ભરૂચ: નવાડેરા વિસ્તારમાં આવેલ રાધાવલ્લભ મંદિરમાં પુન: પ્રાણપ્રતિષ્ઠા વિધિ યોજાય

ભરૂચના નવા ડેરા વિસ્તારમાં આવેલ શ્રી રાધા વલ્લભનું મંદિર જીર્ણ થઇ જતાં તેનું પુનઃ નિર્માણ કરવામાં આવ્યું છે ત્યારે આજરોજ મંદિરે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા

New Update
  • ભરૂચના નવા ડેરા વિસ્તારમાં આવેલું છે મંદિર

  • 200 વર્ષ જૂનું છે રાધા વલ્લભનું મંદિર

  • મંદિરનું કરવામાં આવ્યું નવ નિર્માણ

  • આજરોજ પુન: પ્રાણપ્રતિષ્ઠા વિધિ યોજાય

  • વૈષ્ણવ સમાજના સભ્યો ઉપસ્થિત રહ્યા

ભરૂચના નવા ડેરા વિસ્તારમાં આવેલ શ્રી રાધા વલ્લભનું મંદિર જીર્ણ થઇ જતાં તેનું પુનઃ નિર્માણ કરવામાં આવ્યું છે ત્યારે આજરોજ મંદિરે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા
જુના ભરૂચના નવાડેરા વિસ્તારમાં વૃંદાવનના રાધા વલ્લભનું 200 વર્ષ જૂનું પૌરાણિક મંદિર આવેલું છે.સમય જતા આ મંદિર જર્જરીત થઈ ગયું હતું ત્યારે મંદિરનો પુનઃ જીણોધ્ધાર કરવામાં આવ્યો છે ત્યારે આજરોજ મંદિર ખાતે શ્રી રાધા વલ્લભની પ્રતિમાની પુનઃ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.આ સાથે જ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.આ પ્રસંગે મોટી સંખ્યામાં વૈષ્ણવ સમાજના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
Read the Next Article

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ભવ્ય તિરંગા યાત્રા યોજાય, દેશપ્રેમના રંગ જોવા મળ્યા

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા માતરીયા તળાવથી સ્ટેચ્યુ પાર્ક સુધી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે ભરૂચમાં જિલ્લા

New Update

ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

ભાજપ દ્વારા આયોજન કરાયું

તિરંગા યાત્રાનું આયોજન

આગેવાનો અને કાર્યકરો જોડાયા

દેશભક્તિના રંગ જોવા મળ્યા

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા માતરીયા તળાવથી સ્ટેચ્યુ પાર્ક સુધી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. 

સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે ભરૂચમાં જિલ્લા ભાજપ દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, મહામંત્રી નિરલ પટેલ, શહેર પ્રમુખ જતીન શાહ સહિત પક્ષના અગ્રણીઓ, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા. હાથમાં તિરંગો લહેરાવતા કાર્યકરો દેશભક્તિના સૂત્રોચ્ચાર કરતા આગળ વધતા નજરે પડ્યા હતા.ભાજપ દ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત યોજાયેલી આ યાત્રા દરમિયાન શહેરના મુખ્ય માર્ગો પર દેશપ્રેમનો જુસ્સો છલકાતો જોવા મળ્યો હતો. યાત્રામાં દેશભક્તિ ગીતો, સૂત્રોચ્ચારો અને તિરંગાની લહેરાટ સાથે ઉત્સાહનો માહોલ છવાયો હતો.