ભરૂચ:રાજપૂત હિતવર્ધક મંડળ દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવાયું, નવરાત્રીમાં હોસ્ટેલ ગ્રાઉન્ડમાં પાર્કિંગની વ્યવસ્થા કરવા માંગ

ગુજરાત રાજપુત હિતવર્ધક મંડળ દ્વારા ભરૂચમાં આયોજિત ગરબા મહોત્સવ દરમિયાન હોસ્ટેલ ગ્રાઉન્ડમાં પાર્કિંગના પ્રશ્ન બાબતે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતું

New Update

ભરૂચ કલેકટરને પાઠવાયું આવેદનપત્ર

રાજપૂત હિતવર્ધક મંડળ દ્વારા આવેદનપત્ર પાઠવાયું

હોસ્ટેલ ગ્રાઉન્ડમાં નવરાત્રી દરમ્યાન પાર્કિંગની વ્યવસ્થા કરવા માંગ

સંસ્થાના દ્વારને જોડતો મુખ્ય રસ્તો પણ ચાલુ રાખવા માંગ

સમાજના આગેવાનો અને સભ્યો જોડાયા

ગુજરાત રાજપુત હિતવર્ધક મંડળ દ્વારા ભરૂચમાં આયોજિત ગરબા મહોત્સવ દરમિયાન હોસ્ટેલ ગ્રાઉન્ડમાં પાર્કિંગના પ્રશ્ન બાબતે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતું
શ્રી ગુજરાત રાજપૂત હિતવર્ધક મંડળ દ્વારા ભરૂચ કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર રાજપૂત છાત્રાલયના ગ્રાઉન્ડમાં હોસ્ટેલ ગ્રાઉન્ડની બાજુમાં સંસ્થાની મહિલા સમિતિ દ્વારા નવરાત્રીમાં માતાજીની આરાધના માટે છેલ્લા ૭ વર્ષથી ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. જો કે ગ્રાઉન્ડ નાનું હોવાના કારણે હોસ્ટેલ ગ્રાઉન્ડનો ઉપયોગ પાર્કિંગ માટે કરવામાં આવે છે. આ વર્ષે હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે પોલીસ વેલ્ફેર સોસાયટી દ્વારા પણ જાહેર નવરાત્રી મોહોત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે. જેથી રાજપૂત છાત્રાલયમાં આયોજિત ગરબા માટે વાહનોના પાર્કિંગનો પ્રશ્ન ઉપસ્થિત થયો છે. અગાઉના વર્ષોમાં જે સ્થળે પાર્કિંગનું આયોજન કરવામાં આવતું હતું તે જગ્યા એ આ વર્ષે પણ પાર્કિંગ થાય જે માટે પ્રયોજન કરવા વિનંતી છે. વિશેષમાં સંસ્થાના મુખ્ય દ્વારનો રસ્તો એટલે કે ICICI બેંકથી કલામંદિર જવેલર્સનો રસ્તો બંધ રાખવાનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જેના કારણે સંસ્થામાં આવન જાવન સદંતર બંધ થઈ જાય છે.આથી આ જાહેરનામાને નવરાત્રી પર્વ પૂરતું મુલતવી રાખવા વિનંતી  કરવામાં આવી છે
Read the Next Article

ભરૂચ: રથયાત્રાના પર્વને અનુલક્ષી પોલીસ દ્વારા ફ્લેગમાર્ચનું આયોજન કરાયુ

ભરૂચમાં અષાઢી બીજ ના રોજ નીકળનાર ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને પોલીસ વિભાગ એક્શનમાં આવ્યુ છે.જેના ભાગરૂપે ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું

New Update

ભરૂચમાં નિકળશે ભગવાન જગન્નાથની રથયાત્રા

અષાઢી બીજના રોજ રથયાત્રાનું આયોજન

પોલીસ દ્વારા ચાપતો બંદોબસ્ત ગોઠવાશે

એ અને બી ડિવિઝન પોલીસ દ્વારા ફ્લેગમાર્ચ યોજાય

ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ જોડાયા

ભરૂચમાં અષાઢી બીજ ના રોજ નીકળનાર ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને પોલીસ વિભાગ એક્શનમાં આવ્યુ છે.જેના ભાગરૂપે ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું
ભરૂચમાં અષાઢી બીજ નિમિત્તે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળશે ત્યારે રથયાત્રાના ઉત્સવ પ્રસંગે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્રએ કમરકસી છે. જેના ભાગરૂપે ભરૂચ શહેર એ અને બી ડિવિઝન પોલીસ દ્વારા ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફ્લેગમાર્ચ શહેરના ફુરજા વિસ્તારમાં આવેલ જગન્નાથ મંદિરેથી નીકળી રવિવારી બજાર, સોની ફળિયુ, લાલ બજાર, લલ્લુભાઈ ચકલાથી હાથીખાના બજાર થઈ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પહોંચી હતી જેમાં મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ જોડાયા હતા. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પણ હાજરી આપી શહેરીજનોને સુરક્ષા અને શાંતિનો અનુભવ કરાવ્યો હતો.