ભરૂચ: આલિયાબેટની જમીન ખાનગી કંપનીને ફાળવવાની હિલચાલનો વિરોધ, ભાડભૂત બેરેજ અસરગ્રસ્તોએ કલેકટરને પાઠવ્યુ આવેદનપત્ર

ભરૂચ જિલ્લા સમસ્ત માછી સમાજ દ્વારા ભાડભૂત બેરેજથી હજારો માછીમાર પરિવારોને થઈ રહેલા નુકશાનના આક્ષેપ સાથે કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું

New Update
  • ભરૂચકલેકટરને આવેદનપત્ર પાઠવ્યું

  • સમસ્ત માછી સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવાયું

  • આલિયા બેટની જમીન ખાનગી કંપનીને ફાળવવાનો વિરોધ

  • ભાડભુત બેરેજ અસરગ્રસ્તોને જમીનફાળવવા માંગ

  • માંગ ન સ્વીકારાય તો આંદોલનની ચીમકી

ભરૂચ જિલ્લા સમસ્ત માછી સમાજ દ્વારા ભાડભૂત બેરેજથી હજારો માછીમાર પરિવારોને થઈ રહેલા નુકશાનના આક્ષેપ સાથે કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું
ભરૂચ જિલ્લા સમસ્ત માછી સમાજ દ્વારા આજરોજ કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર ભાડભૂત બેરેજના અસરગ્રસ્ત માછીમાર પરિવારોની વૈકલ્પિક રોજગારી માટે અલિયાબેટની જે જમીનો ફાળવણી માટેની દરખાસ્ત ચાલી રહી છે તેમ છતાં હજારો અસરગ્રસ્ત માછીમાર પરિવારોની અવગણના કરીને તે જ જમીનો કચ્છ-ગાંધીધામની બે કંપનીને ફાળવણી કરી દેવાની એકતરફી  કાર્યવાહી થઈ રહી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.
સાથે જ  અસરગ્રસ્ત માછીમાર સમાજ માટે અલિયાબેટની જમીનોની ફાળવણી કરવામાં નહિ આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારવામા આવી છે.આ તરફ નર્મદા નદીની એસ્ચ્યુરીમાં માછલીઓના બ્રિડીગ ગ્રાઉન્ડ અને માછીમારોના ફિશિંગ ગ્રાઉન્ડ વિસ્તાર પર ચાલી રહેલા ભાડભૂત બેરેજના કામથી માછીમારોની રોજગારીનું મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહેલુ છે અને તે નુકશાન અટકાવવું જરૂરી છે અને માછીમારોને થઈ રહેલા નુકશાનની ભરપાઈ કરવાની માંગ કરવામાં આવી છે
Read the Next Article

અંકલેશ્વર નગરપાલિકા દ્વારા રખડતા ઢોર પકડવાની ડ્રાઇવનો પ્રારંભ, ઢોર ડબ્બામાં 14 રખડતા ઢોર પુરાયા....

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં રખડતાં ઢોરની વિકટ સમસ્યા મામલે નગરપાલિકા તંત્ર એક્શનમાં આવ્યું છે. જેમાં ટ્રાફિકને અડચણરૂપ રખડતા ઢોર પકડી અંકલેશ્વર નગરપાલિકાના ઢોર ડબ્બામાં પુરવામાં આવ્યા હતા.

New Update
stray cattlessss

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં રખડતાં ઢોરની વિકટ સમસ્યા મામલે નગરપાલિકા તંત્ર એક્શનમાં આવ્યું છે. જેમાં ટ્રાફિકને અડચણરૂપ રખડતા ઢોર પકડી અંકલેશ્વર નગરપાલિકાના ઢોર ડબ્બામાં પુરવામાં આવ્યા હતા.

ભરૂચ સહિત અંકલેશ્વરમાં રખડતાં ઢોરની વિકટ સમસ્યા માથાના દુઃખાવા સમાન બની ગઈ છે, ત્યારે રખડતા ઢોર મામલે અંકલેશ્વર નગરપાલિકા તંત્ર એક્શનમાં આવ્યું છે. અંકલેશ્વર નગરપાલિકાના ચીફ ઓફિસર કેશવલાલ કોલડિયાના માર્ગદર્શન હેઠળ શહેરમાં રખડતા ઢોર પકડવાની ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. જેમાં ટ્રાફિકને અડચણરૂપ રખડતા ઢોર પકડી અંકલેશ્વર નગરપાલિકાના ઢોર ડબ્બામાં પુરવામાં આવ્યા હતા. જેમાં ગાય અને વાછરડા સહિત 14 રખડતા ઢોરને ઢોર ડબ્બામાં પુરવામાં આવ્યા હતા. અંકલેશ્વર નગરપાલિકા સેનેટરી ઇન્સ્પેક્ટર રઘુવીરસિંહ મહીડાની રાહબરી હેઠળ સેનીટેશન ખાતાના 4 સુપરવાઈઝર અને 1 મુકાદમ સહિત 5 શ્રમિકો દ્વારા ઢોર પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તો બીજી તરફ, અંકલેશ્વર નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા પશુ પાલકોને તાકીદ કરવામાં આવે છે કે, તમારા પશુઓને ઘરે બાંધીને રાખો અને એને જાહેર રસ્તા ઉપર રખડતા છોડવા નહીં. જો તઓને આપેલ સૂચનાનું પાલન કરવામાં આવશે નહીં, તો જે તે પશુપાલકો વિરુદ્ધ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.