ભરૂચ: રેલ્વે સ્ટેશન નજીકથી રીક્ષા સ્ટેન્ડ હટાવાતા રિક્ષાચાલકોએ નોંધાવ્યો વિરોધ

ભરૂચ રેલ્વે સ્ટેશન ખાતે રીક્ષા અને ટેક્સી સ્ટેન્ડ રેલવે વિભાગ દ્વારા એકાએક  દુર કરવામાં આવ્યા હોવાના આક્ષેપ રીક્ષા ચાલકો સહીત ટેક્સી ચાલકોએ પ્રદર્શન કરી વિરોધ નોંધાવ્યો હતો.

New Update

ભરૂચમાં રીક્ષાચાલકોનો વિરોધ

રીક્ષા સ્ટેન્ડ હટાવાતા વિરોધ નોંધાવ્યો

રેલવેની હદમાં છે રીક્ષા સ્ટેન્ડ

રેલવેના અધિકારીઓને કરાય રજુઆત

માંગ ન સંતોષાય તો આંદોલનની ચીમકી

ભરૂચ રેલ્વે સ્ટેશન ખાતે રીક્ષા અને ટેક્સી સ્ટેન્ડ રેલવે વિભાગ દ્વારા એકાએક  દુર કરવામાં આવ્યા હોવાના આક્ષેપ રીક્ષા ચાલકો સહીત ટેક્સી ચાલકોએ પ્રદર્શન કરી વિરોધ નોંધાવ્યો હતો.
વર્ષોથી ઓટો રિક્ષા ચાલકો ભરૂચ રેલવે સ્ટેન્ડમાંથી મુસાફરોનું વહન કરતા આવ્યા છે ત્યારે ગતરોજ ભરૂચ રેલ્વે સ્ટેશનના સુપ્રિટેન્ડેન્ટએ અચાનક તમામ રીક્ષા અને ટેક્સી ચાલકોને રેલ્વે હદથી દુર કરવા જણાવતા જ રીક્ષા ચાલકોએ અધિકારી પાસે લેખિતમાં પરિપત્ર માંગતા તેઓએ ગલ્લા તલ્લા કર્યા હોવાના આક્ષેપ સાથે પ્રદર્શન કરી વિરોધ નોંધાવ્યો હતો.જયારે અધિકારીએ ચાલકોને ઓટોરિક્ષા ચલાવવી હોય તો ઉપરી અધિકારીને મળવા જણાવ્યું હતું ત્યારે ભરૂચ શહેર સિવાય અન્ય રેલ્વે સ્ટેશનો પર ઓટો રીક્ષા ઉભી રાખવાની પરમીશન હોય છે તો ભરૂચમાં કેમ નહિ તેવા સવાલો કરવામાં આવ્યા છે.ભરૂચ રેલવે સ્ટેશન નજીક વર્ષોથી ચાલતા ઓટોરિક્ષા સ્ટેન્ડને ફરી કાર્યરત નહિ કરવામાં આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
Read the Next Article

અંકલેશ્વર : માઁ શારદા ભવન ટાઉન હોલ ખાતે “એક રાષ્ટ્ર એક ચૂંટણી” વિષય અંતર્ગત વિશિષ્ટ નાગરિક સંમેલન યોજાયું...

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના માઁ શારદા ભવન ટાઉન હોલ ખાતે “એક રાષ્ટ્ર એક ચૂંટણી” વિષય અંતર્ગત વિશિષ્ટ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
  • શહેરના માઁ શારદા ભવન ટાઉન હોલમાં આયોજન કરાયું

  • એક રાષ્ટ્ર એક ચૂંટણી” વિષય અંતર્ગત કાર્યક્રમ યોજાયો

  • વિશિષ્ટ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું

  • એક રાષ્ટ્ર એક ચૂંટણીના અમલીકરણ અંગે ચર્ચા કરાય

  • તબીબવર્ગવેપારી સહિત ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના માઁ શારદા ભવન ટાઉન હોલ ખાતેએક રાષ્ટ્ર એક ચૂંટણી” વિષય અંતર્ગત વિશિષ્ટ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.

કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકારને 11 વર્ષ પૂર્ણ થવા અવસર પર ભારતીય જનતા પાર્ટી દ્વારા વિશિષ્ટ કાર્યક્રમો થકી ઉજવણી કરવામાં આવી રહી છેત્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના માઁ શારદા ભવન ટાઉન હોલ ખાતે અંકલેશ્વર-હાંસોટ વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય ઈશ્વર પટેલની અધ્યક્ષતામાં અંકલેશ્વર શહેરના માઁ શારદા ભવન ટાઉન હોલ ખાતેએક રાષ્ટ્ર એક ચૂંટણી” વિષય અંતર્ગત વિશિષ્ટ નાગરિક સંમેલન યોજાયું હતું.જેમાંએક રાષ્ટ્ર એક ચૂંટણીની અવધારણા અને તેના અમલીકરણ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંતએક રાષ્ટ્ર એક ચૂંટણીના વિવિધ ફાયદાઓ વિશે ઉપસ્થિતોને માહિતી આપવામાં આવી હતી.

આ અવસરેએક રાષ્ટ્ર એક ચૂંટણીના નિર્ણયને તમામ ઉપસ્થિતોએ આવકારીPM મોદીના 11 વર્ષના કાર્યકાળને વધાવ્યો હતો. આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ સંગઠન પ્રભારી જનક બગદાણાભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીઅંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વર પટેલ સહિત તબીબ વર્ગવેપારીઓ અને ઉદ્યોગપતિઓ તેમજ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.