ભરૂચ: અંબિકા નગરના મકાનમાં તસ્કરો ઇન્ટરલોક ન તોડી શકતા વિલા મોઢે પરત ફર્યા, સમગ્ર કરતુત CCTV કેમેરામાં કેદ

ભરૂચ શહેરમાં આવેલ અંબિકા નગર સોસાયટીમાં તસ્કરોએ ત્રાટકી ચોરીનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો તસ્કરોની આ કરતૂત સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે

New Update
  • ભરૂચ શહેરમાં તસ્કરોનો આતંક

  • અંબિકા નગરમાં 2 દિવસથી તસ્કરોના આંટાફેરા

  • 2 મકાનમાં ચોરીનો કર્યો પ્રયાસ

  • સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા

  • પોલીસે તપાસ શરૂ કરી

ભરૂચ શહેરમાં આવેલ અંબિકા નગર સોસાયટીમાં તસ્કરોએ ત્રાટકી ચોરીનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો તસ્કરોની આ કરતૂત સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે

ભરૂચ શહેરમાં દિન પ્રતિદિન તસ્કરોનો આતંક વધી રહ્યો છે ત્યારે શહેરની અંબિકા નગર સોસાયટીમાં છેલ્લા બે દિવસથી તસ્કરોના આંટાફેરા જોવા મળી રહ્યા છે. અંબિકા નગર સોસાયટીમાં રહેતા અશોક મોદી તેમનું ઘર બંધ કરી કામ અર્થે ગયા હતા તે દરમિયાન રાત્રિના સમયે તસ્કરો તેમના ઘર પાસે ત્રાટક્યા હતા અને બારી તોડી મકાનમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે દરવાજા પર ઇન્ટરલોક લગાવેલ હોય તસ્કર ટોળકીએ વીલા મોઢે પરત ફરવાનો વારો આવ્યો હતો.તસ્કરોની આ તમામ કરતૂત સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.તો સતત બીજા દિવસે બાજુના મકાનમાં જ તસ્કરોએ ચોરીનો પ્રયાસ કર્યો હતો ત્યારે સ્થાનિકો પોલીસ આ વિસ્તારમાં પેટ્રોલિંગ વધારે તેવી માંગ કરી રહ્યા છે.આ તરફ એ ડિવિઝન પોલીસે સીસીટીવી ફુટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

Read the Next Article

ભરૂચ : જિલ્લા જેલમાંથી આજીવન કેદની સજા ભોગવી રહેલા કેદીની 14 વર્ષ બાદ વહેલી મુક્તિથી પરિવારજનોમાં ખુશી

 ભરૂચ જિલ્લા જેલ ખાતે મર્ડર કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા કેદી (કેદી ક્રમાંક 35359) નવીન ઝીણાભાઈ પટેલને રાજ્ય સરકારના નિર્ણય મુજબ આજે વહેલી મુક્તિ મળી હતી.

New Update

આજીવન કેળના કેદીની મુક્તિ

14 વર્ષ બાદ જેલમાંથી મળી મુક્તિ

જેલ અધિક્ષક દ્વારા કરવામાં આવી કાર્યવાહી

સારા વર્તનથી જેલમાંથી મળી મુક્તિ

પરિવારજનોમાં સર્જાયા લાગણીસભર દ્રશ્યો

ભરૂચ જિલ્લા જેલ ખાતે મર્ડર કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા કેદી (કેદી ક્રમાંક 35359) નવીન ઝીણાભાઈ પટેલને રાજ્ય સરકારના નિર્ણય મુજબ આજે વહેલી મુક્તિ મળી હતી. તેમણે અત્યાર સુધી 14 વર્ષથી વધુ સમય જેલમાં વિતાવ્યા હતા અને સમગ્ર અવધિ દરમિયાન તેમનું વર્તન ઉત્તમ રહ્યું હતું.

જેલ અધિક્ષકે જણાવ્યું હતું કેભારતીય ન્યાય સંહિતા (B.N.S.S.)ની કલમ-473 મુજબ પાત્રતા ધરાવતા કેદીની વહેલી મુક્તિ માટે જેલ અધિક્ષક વી.એમ.ચાવડાએ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. સંબંધિત અધિકારીઓ અને જેલ સલાહકાર સમિતિ પાસેથી હકારાત્મક અભિપ્રાય મેળવી સરકારને દરખાસ્ત મોકલવામાં આવી હતી. રાજ્ય સરકારે બાકી રહેલી સજા માફ કરી તેમને મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો.જેલ બહાર આવતા જ નવીન  પટેલને મળવા તેમના પરિવારજનો અને સ્નેહીજનો હાજર રહ્યા હતા. લાંબા વિરામ પછી મળતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા અને ખુશીની લહેર જોવા મળી હતી.જેલ અધિક્ષકે તેમને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવીને વિદાય આપી હતી.