ભરૂચ:ST વિભાગને દિવાળી ફળી,13 હજાર મુસાફરોના વહન દ્વારા રૂ45 લાખની આવક

ભરૂચ એસટી વિભાગને દિવાળીના તહેવારોમાં આવકનો સ્ત્રોત વધ્યો હતો,અને 13 હજાર મુસાફરોના વહન સાથે રૂપિયા 45 લાખની આવક થઇ હતી. 

New Update

ભરૂચ એસ.ટી વિભાગની દિવાળીમાં આવકમાં વધારો, 13 હજાર જેટલા મુસાફરોએ એસ.ટી બસમાં કરી મુસાફરી  

Advertisment

ભરૂચ એસટી વિભાગને દિવાળીના તહેવારોમાં આવકનો સ્ત્રોત વધ્યો હતો,અને 13 હજાર મુસાફરોના વહન સાથે રૂપિયા 45 લાખની આવક થઇ હતી. 

ભરૂચ એસ.ટી વિભાગ દ્વારા  દિવાળીના તહેવારોમાં વધારાની બસો દોડાવવામાં આવી હતી.જેમાં એસ.ટી.વિભાગને રૂપિયા 45 લાખની આવક થઈ છે. જે ગતવર્ષ કરતા પાંચ લાખ વધુ છે.દિવાળીના તહેવારોમાં મુસાફરોની વધારે ભીડ જોવા મળતી હોય આ ધસારાને પહોંચી વળવા માટે ભરૂચ એસટી વિભાગ દ્વારા વિશેષ બસો દાહોદ,પંચમહાલ,નર્મદા જિલ્લા વિગેરે માટે દોડાવવામાં આવી હતી.

ભરૂચ એસ.ટી.ડેપો મેનેજર વિશાલ છત્રીવાલાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે આ વર્ષે ભરૂચ એસ.ટી.વિભાગ દ્વારા ગત વર્ષની તુલનામાં દસ ટકા વધુ ટ્રીપ મારવામાં આવી હતી.230 વાહનોમાં 13 હજાર જેટલા મુસાફરોનું વહન કરવામાં આવ્યું હતું.જેના થકી એસ.ટી.વિભાગ ને રૂપિયા 45 લાખની આવક થઈ છે.જે ગત વર્ષ કરતા રૂપિયા પાંચ લાખ વધુ છે.

 

Advertisment
Read the Next Article

અંકલેશ્વર: ક્રાઇમ બ્રાન્ચે ચોરીની મોપેડ સાથે આરોપીની કરી ધરપકડ, રૂ.14 લાખની ચોરીનો પણ ભેદ ઉકેલાયો

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અંક્લેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી દરમ્યાન બાતમી હકીકત મળી હતી કે નેત્રંગ પોલીસ મથકની હદમાં ચોરી થયેલ એક્ટીવા

New Update
Screenshot_2025-05-31-09-01-46-44_439a3fec0400f8974d35eed09a31f914
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અંક્લેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી દરમ્યાન બાતમી હકીકત મળી હતી કે નેત્રંગ પોલીસ મથકની હદમાં ચોરી થયેલ એક્ટીવા GJ-16-EC-7315 લઇને એક ઇસમ રાજપીપળા ચોકડી આજુબાજુ ફરે છે જેના આધારે આરોપી શિવા મુર્થી ચોટીનાયક ઉ.વ. ૩૦ હાલ રહે, પીપોદરા તા-માંગરોળ જી-સુરતની અટકાયત કરી તપાસ કરતા ચોંકાવનારા ખુલાસા થયા છે.
Advertisment
આરોપી તથા તેના સાગરીતોએ પીપોદરા નજીક પંક્ચર કરાવી રહેલ કારચાલકની કારમાંથી રૂ. 14 લાખ ભરેલ બેગની ચોરી કરી હોવાનું પણ બહાર આવ્યું છે.પોલીસે આરોપીને બી ડિવિઝન પોલીસને હવાલે કરી વધુ તપાસ હાથ ધરી છે.આ મામલામાં અન્ય ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
Advertisment