ભરૂચ: R&B દ્વારા સતત બીજા દિવસે દબાણ હટાવો ઝુંબેશ, કોલેજ રોડ પરની હોટલોના દબાણ હટાવાયા

ભરૂચમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા સતત બીજા દિવસે દબાણ હટાવો ઝુંબેશ ધરવામાં આવી હતી જેમાં કોલેજ રોડ પરની હોટલોના ગેરકાયદેસર દબાણો દૂર કરાયા

New Update
  • ભરૂચમાં હાથ ધરાય ઝુંબેશ

  • દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરાય

  • માર્ગ અને મકાન વિભાગ દ્વારા દબાણો હટાવાયા

  • કોલેજ રોડની હોટલોના દબાણ દૂર કરાયા

  • પોલીસ બંદોબસ્ત સાથે રખાયો 

ભરૂચમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા સતત બીજા દિવસે દબાણ હટાવો ઝુંબેશ ધરવામાં આવી હતી જેમાં કોલેજ રોડ પરની હોટલોના ગેરકાયદેસર દબાણો દૂર કરાયા હતા

ભરૂચમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરવામાં આવી છે ત્યારે આજે સતત બીજા દિવસે શહેરના કોલેજ રોડથી એબીસી સર્કલ સુધીના માર્ગ પર ઉભા કરાયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા.ખાસ કરીને કોલેજ રોડ પર દ્વારકાધીશ ટી સ્ટોલ અને ખેતલાઆપા નામની હોટલોના ગેરકાયદેસર દબાણો હટાવી દેવામાં આવ્યા હતા જેના કારણે માર્ગ ખુલ્લો થયો હતો માર્ગના મધ્યથી 22 મીટર સુધીના દબાણો હટાવવામાં આવ્યા હતા.

દબાણ હટાવતા સમયે ઘર્ષણ ન સર્જાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ સાથે રાખવામાં આવ્યો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે દ્વારકાધીશ હોટલ અને ખેતલાઆપા ટી સ્ટોલ પર અનેકવાર વાહનોના પાર્કિંગ બાબતે માથાકૂટના દ્રશ્યો સામે આવ્યા હતા ત્યારે તંત્રએ કડક હાથે કાર્યવાહી કરી ગેરકાયદેસર દબાણો દૂર કર્યા છે.

Read the Next Article

અંકલેશ્વર: ONGCમાં નોકરીના બહાને રૂ.1.84 કરોડની છેતરપીંડીમાં ફરિયાદી જ આરોપી નિકળ્યો, પોલીસે કરી ધરપકડ

આરોપીએ વ્યક્તી દીઠ બે થી અઢી લાખ રૂપિયા લઇ ONGC કંપનીમાં હજીરા, મહેસાણા તથા ખંભાત ખાતે નોકરીએ લગાડવાની લાલચ આપી અનેક લોકોને ફસાવ્યા હતા...

New Update
ONGC Fraud
અંકલેશ્વર ONGC માં અલગ અલગ સ્થળે 90 લોકોને નોકરીની લાલચ આપી 1.84 કરોડની ઠગાઈમાં વોન્ટેડ આરોપી ઝડપાતા ફરિયાદી પણ આરોપી હોવાનો થયો ધડાકો અંકલેશ્વરની ONGC કંપનીમાં સિક્યોરિટીમાં રાજ્યમાં અલગ અલગ સ્થળે નોકરીની લાલચે 90થી વધુ લોકો સાથે આચરાયેલા રૂપિયા 1.84 કરોડના કૌભાંડમાં ફરિયાદી પણ આરોપી નીકળ્યો છે. 
અંકલેશ્વરની અમૃતકુંજ સોસાયટીમાં રહેતા ફરિયાદી એવા આરોપી ઘનશ્યામસીધ રાજપુતની અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે ધરપકડ કરી લીધી છે. વર્ષ 2022 થી 2024 માં વિરાટ નગર રહેતા ઓગસ્ત હરદેવ પાંડે એ પોતે નેશનલ ઇન્વેસ્ટીગેશન સિક્યુરીટી સર્વીિસ NISS કંપનીના મેનેજર તરીકેની ખોટી ઓળખ આપી હતી. વ્યક્તી દીઠ બે થી અઢી લાખ રૂપિયા લઇ ONGC કંપનીમાં હજીરા, મહેસાણા તથા ખંભાત ખાતે નોકરીએ લગાડવાની લાલચમાં લોકોને ફસાવ્યા હતા.
NISS કંપનીના બોગસ જોઇનીંગ લેટર અને આઇ કાર્ડ બનાવી તેનો સાચા તરીકે ઉપયોગ કરી વિશ્વાસમાં લઇ હાલના આરોપી એવા ફરિયાદીના પરિવારના 10 લોકો સહિત કુલ 50 જેટલા લોકો પાસેથી રૂપિયા 1.04 કરોડ પડાવ્યા હતા.સાથે જ ઠાકોરભાઇ આહીર અને તેની સાથેના 40 અન્ય લોકો પાસેથી દરેકના બે લાખ લેખે આશરે ₹80 લઇ નોકરીએ નહિ લગાવી નાસી છૂટ્યો હતો. જે આરોપી અગસ્ત પાંડે પકડાતા તેને પોલીસ સમક્ષ આ કૌભાંડમાં ફરિયાદી એવો ઘનશ્યામ સિંઘ પણ સામેલ હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. એ ડિવિઝન પોલીસે ફરિયાદીની આરોપી તરીકે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.