ભરૂચ:હાંસોટના ઇલાવ ગામની RK વકીલ હાઈસ્કૂલને રંગોરોગાન કરાયુ, ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીના હસ્તે કરાયુ ઉદ્ઘાટન

ઇલાવ ગામની RK વકીલ હાઈસ્કૂલમાં રૂપિયા 7 લાખના ખર્ચે રંગોરોગાન કરવામાં આવ્યું હતું તેમજ મંડળના પૂર્વ પ્રમુખ સ્વર્ગીય સી.કે.પટેલના સ્મરણાર્થે સીસીટીવી કેમેરા મુકવામાં આવ્યા

New Update
  • હાંસોટના ઇલાવ ગામે આવેલી છે શાળા

  • આર.કે.વકીલ હાઈસ્કૂલને રંગોરોગાન કરાયુ

  • નેરોલેક કંપની દ્વારા રૂ.7 લાખનું અનુદાન અપાયું

  • ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીના હસ્તે ઉદ્ઘાટન

  • મંડળના હોદ્દેદારો રહ્યા ઉપસ્થિત

ભરૂચના હાંસોટ તાલુકાના ઇલાવ ગામ ખાતે આવેલ આદર્શ કેળવણી મંડળ સંચાલિત આર.કે.વકીલ હાઈસ્કૂલમાં શાળા સુશોભન અને સીસીટીવી કેમેરાનું જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીને હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું.

ભરૂચના હાંસોટ તાલુકાના ઇલાવ ગામે આદર્શ કેળવણી મંડળ સંચાલિત આર.કે.વકીલ હાઈસ્કૂલ આવેલી છે આ શાળાની બિલ્ડીંગ પર વાગરાના સાયખા ખાતે આવેલ નેરોલેક કંપની દ્વારા તેમની સામાજિક જવાબદારીના ભાગરૂપે રૂપિયા 7 લાખના ખર્ચે રંગોરોગાન કરવામાં આવ્યું હતું તેમજ મંડળના પૂર્વ પ્રમુખ સ્વર્ગીય સી.કે.પટેલના સ્મરણાર્થે સીસીટીવી કેમેરા મુકવામાં આવ્યા છે.
આ બન્ને પ્રકલ્પોનું આજરોજ ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નેરોલેક કંપનીના યુનિટ હેડ રાજેશ પટેલ, આદર્શ મંડળના પ્રમુખ તુષાર પટેલ, હાંસોટ તાલુકા ભાજપના પ્રમુખ અનંત પટેલ, પૂર્વ કારોબારી ચેરમેન જયેશ પટેલ, આર કે વકીલ હાઈસ્કૂલના આચાર્ય ધર્મેશ જોશી,પ્રાથમિક વિભાગના આચાર્ય જીગ્નેશ પટેલ તેમજ મંડળના હોદ્દેદારો અને શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો.
આ પ્રસંગે શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા સાંસ્કૃતિકૃતિ રજૂ કરવામાં આવી હતી. મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદીએ શાળાની કામગીરીને બિરદાવી આ શિક્ષણ યજ્ઞ આગળ ધપાવવા માટે અપીલ કરી હતી.
Read the Next Article

અંકલેશ્વર: GIDCમાં સંસ્કૃતિ ફલાવર સોસા.નજીક બે આખલાઓ વચ્ચે યુદ્ધ, રહીશોમાં ભયનો માહોલ

રખડતા ઢોરોનો આતંક દિન પ્રતિદિન વધી રહ્યો છે ત્યારે ફરી એકવાર રખડતા ઢોરનો આતંક સામે આવ્યો છે. જીઆઇડીસીમાં આવેલી સંસ્કૃતિ ફ્લાવર સોસાયટી નજીક બે આખલાઓ વચ્ચે યુદ્ધ જામ્યું

New Update
akhla yudhdh

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના રહેણાંક વિસ્તારમાં રખડતા ઢોરોનો આતંક દિન પ્રતિદિન વધી રહ્યો છે ત્યારે ફરી એકવાર રખડતા ઢોરનો આતંક સામે આવ્યો છે. જીઆઇડીસીમાં આવેલી સંસ્કૃતિ ફ્લાવર સોસાયટી નજીક બે આખલાઓ વચ્ચે યુદ્ધ જામ્યું હતું જેના કારણે લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી આખલા બાખડતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે નોટિફાઇડ એરીયા ઓથોરીટી દ્વારા ઢોર પકડવાની ઝુંબેશ સમયાંતરે શરૂ કરવામાં આવે છે ત્યારે આ ઝુંબેશ ફરીથી ચાલુ કરવામાં આવે તેવી રહેશો માંગ કરી રહ્યા છે.