ભરૂચ: ઝાડેશ્વરના શ્રી ચામુંડા માતાજી મંદિરથી શ્રીપાદ સોસાયટી સુધીના બિસ્માર રોડ બાબતે કરાઈ રજૂઆત

ભરૂચના ઝાડેશ્વર ખાતેના શ્રી ચામુંડા માતાજીના મંદિરથી શ્રીપાદ સોસાયટી સુધીના બિસ્માર રોડ મુદ્દે સ્થાનિક રહીશો દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી હતી.                   

New Update
  • બિસ્માર રોડથી રહીશો ત્રાહીમામ

  • ચામુંડા માતાજીના મંદિરથી શ્રીપાદ સો.સુધીનો રોડ બન્યો બિસ્માર

  • જિલ્લા કલેક્ટરને રહીશોએ પાઠવ્યું આવેદનપત્ર

  • દોઢ વર્ષથી મંજુર થયેલો રોડ હજી સુધી બન્યો નહીં

  • વહેલી તકે રોડ બનાવવામાં આવે તેવી કરાઈ માંગ

ભરૂચના ઝાડેશ્વર ખાતેના શ્રી ચામુંડા માતાજીના મંદિરથી શ્રીપાદ સોસાયટી સુધીના બિસ્માર રોડ મુદ્દે સ્થાનિક રહીશો દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી હતી.                   

ભરૂચ ઝાડેશ્વરના શ્રી ચામુંડા માતાજી મંદિરથી શ્રીપાદ સોસાયટી સુધીના બિસ્માર બનેલ અને દોઢ વર્ષથી મંજુર થયેલ રોડ હજુ ન બનતા રહીશોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી હતી.ઝાડેશ્વર ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં આવતા શ્રી ચામુંડા માતાજી મંદિરથી શ્રીપાદ સોસાયટી જવાના રોડ પર શ્રીજી દર્શન કોમ્પલેક્ષ સોસાયટી,શ્રી નિકેતનમંગલ દર્શન સહિત દસથી પણ વધુ સોસાયટીઓ આવેલી છે.જેમાં દસ હજારથી વધુ લોકો રહે છે .લોકોની સતત અવરજવરથી ધમધમતો આ રોડ અત્યંત બિસ્માર બન્યો છે.ચોમાસા દરમ્યાન પણ પાણી ભરાવા સાથે ખાડા પણ પડતા અકસ્માત પણ સર્જાયા હતા.આ રોડ પર આવેલ વિવિધ સોસાયટીના પ્રમુખો સાથે રહીશોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.

જેમાં જણાવ્યું છે કે વારંવાર લેખિત અને મૌખિક રજૂઆત કરવા છતાં ઝાડેશ્વર ગ્રામ પંચાયતના વહીવટદાર કે જવાબદાર અધિકારી દ્વારા કોઈ નિવારણ કરવામાં આવ્યું નથી.છેલ્લા દોઢ વર્ષ થી અન્ય રોડની સાથે આ રોડની પણ મંજૂરી આપવામાં આવી હોવા છતાં છ - છ વખત ટેન્ડરીંગ કરવા છતાં પણ રોડ બનાવવા કોઈ એજન્સી આવતી ન હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.હાલમાં બિસ્માર બનેલ આ રોડ પર ધૂળ ઉડતા રહીશો ત્રાહીમામ પોકારી  ઊઠયા છે,તો તાત્કાલિક રોડની કામગીરી હાથ ધરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

Read the Next Article

અંકલેશ્વર: નર્મદા નદીમાં 5 યુવાનો ભરતીના પાણીમાં ફસાતા સ્થાનિક નાવિકોએ જીવ બચાવ્યો, બોટમાં કરી રહ્યા હતા ધીંગામસ્તી

અંકલેશ્વર તરફ નર્મદા નદીના કિનારે પાંચ જેટલા યુવાનોને સેલ્ફી અને ધીંગા મસ્તી કરવી ભારે પડી હતી અચાનક જ ભરતીના પાણી ફરી વળતા 5 જેટલા યુવાનો ફસાયા હતા

New Update
  • અંકલેશ્વર નજીક નર્મદા નદીનો બનાવ

  • નર્મદા નદીમાં 5 યુવાનો ફસાયા

  • ભરતીના પાણીમાં ફસાયા

  • સ્થાનિક નાવિકોએ બચાવ્યો જીવ

  • બોટમાં કરી રહ્યા હતા ધીંગામસ્તી

અંકલેશ્વર તરફ નર્મદા નદીના કિનારે પાંચ જેટલા યુવાનોને સેલ્ફી અને ધીંગા મસ્તી કરવી ભારે પડી હતી અચાનક જ ભરતીના પાણી ફરી વળતા 5 જેટલા યુવાનો ફસાયા હતા જેમને સ્થાનિક નાવિકોએ બહાર કાઢી જીવ બચાવ્યો હતો.

અંકલેશ્વરથી ભરૂચને જોડતા નર્મદા મૈયા બ્રિજ પરથી મોતની છલાંગ લગાવવાના કિસ્સા યથાવત છે ત્યારે કેટલાક યુવાનોની જોખમી સેલ્ફી અને ધીંગા મસ્તીનો બનાવ સામે આવ્યો છે. રવિવારની સાંજે કેટલા યુવાનો નર્મદા નદી કિનારે અંકલેશ્વર તરફ પહોંચ્યા હતા જ્યાં લંગારેલી બોટમાં તેઓ સેલ્ફી અને ધીંગામસ્તી કરી રહ્યા હતા. જો કે ભરતીના પાણી આવતા બોટ પાણી વચ્ચે ફસાઈ ગઈ હતી અને યુવાનોના પણ જીવ પડીકે બંધાઈ ગયા હતા.

આ અંગેની જાણ થતાં જ સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીએ અન્ય નાવિકોને જાણ કરતા તેઓ પહોંચ્યા હતા અને નાવિકોએ નદીના પાણીમાં તરી નાવડી સાથે 5 જેટલા યુવાનોને બહાર કાઢી તેમનો જીવ બચાવ્યો હતો. આ અંગે સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીએ જણાવ્યું હતું કે  નર્મદા નદીના ગોલ્ડન બ્રિજના અંકલેશ્વર તરફ રવિવાર અને રજા સહિતના દિવસોમાં મોટી સંખ્યામાં પર્યટકો ઉમટી પડે છે છતાં તંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવતી નથી ત્યારે મોટી દુર્ઘટના બને તો જવાબદાર કોણ એ પ્રશ્ન ઉઠી રહ્યો છે.