૂચ: મીની વાવાઝોડાના કારણે 246 ફીડર પર વીજ પુરવઠો થયો હતો ઠપ્પ, DGVCLને 800 ફરિયાદ મળી

મીની વાવાઝોડાની પરિસ્થિતિએ જન જીવનને અસર પહોંચાડી હતી.ભારે પવન અને વરસાદના કારણે વીજ પુરવઠો બંધ થવાના બનાવો નોંધાયા હતા, જેમાં કુલ 11 કિલોવોટનાં આશરે 246 ફીડરો ખોરવાયા હતા

New Update
  • ભરૂચમાં ફૂંકાયું હતું વાવાઝોડું

  • વીજ પુરવઠાને પહોંચી અસર

  • અનેક ફીડર થયા ઠપ્પ 

  • વીજ કંપનીને 800 ફરિયાદ મળી

  • યુદ્ધના ધોરણે કામગીરી પૂર્ણ કરાય

ભરૂચ અને નર્મદા જિલ્લામાં ફંકાયેલ મીની વાવાઝોડા ના કારણે વીજ પુરવઠાને વ્યાપક અસર પહોંચી હતી જેમાં કુલ 246 ફીડર ઉપર વીજ પુરવઠો ઠપ્પ થયો હતો
ભરૂચ અને નર્મદા જિલ્લામાં મીની વાવાઝોડાની પરિસ્થિતિએ જન જીવનને અસર પહોંચાડી હતી.ભારે પવન અને વરસાદના કારણે વીજ પુરવઠો બંધ થવાના બનાવો નોંધાયા હતા, જેમાં કુલ 11 કિલોવોટનાં આશરે 246 ફીડરો ખોરવાયા હતા. આ સ્થિતિને તાત્કાલિક સંભાળવા માટે DGVCLની અંદર 50થી વધુ વિભાગીય અને 33 કોન્ટ્રાક્ટ ટીમો તૈનાત કરવામાં આવી હતી.
ઇજનેરો અને ટેકનિકલ કર્મચારીઓએ સતત દિવસ-રાત કામ કરીને ખોરવાયેલા વીજ થાંભલાઓ અને લાઇનોની સમારકામ કામગીરી હાથ ધરી હતી.ભરૂચ શહેરના 25 જેટલા ફીડરોને પ્રાથમિકતા આપી ઝડપથી પુનઃસક્રિય કરવામાં આવ્યા હતા.બીજા જ દિવસે સાંજ સુધી સમગ્ર વિસ્તારનો વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં આવ્યો હતો.DGVCLએ પરિસ્થિતિના સંકલન અને દેખરેખ માટે ભરૂચ સર્કલ ઓફિસમાં કંટ્રોલ રૂમ પણ સ્થાપિત કર્યો હતો.
આ સમયગાળા દરમિયાન આશરે 1200થી વધુ ગ્રાહકોની ફરિયાદો પ્રાપ્ત થઈ હતી જેમાંથી 800 જેટલી તાત્કાલિક ઉકેલવામાં આવી હતી.ભરૂચ સર્કલના અધિક્ષક ઇજનેર એચ.આર. મોદીએ માહિતી આપી કે અતિવૃષ્ટિ અને પવનના કારણે ઘણા વિસ્તારોમાં વૃક્ષો અને હોર્ડિંગ્સ વીજ લાઈનો પર પડતા ભારે નુકસાન થયું હતું.
Read the Next Article

ભરૂચ : વરસાદની શરૂઆત સાથે જ ખેડૂતો ખરીફ પાકના વાવેતરમાં જોડાયા,730 હેકટરથી વધુ પિયત કપાસનું કરાયું વાવતેર

ભરૂચ જિલ્લામાં આ વર્ષે પ્રથમ સપ્તાહમાં 551 હેક્ટરમાં વાવેતર થયું છે. પરંતુ પૂરતો વરાપ ન નીકળવાના કારણે આ વર્ષે 439 હેક્ટર ઓછું વાવેતર થયું છે.

New Update
  • ચોમાસાની શરૂઆતથી ખેડૂતોમાં ખુશી

  • પિયત કપાસનું વાવેતર કરાયું શરૂ

  • 730 હેક્ટરમાં કપાસનું વાવેતર

  • હાંસોટમાં 150 હેક્ટરમાં કરાયું વાવેતર

  • કપાસ અને તુવેર સહિતના પાકની વાવણી   

ભરૂચ જિલ્લામાં ચોમાસાની શરૂઆત સાથે ખેડૂતોએ ખરીફ વાવેતરની કામગીરી શરૂ કરી છે. અત્યાર સુધીમાં 730 હેક્ટરથી વધુ વિસ્તારમાં પિયત કપાસનું વાવેતર કરવામાં આવ્યું છે.

ભરૂચ જિલ્લામાં જૂન મહિનાના પ્રથમ સપ્તાહથી ચોમાસુ વાવેતરની શરૂઆત થાય છે. પિયતની સુવિધા ધરાવતા ખેડૂતો સૌ પ્રથમ કપાસનું વાવેતર કરે છે. ગત વર્ષે જૂનના બે સપ્તાહમાં 990 હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું હતું. આ વર્ષે પ્રથમ સપ્તાહમાં 551 હેક્ટરમાં વાવેતર થયું છે. પરંતુ પૂરતો વરાપ ન નીકળવાના કારણે આ વર્ષે 439 હેક્ટર ઓછું વાવેતર થયું છે.જોકે બે સપ્તાહ મળીને 730 હેક્ટરમાં કપાસનું વાવેતર કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.

ભરૂચ જિલ્લામાં સૌથી વધુ વાવેતર હાંસોટ તાલુકામાં 150 હેક્ટર વિસ્તારમાં થયું છે. વાગરા અને વાલિયા તાલુકામાં હજુ વાવેતરની શરૂઆત થઈ નથી. જૂન મહિનાના અંત સુધીમાં 5 હજાર હેક્ટરથી વધુ વિસ્તારમાં વાવેતર થવાનું અનુમાન ખેડૂતો લગાવી રહ્યા છે.

ખેડૂતોના જણાવ્યા મુજબવરસાદને કારણે ખેતરો વાવેતર માટે તૈયાર કરી દેવામાં આવ્યા છે. કપાસ અને તુવેર જેવા પાકની વાવણી ચાલુ છે. ગત વર્ષે અતિવૃષ્ટિના કારણે પ્રથમ વાવેતર નિષ્ફળ ગયું હતું. આ વર્ષે સારો વરસાદ અને યોગ્ય વરાપ મળે તો સારા પાકની આશા છે. આખી સિઝનમાં 30 ઇંચ જેટલો વરસાદ પડે તો સારો પાક થઈ શકે છે.