ભરૂચ:ST વિભાગને દિવાળી ફળી,13 હજાર મુસાફરોના વહન દ્વારા રૂ45 લાખની આવક

ભરૂચ એસટી વિભાગને દિવાળીના તહેવારોમાં આવકનો સ્ત્રોત વધ્યો હતો,અને 13 હજાર મુસાફરોના વહન સાથે રૂપિયા 45 લાખની આવક થઇ હતી. 

New Update

ભરૂચ એસ.ટી વિભાગની દિવાળીમાં આવકમાં વધારો, 13 હજાર જેટલા મુસાફરોએ એસ.ટી બસમાં કરી મુસાફરી  

ભરૂચ એસટી વિભાગને દિવાળીના તહેવારોમાં આવકનો સ્ત્રોત વધ્યો હતો,અને 13 હજાર મુસાફરોના વહન સાથે રૂપિયા 45 લાખની આવક થઇ હતી. 

ભરૂચ એસ.ટી વિભાગ દ્વારા  દિવાળીના તહેવારોમાં વધારાની બસો દોડાવવામાં આવી હતી.જેમાં એસ.ટી.વિભાગને રૂપિયા 45 લાખની આવક થઈ છે. જે ગતવર્ષ કરતા પાંચ લાખ વધુ છે.દિવાળીના તહેવારોમાં મુસાફરોની વધારે ભીડ જોવા મળતી હોય આ ધસારાને પહોંચી વળવા માટે ભરૂચ એસટી વિભાગ દ્વારા વિશેષ બસો દાહોદ,પંચમહાલ,નર્મદા જિલ્લા વિગેરે માટે દોડાવવામાં આવી હતી.

ભરૂચ એસ.ટી.ડેપો મેનેજર વિશાલ છત્રીવાલાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે આ વર્ષે ભરૂચ એસ.ટી.વિભાગ દ્વારા ગત વર્ષની તુલનામાં દસ ટકા વધુ ટ્રીપ મારવામાં આવી હતી.230 વાહનોમાં 13 હજાર જેટલા મુસાફરોનું વહન કરવામાં આવ્યું હતું.જેના થકી એસ.ટી.વિભાગ ને રૂપિયા 45 લાખની આવક થઈ છે.જે ગત વર્ષ કરતા રૂપિયા પાંચ લાખ વધુ છે.

 

Read the Next Article

ભરૂચ: નૈઋત્યના ચોમાસાનું આગમન, જિલ્લાના 6 તાલુકામાં ગાજવીજ સાથે વરસાદ

ભરૂચ અને અંકલેશ્વરમાં વિધિવત ચોમાસું બેઠું હોય તેવો માહોલ જોવા મળ્યો હતો સમી સાંજના સમયે જિલ્લાના 9 પૈકી 6 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.

New Update

ભરૂચમાં નૈઋત્યના ચોમાસાનું આગમન

સમી સાંજના સમયે વરસાદ વરસ્યો

9 પૈકી 6 તાલુકામાં વરસાદ નોંધાયો

ગાજવીજ સાથે વરસાદ

વાતાવરણમાં ઠંડક

ભરૂચ અને અંકલેશ્વરમાં વિધિવત ચોમાસું બેઠું હોય તેવો માહોલ જોવા મળ્યો હતો સમી સાંજના સમયે જિલ્લાના 9 પૈકી 6 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.
કાળઝાળ ગરમી વચ્ચે ભરૂચ અને અંકલેશ્વરના વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો હતો ગતરોજની જેમ રવિવારે પણ બપોર બાદ કાળા દિબાગ વાદળોની ફોજ આવી પહોંચી હતી અને પવન સાથે ઝરમર વરસાદ વરસ્યો હતો. વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને લોકોને ઉકળાટ તેમજ બફારાથી રાહત મળી હતી. રવિવારની રજા લોકોએ વરસાદની મજા વચ્ચે માણી હતી નૈઋત્યનું ચોમાસું વિધિવત રીતે બેસી ગયું હોય તેવો માહોલ જોવા મળ્યો હતો ભરૂચ જિલ્લામાં સાંજના સમયે વરસેલા વરસાદના આંકડા પર નજર કરીએ તો વાલિયામાં 20 મિમી,નેત્રંગમાં 19 મિમી, હાંસોટમાં 14 મિમી,ઝઘડિયા 5 મિમી, ભરૂચ 4 મિમી,અંકલેશ્વરમાં 2 મિમી વરસાદ નોંધાયો હતો.સત્તાવાર ચોમાસું શરૂ થતાં પહેલાં જ અત્યાર સુધી મૌસમનો કુલ 16.22 ટકા વરસાદ નોંધાયો છે.