ભરૂચ: આમોદ નગરપાલિકા કચેરી સામે જ ગંદકીના દ્રશ્યો, સ્વરછતા અભિયાન માત્ર કાગળ પર !

ભરૂચની આમોદ નગરપાલિકા કચેરી સામે જ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળતા સ્વરછતા અભિયાનનો છેદ ઉડી રહ્યો છે તો બીજી તરફ સ્થાનિકો પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે

New Update
  • ભરૂચની આમોદ નગરપાલિકાનો પ્રશ્ન

  • નગરપાલિકા કચેરી સામે જ ગંદકી

  • ગંદકીના કારણે લોકોને પરેશાની

  • વારંવાર રજુઆત છતાં કોઈ નિરાકરણ નહીં

  • સાફ સફાઈ કરાવવા સ્થાનિકોની માંગ

ભરૂચની આમોદ નગરપાલિકા કચેરી સામે જ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળતા સ્વરછતા અભિયાનનો છેદ ઉડી રહ્યો છે તો બીજી તરફ સ્થાનિકો પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે
ભરૂચની આમોદ નગરપાલિકાના મુખ્ય ગેટથી માત્ર 200 મીટર અંતરે જ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળતું હોવાની ફરિયાદો સામે આવી રહી છે. નગરપાલિકા સામે સ્વચ્છતા અભિયાનની ધજાગરા ઉડતી હોવાના દ્રશ્યોને લઈને સ્થાનિકો અને દુકાનદારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.આમોદના તિલક મેદાન, વેરાઈ માતાજી મંદિરની આસપાસ ગંદકીના કારણે ત્યાં દર્શનાર્થે આવતા લોકોએ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવે છે. દુકાનદારોનું કહેવું છે કે વારંવાર લેખિત અને મૌખિક રજૂઆત છતાં નગરપાલિકા દ્વારા કોઈ કાયમી પગલાં લેવામાં નથી આવતા ત્યારે પ્રશ્નના તાકીદે નિકાલની માંગ કરવામાં આવી છે.
Read the Next Article

ભરૂચ: દહેજની શિવા ફાર્મા કંપનીમાં રીએક્ટરમાં બ્લાસ્ટ, 2 કામદારોના મોત

ભરૂચના દહેજ સેઝ - 1માં આવેલી શિવા ફાર્મા કેમમાં શનિવારે મધરાતે રીએક્ટર બ્લાસ્ટ થતા બે કામદારના મોત નિપજ્યા હતા  જ્યારે એક કામદાર ગંભીર રીતે ઘાયલ થતા સારવાર અર્થે ખસેડાયો હતો

New Update
  • ભરૂચના દહેજ સેઝ-1નો બનાવ

  • શિવા ફાર્મા કંપનીમાં બની દુર્ઘટના

  • રીએક્ટરમાં મોડી રાત્રે બ્લાસ્ટ

  • 2 કામદારોના નિપજ્યા મોત

  • 1 કામદાર ઇજાગ્રસ્ત

ભરૂચના દહેજ સેઝ - 1માં આવેલી શિવા ફાર્મા કેમમાં શનિવારે મધરાતે રીએક્ટર બ્લાસ્ટ થતા બે કામદારના મોત નિપજ્યા હતા  જ્યારે એક કામદાર ગંભીર રીતે ઘાયલ થતા સારવાર અર્થે ખસેડાયો હતો
ઔધોગિક ભરૂચ જિલ્લાની દહેજ સેઝ 1 માં 2014થી શિવા ફાર્મા કેમ કાર્યરત છે. વડોદરા હેડ ક્વાર્ટર ધરાવતી અને 22 દેશોમાં નિકાસ કરતી કંપની એસીડ, આલ્કલાઈ ક્લોરાઇડનું દેહજમાં પ્રોડક્શન કરે છે. જે USA અને યુરોપમાં સ્ટોરેજ તેમજ વિતરણનું માળખું પણ ધરાવે છે. શનિવારે મધરાતે 2.40 કલાકે શિવા ફાર્મા કેમના દહેજ યુનિટમાં એસીડ ક્લોરાઇડ પ્લાન્ટમાં ઉત્પાદનની પ્રક્રિયા ચાલી રહી હતી. રીએક્ટરની કોલમમાં ઓવર પ્રેશર થતા બ્લાસ્ટ થયો હતો. એસીડ અને ગેસ ઉચ્ચ દબાણ સાથે રીએક્ટર ફાટતા બહાર નીકળતા નાઈટ શીપમાં કામ કરતા 3 કામદારો ગંભીર રીતે ઘવાયા હતા.
કંપનીમાં ઔધોગિક દુર્ઘટનાને લઈ અન્ય કામદારો અને સંચાલકોમાં પણ દોડધામ મચી હતી. ગંભીર રીતે ઘવાયેલા ત્રણ કર્મચારીઓ મનાડ ગામના અર્જુન પરબતભાઈ પટેલ, પાલડી ગામના પ્રવીણ મનસુખભાઇ પરમાર અને ત્રાંકલ ગામના શૈલેન્દ્રસિંહ યાદવને વધુ સારવાર અર્થે વડોદરા લઈ જવાયા હતા. જ્યાં અર્જુન પટેલ અને પ્રવીણ પરમારનું મૃત્યુ થયું હતું.ઘટનાની જાણ થતાં દહેજ પોલીસ અને ઇન્ડટ્રીયલ એન્ડ સેફટી હેલ્થ વિભાગની ટીમ સ્થળ પર દોડી આવી હતી.કંપની સામે ફેકટરી એક્ટ હેઠળ કાર્યવાહી શરૂ કરાઇ છે. તપાસના અંતે કંપનીને પ્રોહીબિટરી નોટિસ પણ ફટકારાશે.