ભરૂચ: દહેજ નજીક ટેન્કરમાંથી LPGની ચોરી કરી સિલિન્ડર ભરવાનું કૌભાંડ ઝડપાયું, રૂ.3 કરોડનો મુદ્દામાલ જપ્ત

ભરૂચની દહેજ પોલીસના સૂત્રો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન તેઓને બાતમી મળી હતી કે પણીયાદરા ગામ નજીક ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગનું મોટું કૌભાંડ ચાલી રહ્યું છે

New Update

ભરૂચ પોલીસને ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરવાના મોટા કૌભાંડનો પર્દાફાશ કરવામાં સફળતા મળી છે. એલપીજી ભરેલ ટેન્કરમાંથી ગેરકાયદેસર રીતે સિલિન્ડરમાં ગેસ રિફિલ કરવામાં આવતો હતો

ભરૂચની દહેજ પોલીસના સૂત્રો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન તેઓને બાતમી મળી હતી કે પણીયાદરા ગામ નજીક ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગનું મોટું કૌભાંડ ચાલી રહ્યું છે જેના આધારે પોલીસે દરોડા પાડતા એલપીજી ભરેલ ટેન્કરમાંથી કોમર્શિયલ સિલિન્ડરમાં ગેરકાયદેસર  અને જોખમી રીતે ગેસ રિફિલ કરવામાં આવી રહ્યો છે. પોલીસે દરોડા પાડતા ગેસ રિફિલ કરતા તત્વોમાં દોડધામ મચી જવા પામી હતી. જો કે પોલીસે ઘટના સ્થળેથી ધનારામ લુહાર અને મુસ્તાક્લી મહેબૂબ અલી નામના 2 ઈસમોને ઝડપી પાડ્યા હતા જ્યારે અન્ય 10 જેટલા ઈસમો ફરાર થઇ ગયા હતા. પોલીસે સ્થળ પરથી પાંચ ટેન્કર તેમજ 35  કોમર્શિયલ ગેસ સિલિન્ડર મળી ₹3.33 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Read the Next Article

ભરૂચ: અષાઢી બીજે 6 સ્થળોએથી નિકળશે ભગવાન જગન્નાથની રથયાત્રા, પોલીસ ડ્રોન કેમેરાથી રાખશે નજર

અષાઢી બીજ નિમિત્તે ભરૂચ જિલ્લામાં છથી વધુ રથયાત્રા નિકળશે જેને ધ્યાને લઈ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આવતીકાલે અષાઢી બીજના

New Update

ભરૂચમાં આવતીકાલે કરવામાં આવ્યું આયોજન

6 સ્થળોએથી રથયાત્રાનું આયોજન

પોલીસનો રહેશે ચુસ્ત બંદોબસ્ત

ડ્રોન કેમેરાથી રાખવામાં આવશે નજર

700થી વધુ પોલીસકર્મીઓ રહેશે તૈનાત

અષાઢી બીજ નિમિત્તે ભરૂચ જિલ્લામાં છથી વધુ રથયાત્રા નિકળશે જેને ધ્યાને લઈ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

આવતીકાલે અષાઢી બીજના પાવન દિવસે ભરૂચ જિલ્લાભરમાં વિવિધ સ્થળોએ કુલ 6 રથયાત્રાઓ યોજાવાની છે. ભરૂચ શહેરમાં ત્રણ, અંકલેશ્વરમાં બે તથા ઝઘડિયામાં એક રથયાત્રા યોજાવાની છે. ભક્તિભાવ અને શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તે હેતુસર જિલ્લા પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.ભરૂચ શહેરની અતિ પૌરાણિક ગણાતી દત્ત મંદિરથી ભોઈવાડ સુધીની રથયાત્રાના માર્ગ પર આજે પોલીસ વિભાગ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ હતી. આ ફ્લેગ માર્ચ ફુરજા ચોકથી શરૂ થઈ લાલ બજાર, ચકલા, હાથીખાના બજાર, અને સોનેરીમહલ સુધી યોજાઈ હતી. સમગ્ર ફ્લેગ માર્ચ ડીવાયએસપી  સી.કે. પટેલના માર્ગદર્શન હેઠળ સંપન્ન થઈ હતી.રથયાત્રા દરમ્યાન પોલીસ બંદોબસ્તમાં 3 ડીવાયએસપી, 8 પીઆઈ, 23 પીએસઆઈ, 456 હેડ કોન્સ્ટેબલ તથા પોલીસ જવાનો સાથે 266 હોમગાર્ડનો સમાવેશ થાય છે. ઉપરાંત ડ્રોન કેમેરાની મદદથી સમગ્ર યાત્રામાર્ગ ઉપર નજર રાખવામાં આવશે.