ભરૂચ: નિવૃત્ત શિક્ષકોને એક જ સાથે તમામ લાભો અપાયા, શિક્ષણ વિભાગ દ્વારા યોજાયો કેમ્પ

ભરૂચમાં નિવૃત્ત શિક્ષકોના સન્માનમાં  અનોખી પહેલ કરવામાં આવે છે જેમાં એક જ સ્થળે તમામ સેવાકીય લાભોનો તાત્કાલિક મળી રહે એ માટેના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

  • શિક્ષણ વિભાગ દ્વારા આયોજન કરાયું

  • નિવૃત્ત શિક્ષકોને મળી રાહત

  • નિવૃત્તિના તમામ લાભ એક જ સ્થળે અપાયા

  • અધિકારીઓ રહ્યા ઉપસ્થિત

ભરૂચમાં નિવૃત્ત શિક્ષકોના સન્માનમાં  અનોખી પહેલ કરવામાં આવે છે જેમાં એક જ સ્થળે તમામ સેવાકીય લાભોનો તાત્કાલિક મળી રહે એ માટેના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લા શિક્ષણ ક્ષેત્રે દાયકાઓ સુધી સેવા આપ્યા બાદ નિવૃત્ત થતા શિક્ષકોના સન્માનમાં ભરૂચ જિલ્લામાં આજે એક અનોખી અને માનવીય સંવેદનાથી ભરેલી પહેલ કરવામાં આવી. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી  સચિન શાહની આગેવાની હેઠળ યોજાયેલા વિશિષ્ટ સમારોહમાં ૫૫ જેટલા નિવૃત્ત શિક્ષકોને સિંગલ વિન્ડો સિસ્ટમ મારફતે તેમની નિવૃત્તિ સંબંધિત તમામ સેવાકીય લાભો તાત્કાલિક રીતે એક જ સ્થળે આપવામાં આવ્યા હતા.તમામ લાભો જેમ કે પેન્શન, ગ્રેચ્યુઇટી, પીએફ વગેરે  વિલંબ વિના સરળતાથી મળી રહે તે હેતુસર આ પહેલ હાથ ધરવામાં આવી.સમારોહમાં જિલ્લા વિકાસ અધિકારી, નાયબ જિલ્લા શિક્ષણાધિકારી તેમજ વિવિધ શિક્ષક સંગઠનોના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
Read the Next Article

ભરૂચ: આમોદ ન.પા.માં ભાજપના જ આગેવાન અને કોન્ટ્રાકટરે આત્મવિલોપની ચીમકી ઉચ્ચારી, બાકી પેમેન્ટ માટે ટકાવારી માંગતી હોવાના આક્ષેપ

ભરૂચને આમોદ નગરપાલિકામાં કોન્ટ્રાક્ટર એવા ભાજપના જ આગેવાને બાકી પેમેન્ટ બાબતે 15મી ઓગસ્ટના રોજ આત્મવિલોપન કરી લેવાની ચીમકી ઉચ્ચારતા ખળભળાટ મચી જવા પામ્યો છે

New Update
  • ભરૂચની આમોદ નગરપાલિકાનો વિવાદ

  • કોન્ટ્રાકટરે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી

  • બાકી પેમેન્ટ ન ચૂકવાતા આક્ષેપ

  • શાસકો ટકાવારી માંગતા હોવાના આક્ષેપ

  • પ્રમુખે તમામ આક્ષેપ ફગાવ્યા

ભરૂચ ને આમોદ નગરપાલિકામાં કોન્ટ્રાક્ટર એવા ભાજપના જ આગેવાને બાકી પેમેન્ટ બાબતે 15મી ઓગસ્ટના રોજ આત્મવિલોપન કરી લેવાની ચીમકી ઉચ્ચારતા ખળભળાટ મચી જવા પામ્યો છે સાથે જ નગરપાલિકાના પ્રમુખથી મારી અધિકારીઓ બાકી પેમેન્ટની ચુકવણી માટે ટકાવારી માંગતા હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે.
ભરૂચની આમોદ નગરપાલિકામાં કોન્ટ્રાક્ટર અને ભાજપના જ  રૂ.14.20 લાખનું પેમેન્ટ બાકી હોવા છતાં ચુકવણી ન થતા ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો વચ્ચે કોન્ટ્રાક્ટરે 15મી ઓગષ્ટના રોજ નગરપાલિકા પરિસરમાં આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ભાજપના આગેવાન મૈલેશ મોદી લાંબા સમયથી નગરપાલિકામાં  કોન્ટ્રાકટર તરીકે કામ કરે છે.ભાજપના ન આગેવાન અને કોન્ટ્રાક્ટર મૈલેશ મોદીએ જણાવ્યું હતું 31-10-2023 થી 31-10-2024 દરમિયાન કરેલા સ્વભંડોળના વિકાસ કામોના રૂ.13.10 લાખમાંથી રૂ.12.60 લાખ હજુ બાકી છે, સાથે બીજા સ્વભંડોળના કામની રકમ મેળવી કુલ રૂ.14.20 લાખનું પેમેન્ટ આઠ મહિનાથી અટક્યું છે.
તેઓએ આક્ષેપ કર્યો છે કે બાકી પેમેન્ટ માટે નગરપાલિકાના પ્રમુખ, પદાધિકારીઓ અને અધિકારીઓ ટકાવારી માગે છે.તેમના મુજબ ચીફ ઓફિસર 3%, નગરપાલિકા બોડી 7%, હિસાબી શાખા 3% અને એન્જિનિયર 1% કમિશન લે છે. આ રેશિયો તમામ કોન્ટ્રાક્ટરો માટે નક્કી છે અને નફાકારક કામોમાં સીધો હિસ્સો પણ માંગવામાં આવે છે. 
કોન્ટ્રાકટરે કરેલા આક્ષેપ અંગે આમોદ નગરપાલિકાના પ્રમુખ જલ્પાબેન પટેલે જણાવ્યું હતું કે પેમેન્ટ સ્વભંડોળના અભાવે અટક્યું છે કારણ કે નગરપાલિકાની આવક અને વેરા વસૂલાત ઓછી હોવાથી પગાર અને પી.એફ. ચુકવવામાં મુશ્કેલી પડે છે. સ્વભંડોળ પ્રાપ્ત થયા બાદ કોન્ટ્રાક્ટરને ચુકવણી કરી દેવાશે.