ભરૂચ: આલિયાબેટની જમીન ખાનગી કંપનીને ફાળવવાની હિલચાલનો વિરોધ, ભાડભૂત બેરેજ અસરગ્રસ્તોએ કલેકટરને પાઠવ્યુ આવેદનપત્ર

ભરૂચ જિલ્લા સમસ્ત માછી સમાજ દ્વારા ભાડભૂત બેરેજથી હજારો માછીમાર પરિવારોને થઈ રહેલા નુકશાનના આક્ષેપ સાથે કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું

New Update
  • ભરૂચકલેકટરને આવેદનપત્ર પાઠવ્યું

  • સમસ્ત માછી સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવાયું

  • આલિયા બેટની જમીન ખાનગી કંપનીને ફાળવવાનો વિરોધ

  • ભાડભુત બેરેજ અસરગ્રસ્તોને જમીનફાળવવા માંગ

  • માંગ ન સ્વીકારાય તો આંદોલનની ચીમકી

ભરૂચ જિલ્લા સમસ્ત માછી સમાજ દ્વારા ભાડભૂત બેરેજથી હજારો માછીમાર પરિવારોને થઈ રહેલા નુકશાનના આક્ષેપ સાથે કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું
ભરૂચ જિલ્લા સમસ્ત માછી સમાજ દ્વારા આજરોજ કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર ભાડભૂત બેરેજના અસરગ્રસ્ત માછીમાર પરિવારોની વૈકલ્પિક રોજગારી માટે અલિયાબેટની જે જમીનો ફાળવણી માટેની દરખાસ્ત ચાલી રહી છે તેમ છતાં હજારો અસરગ્રસ્ત માછીમાર પરિવારોની અવગણના કરીને તે જ જમીનો કચ્છ-ગાંધીધામની બે કંપનીને ફાળવણી કરી દેવાની એકતરફી  કાર્યવાહી થઈ રહી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.
સાથે જ  અસરગ્રસ્ત માછીમાર સમાજ માટે અલિયાબેટની જમીનોની ફાળવણી કરવામાં નહિ આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારવામા આવી છે.આ તરફ નર્મદા નદીની એસ્ચ્યુરીમાં માછલીઓના બ્રિડીગ ગ્રાઉન્ડ અને માછીમારોના ફિશિંગ ગ્રાઉન્ડ વિસ્તાર પર ચાલી રહેલા ભાડભૂત બેરેજના કામથી માછીમારોની રોજગારીનું મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહેલુ છે અને તે નુકશાન અટકાવવું જરૂરી છે અને માછીમારોને થઈ રહેલા નુકશાનની ભરપાઈ કરવાની માંગ કરવામાં આવી છે
Read the Next Article

અંકલેશ્વર: NH 48 પર ટ્રાફિકજામની રોજિંદી સમસ્યા, બિસ્માર માર્ગોના પગલે સમસ્યા

અંકલેશ્વર નેશનલ હાઇવે પર  આમલાખાડી પરના બિસ્માર બ્રિજ અને હાઇવેનો માર્ગ ખખડધજ બનતા સતત ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. અંકલેશ્વર નેશનલ હાઇવે

New Update
MixCollage-09-Jul-2025-08-21-PM-8778

અંકલેશ્વર નેશનલ હાઇવે પર  આમલાખાડી પરના બિસ્માર બ્રિજ અને હાઇવેનો માર્ગ ખખડધજ બનતા સતત ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે.

અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર આવેલ આમલાખાડી પરનો બ્રિજ છેલ્લા ઘણા સમયથી બિસ્માર બન્યો છે.બીજી તરફ ચોમાસુ જામતા જ હાઇવે પર ખાડાઓની ભરમાર છે.તેવામાં રોજેરોજ ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થતા વાહન ચાલકો હેરાન પરેશાન બન્યા છે.વાહનોનું ભારણ અને બ્રિજ જર્જરિત,રસ્તા પર ખાડાઓ પડતા વાહન ચાલકો પોતાનો કિંમતી સમય સાથે ઇંધણ બગાડી રહ્યા છે.દિવસે દિવસે માથાના દુખાવા સમાન બનેલ આ ટ્રાફિકની સમસ્યા હલ કરવામાં આવે તે જરૂરી છે.તંત્ર યોગ્ય નિરાકરણ લાવે એવી વાહનચાલકો માંગ કરી રહ્યા છે