ભરૂચ: વસ્તી દિવસની ઉજવણીના ભાગરૂપે જનજાગૃતિ રેલીનું આયોજન, આરોગ્યકર્મીઓ જોડાયા

ભરૂચ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા વસ્તી દિવસ નિમિત્તે જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં આરોગ્યકર્મીઓ જોડાયા હતા

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

  • આરોગ્ય વિભાગ દ્વારા આયોજન

  • જનજાગૃતિ રેલીનું આયોજન

  • આરોગ્યકર્મીઓ જોડાયા

  • પેમ્પ્લેટનું વિતરણ કરાયુ

ભરૂચ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા વસ્તી દિવસ નિમિત્તે જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં આરોગ્યકર્મીઓ જોડાયા હતા
ભરૂચ જિલ્લા હેલ્થ સોસાયટી અને આરોગ્ય શાખા દ્વારા વસ્તી ગણતરી દિવસની  ઉજવણી કરવામાં આવી. આરોગ્ય અધિકારી ડૉ. જે.એસ દુલેરાના માર્ગદર્શન હેઠળ  ભરૂચ રેલવે સ્ટેશનથી સિવિલ હોસ્પિટલ તાલીમ કેન્દ્ર સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતુ.આ કાર્યક્રમમાં આરોગ્ય વિભાગની ટીમ, નર્સિંગ સ્ટાફ અને અન્ય આરોગ્યકર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.રેલી દરમિયાન નાગરિકોને માહિતગાર કરવા માટે પેમ્પ્લેટનું વિતરણ અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા. ભરૂચ આરોગ્ય વિભાગે વસ્તી દિવસ નિમિત્તે આરોગ્ય ક્ષેત્રે સકારાત્મક સંદેશો પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો.
Latest Stories