ભરૂચ: રેલવે સ્ટેશન પર મુસાફરોને શરબત અને છાશનું વિતરણ કરાયુ, રેલવે સ્ટાફનું સેવાકાર્ય

ભરૂચ રેલ્વે સ્ટાફ અને અધિકારીઓ દ્વારા કાળજાળ ગરમીમાં ટ્રેનમાં મુસાફરી કરતા યાત્રીઓ માટે માનવીય અભિગમ અપનાવતાં 700 થી વધુ શરબતના ગ્લાસનું વિતરણ કરી સેવાકીય કાર્ય કરવામાં આવ્યું

New Update
  • ભરૂચ રેલવે સ્ટેશન પર વિતરણ કરાયુ

  • શરબત અને છાશનું કરવામાં આવ્યું વિતરણ

  • કાળઝાળ ગરમીમાં મુસાફરોને વિતરણ કરાયુ

  • ઠંડાપીણાના 700 ગ્લાસનું વિતરણ કરાય

  • મુસાફરોને ગરમીમાં થઈ રાહત

Advertisment
ભરૂચ રેલવે સ્ટેશન પર કાળઝાળ ગરમી વચ્ચે મુસાફરોને રાહત મળે એ હેતુથી શરબત અને છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું ભરૂચમાં મે માસની શરૂઆત થતાં જ સૂર્યનારાયણ ઉગ્ર તાપ વરસાવી રહ્યા છે અને તાપમાનનો પારો સતત વધી રહ્યો છે. એવામાં લોકો ગરમીથી રાહત મેળવવા ઠંડા પીણાનો સહારો લેવા મજબૂર બની રહ્યા છે. ભરૂચ રેલ્વે સ્ટાફ અને અધિકારીઓ દ્વારા કાળજાળ ગરમીમાં ટ્રેનમાં મુસાફરી કરતા યાત્રીઓ માટે માનવીય અભિગમ અપનાવતાં 700 થી વધુ શરબતના ગ્લાસનું વિતરણ કરી સેવાકીય કાર્ય કરવામાં આવ્યું હતું.
સવારે પ્લેટફોર્મ નંબર 2 અને 3 પર ભરૂચ રેલવે સ્ટેશનના ઇન્ચાર્જ આદિત્ય શુક્લા અને ભરૂચ રેલવે સ્ટાફ તરફથી કાળઝાળ ગરમીમાં ટ્રેનમાં મુસાફરી કરનાર મુસાફરો માટે ત્રણથી વધુ સ્ટોલ બનાવી શરબત અને છાસનાનું વિતરણ કરી સેવા કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું.
Advertisment
Read the Next Article

અંકલેશ્વર:હાંસોટ પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની યોજાય બેઠક, હિન્દૂ મુસ્લિમ બિરાદરો રહ્યા ઉપસ્થિત

મુસ્લિમ સમુદાયનો બકરી ઈદના તહેવાર શાંતિપૂર્ણ માહોલ અને કોમી એખલાસ ભર્યા વાતાવરણમાં સમ્પન થાય તે અર્થે હાંસોટ પોલીસ  મથકમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી

New Update
aaa

તાલુકા મથક હાંસોટ અને ગ્રામ્ય વિસ્તારોમાં આગામી દિવસોમાં આવતા મુસ્લિમ સમુદાયનો બકરી ઈદના તહેવાર શાંતિપૂર્ણ માહોલ અને કોમી એખલાસ ભર્યા વાતાવરણમાં સમ્પન થાય તે અર્થે હાંસોટ પોલીસ  મથકમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી

Advertisment W3.CSS
આગામી સમયમાં એટલે કે 7 મી જૂનના રોજ મુસ્લિમ સમાજનો બકરી ઇદનો તહેવાર આવે છે. ત્યારે હાંસોટ દરેક તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયા તે અર્થે હાંસોટ પોલીસ મથકમાં પી.આઈ.વી.એ.લાકોડની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક રાખવામાં આવી હતી.દરેક ધર્મના તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય અને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ તે હેતુસર બંને કોમના લોકોને અપીલ કરી શાંતિપુર્ણ માહોલમાં તહેવારની ઉજવણી કરવા જણાવ્યું હતું.આ બેઠકમાં હિન્દૂ- મુસ્લિમ સમાજના શાંતિ સમિતિના સભ્યો હાજર રહ્યા હતા.