ભરૂચ : દાન-પુણ્યના મહાપર્વ મકરસંક્રાંતિની ઉજવણીને લઇ પાંજરાપોળ ખાતે શહેરીજનો માટે વિશેષ વ્યવસ્થા કરાય...

મકરસંક્રાંતિની ઉજવણીને લઈને ભરૂચ શહેરના પાંજરાપોળ ખાતે ગૌપૂજન માટે આવતા લોકો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

New Update
  • હિન્દુ સંસ્કૃતિમાં દાન-પુણ્યનો મહાપર્વ એટલે મકરસંક્રાંતિ

  • મકરસંક્રાંતિની ઉજવણીને લઇ પાંજરાપોળ દ્વારા આયોજન

  • લોકોને અગવડતા ન પડે માટે પાંજરાપોળ ટ્રસ્ટની તૈયારી

  • પાંજરાપોળ ખાતે ગૌપુજન સહિતની વિશેષ વ્યવસ્થા કરાય

  • ગાય માટે લીલું ઘાસ અને પૂજા માટે ગૌપૂજારી હાજર રહેશે

મકરસંક્રાંતિના દિવસે સૂર્યદેવની પૂજાજ્ઞાનની દેવી મા સરસ્વતીની પૂજાઅને ગૌપૂજન કરવામાં આવે છેત્યારે મકરસંક્રાંતિની ઉજવણીને લઈને ભરૂચ શહેરના પાંજરાપોળ ખાતે ગૌપૂજન માટે આવતા લોકો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

મકરસંક્રાંતિના દિવસે પુણ્ય-દાન કરવાનો અનેરો મહિમા રહ્યો છે. દાન-પુણ્ય કરવા માટેનું મહાપર્વ મકરસંક્રાંતિનો ઉત્સવ એ પ્રકૃતિનો ઉત્સવ છે. સમગ્ર ભારતના લોકો મકરસંક્રાંતિની ઉત્સાહભેર ઉજવણી કરતા હોય છે. આ દિવસે તલના લાડવામાં પૈસો મુકીને ઘણા લોકો ગુપ્તદાન પણ કરતાં હોય છે. ઉપરાંત ગાયોને ઘાસચારો પણ આપવામાં આવે છેત્યારે ભરૂચવાસીઓ શહેરના શક્તિનાથ વિસ્તાર સ્થિત પાંજરાપોળ ખાતે લોકો ગાયની પૂજા તેમજ ઘાસ અને ઘૂઘરી ખવડાવવા માટે ઉમટી પડશે.

જેને ધ્યાનમાં રાખીને પાંજરાપોળના ટ્રસ્ટી મહેન્દ્ર કંસારાના જણાવ્યા અનુસારગૌ ભક્તોને કોઈ અગવડ ન પડે અને સુગમતાથી ગૌ પૂજા કરી શકે તે માટે પાંજરાપોળ ખાતે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં ગાયને ખવડાવવા લીલું ઘાસ સ્થળ પર જ હાજર મળશે. એટલું જ નહીંગાયની પૂજા માટે ગૌપૂજારી પણ દિવસ દરમ્યાન હાજર રહેશે. વધુમાં શહેરની જનતાને અપીલ કરતા તેઓએ જણાવ્યું હતું કેવધુ પડતી ઘુઘરી ખવડાવવાથી ગાય બીમાર પડી શકે છે. તેથી ગાયને મકરસંક્રાંતિના દિવસે વધુ ઘૂઘરી ન ખવડાવતા ફક્ત પ્રતિકાત્મક રૂપે ઘુઘરી ખવડાવવા અપીલ કરવામાં આવી છે.

 

Read the Next Article

ભરૂચ: નર્મદા પરિક્રમાવાસીઓ માટે CM ભુપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય, હાંસોટના વમલેશ્વરમાં 100091 ચો.મી.જમીન ફાળવાય

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

New Update
bhupendra

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે પ્રવાસન ખાતા (ઉદ્યોગ અને ખાણ) વિભાગને વહીવટી હુકમ- 3 હેઠળ જમીન તબદીલ કરી આપવામાં આવી છે.ગુજરાત રાજ્યમાં નર્મદા પરિક્રમા આગવી ઓળખ સાથે ધાર્મિક મહત્વ ધરાવે છે. વમલેશ્વર યાત્રાધામ સહિત નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા અને પરિક્રમાપથના યાત્રાધામોના વિકાસથી ગુજરાત અને મઘ્યપ્રદેશ રાજ્યના હજારો પરિક્રમાવાસીઓ અને શ્રદ્ધાળુને પડતી વિવિધ મુશ્કેલીઓ હવે ભૂતકાળ બનશે.રાજ્ય સરકારના આ સંવેદનશીલ નિર્ણયથી ખરા અર્થમાં ભરૂચ જિલ્લામાં પ્રવાસન વિભાગને પ્રોત્સાહન મળશે તેમજ સ્થાનિકોને પણ તેનો લાભ થનાર છે. નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે મહત્વનો નિર્ણય લઇ જમીન ફાળવવાની મુખ્યમંત્રીએ મંજૂરી આપી છે. પ્રવાસન ખાતા દ્વારા વમલેશ્વર ખાતે સર્વે નંબર 553 ની 10091 ચોરસ મીટર જમીન ફાળવવા અંગે સરકારમાં માંગણી કરવામાં આવી હતી. જેને અનુલક્ષી મુખ્યમંત્રીએ આ નિર્ણય કર્યો છે.
ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકામાં આવેલું વમલેશ્વર ધાર્મિક સ્થળોમાં ખૂબ વિખ્યાત યાત્રાધામ છે. આ યાત્રાધામ સાથે નર્મદા પરિક્રમા ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વહીવટી મંજૂર હુકમ 3 હેઠળ તબદીલ કરતા મુખ્યમંત્રીનો આ નિર્ણય મહત્વપૂર્ણ બની રહેશે.