ભરૂચ: ગોલ્ડનબ્રીજ નજીક નર્મદા નદીની જળ સપાટીમાં વધારો,ડેમમાંથી 3.50 લાખ ક્યુસેક પાણીની આવક

નદીની જળ સપાટી 19 ફૂટને પાર કરી ગઈ છે.નર્મદા નદીનું વોર્નિંગ લેવલ 22 ફૂટ છે જ્યારે ભયજનક સપાટી 24 ફૂટ છે. નર્મદા નદીની જળ સપાટીમાં વધારો થતા તંત્ર દ્વારા નદીના પટમાં લોકોને ન જવા સૂચના આપવામાં આવી છે

New Update

ભરૂચ નજીક નર્મદા ડીની જળ સપાટીમાં વધારો

ગોલ્ડનબ્રિજ નજીક નદીની સપાટી 19 ફૂટને પાર

ડેમમાંથી 3.50 લાખ ક્યુસેક પાણીની આવક

નદીની ભયજનક સપાટી 24 ફૂટ

નદીના પટમાં ન જવા લોકોને તંત્રની સૂચના

સરદાર સરોવર નર્મદા ડેમમાંથી સાડા ત્રણ લાખ ક્યુસેક પાણીની આવકના પગલે ભરૂચના ગોલ્ડનબ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટીમાં વધારો થયો છે. ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટીમાં સતત વધારો થયેલો જોવા મળી રહ્યો છે નર્મદા ડેમમાંથી 3.48 લાખ ક્યુસેક પાણીની આવકના પગલે નદીની સપાટી વધી છે.
નદીની જળ સપાટી 19 ફૂટને પાર કરી ગઈ છે.નર્મદા નદીનું વોર્નિંગ લેવલ 22 ફૂટ છે જ્યારે ભયજનક સપાટી 24 ફૂટ છે. નર્મદા નદીની જળ સપાટીમાં વધારો થતા તંત્ર દ્વારા નદીના પટમાં લોકોને ન જવા સૂચના આપવામાં આવી છે.આ તરફ સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 135.86 મીટરે પહોંચી છે. નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી 4.38 લાખ ક્યુસેક પાણીની આવક છે.જેના પગલે ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે..
Latest Stories