ભરૂચ:ST વિભાગને દિવાળી ફળી,13 હજાર મુસાફરોના વહન દ્વારા રૂ45 લાખની આવક

ભરૂચ એસટી વિભાગને દિવાળીના તહેવારોમાં આવકનો સ્ત્રોત વધ્યો હતો,અને 13 હજાર મુસાફરોના વહન સાથે રૂપિયા 45 લાખની આવક થઇ હતી. 

New Update

ભરૂચ એસ.ટી વિભાગની દિવાળીમાં આવકમાં વધારો, 13 હજાર જેટલા મુસાફરોએએસ.ટીબસમાં કરી મુસાફરી

Advertisment

ભરૂચ એસટી વિભાગનેદિવાળીના તહેવારોમાં આવકનો સ્ત્રોત વધ્યો હતો,અને 13 હજાર મુસાફરોના વહન સાથે રૂપિયા 45 લાખનીઆવક થઇ હતી.

ભરૂચ એસ.ટી વિભાગ દ્વારા દિવાળીના તહેવારોમાં વધારાની બસો દોડાવવામાં આવી હતી.જેમાં એસ.ટી.વિભાગને રૂપિયા 45 લાખની આવક થઈ છે. જે ગતવર્ષ કરતા પાંચ લાખ વધુ છે.દિવાળીના તહેવારોમાં મુસાફરોની વધારે ભીડ જોવા મળતી હોય આ ધસારાને પહોંચી વળવા માટે ભરૂચ એસટી વિભાગ દ્વારા વિશેષ બસો દાહોદ,પંચમહાલ,નર્મદા જિલ્લા વિગેરે માટે દોડાવવામાં આવી હતી.

ભરૂચ એસ.ટી.ડેપો મેનેજર વિશાલછત્રીવાલાએઆ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે આ વર્ષે ભરૂચ એસ.ટી.વિભાગ દ્વારા ગત વર્ષની તુલનામાં દસ ટકા વધુ ટ્રીપ મારવામાં આવી હતી.230 વાહનોમાં 13 હજાર જેટલા મુસાફરોનું વહન કરવામાં આવ્યું હતું.જેના થકી એસ.ટી.વિભાગ ને રૂપિયા 45 લાખની આવક થઈ છે.જે ગત વર્ષ કરતા રૂપિયા પાંચ લાખ વધુ છે.

Read the Next Article

ભરૂચ: વિશ્વ હિન્દુ પરિષદના સ્થાપના દિવસ નિમિત્તે ભગવાન સત્યનારાયણની કથાનું આયોજન, VHPએ સ્થાપનાના 6 દાયકા પૂર્ણ કર્યા

ભરૂચમાં વિશ્વ હિન્દુ પરિષદના 61મા સ્થાપના દિવસ નિમિત્તે ભગવાન સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યુ હતું જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને આગેવાનો જોડાયા હતા

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યુ આયોજન

  • વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજન

  • સ્થાપના દિવસની ઉજવણી કરાય

  • ભગવાન સત્યનારાયણની કથાનું આયોજન

  • આગેવાનો અને કાર્યકરો રહ્યા ઉપસ્થિત

Advertisment
ભરૂચમાં વિશ્વ હિન્દુ પરિષદના 61મા સ્થાપના દિવસ નિમિત્તે ભગવાન સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યુ હતું જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને આગેવાનો જોડાયા હતા
વિશ્વ હિન્દુ પરિષદના 61મા સ્થાપના દિવસ નિમિત્તે ભરૂચ શહેરમાં ભવ્ય ધાર્મિક તથા સામાજિક કાર્યક્રમોની શ્રેણી શરૂ કરવામાં આવી છે. આ અંતર્ગત આજે ભરૂચ શહેરમાં શંભુ ડેરી નજીક આવેલ રેવા સેવા સમન્વય  સમિતિ સંઘ કાર્યાલય  ખાતે ભક્તિભાવથી સત્યનારાયણ ભગવાનની પાવન કથાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પાવન પ્રસંગે 
ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, મહામંત્રી નિરલ પટેલ,મુક્તેશ્વર સ્વામી, વાલ્મિકી સમાજ ઘોઘારાવ મંદિરના ગાદીપતિ જય મહારાજ, રમેશ રાવલ,વીએચપીના ધર્મેશ પટેલ, જિલ્લા મંત્રી રાહુલ પટેલ, શહેર પ્રમુખ હેમંત જાદવ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. વર્ષ 1964માં સ્થાપિત થયેલી વિશ્વ હિન્દુ પરિષદે છેલ્લા છ દાયકાથી વધુ સમયગાળામાં સમાજ સમરસતા, ધાર્મિક જાગૃતિ, ગૌસંરક્ષણ, સેવા કાર્યો તેમજ રાષ્ટ્રીય એકતાના ક્ષેત્રે અવિરત યોગદાન આપ્યું છે. 
#Bharuch #CGNews #Foundation Day #VHP #Vishwa Hindu Parishad #Satyanarayana Katha
Latest Stories