ભરૂચ: દિવાળીના પર્વમાં શ્રમયોગીઓને વતન પહોંચાડવા માટે ST વિભાગ સજ્જ

પ્રકાશના પર્વ દિવાળીને ઉજવવા માટે શ્રમયોગીઓ પોતાના વતન જતા હોય છે ત્યારે ભરૂચ-અંકલેશ્વર એસટી ડેપો ખાતેથી એક્સ્ટ્રા બસોનું આયોજન કરવામાં આવ્યું છે

New Update

પ્રકાશના પર્વ દિવાળીને ગણતરીના દિવસો બાકી

એસ.ટી.વિભાગ દ્વારા કરાયુ વિશેષ આયોજન

ભરૂચ-અંકલેશ્વર એસ.ટી.ડેપો દ્વારા આયોજન

150થી વધુ એક્સ્ટ્રા બસ દોડાવાશે

ગ્રુપ બુકીંગ પણ શરૂ કરાયુ

પ્રકાશના પર્વ દિવાળીને ઉજવવા માટે શ્રમયોગીઓ પોતાના વતન જતા હોય છે ત્યારે ભરૂચ-અંકલેશ્વર એસટી ડેપો ખાતેથી એક્સ્ટ્રા બસોનું આયોજન કરવામાં આવ્યું છે
પ્રકાશના પર્વ દિવાળીની સૌ કોઈ ઉત્સાહભેર ઉજવણી કરતા હોય છે ત્યારે રોજેરોટી કમાવવા માટે ભરૂચ અને અંકલેશ્વરમાં વસેલા શ્રમયોગીઓ સરળતાથી માદરે વતન જઈ શકે તે માટે ભરૂચ એસ.ટી  વિભાગ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. ભરૂચ એસટી વિભાગ દ્વારા તારીખ 27મી ઓક્ટોબરથી એક્સ્ટ્રા બસ દોડાવવાનું આયોજન કરાયું છે.જેમાં અંકલેશ્વર જીઆઇડીસી ડેપો,ભોલાવ  ડેપો અને રાજપીપળા ડેપો ખાતેથી 150થી વધુ બસ દોડાવવામાં આવશે જેથી કરીને શ્રમયોગીઓ પોતાના વતન સરળતાથી જઈ શકે.ખાસ કરીને દાહોદ અને ગોધરા તરફ વધુ બસ દોડાવામાં આવશે. આ ઉપરાંત એસ.ટી વિભાગ દ્વારા ગ્રુપ બુકિંગ પણ કરવામાં આવશે જેમાં શ્રમયોગીઓ ભરૂચ અંકલેશ્વરમાં જે સ્થળે રહેતા હોય ત્યાંથી લઈને તેમના વતન સુધી મૂકી આવશે ત્યારે વિશેષ પ્રકારનું આયોજન ભરૂચ એસટી વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે
આ તરફ અંકલેશ્વર એસ.ટી.ડેપો દ્વારા પણ દિવાળીને લઇ વિશેષ આયોજન કરાયુ છે જેમાં 20થી વધુ એક્સ્ટ્રા બસ દોડાવવામાં આવશે.જીઆઇડીસી ડેપોમાંથી વધારાની બસો દોડશે.દાહોદ, ગોધરા, સાગબારા ,સેલંબા ,મહીસાગર સહીત વિવિધ બસના મુસાફરોને ધ્યાને લઇ એક્સ્ટ્રા બસ દોડવા આવશે. 27મી ઓક્ટોબર થી 6 નવેમ્બર સુધી સતત વધારાની બસો દોડાવવામાં આવશે
Read the Next Article

અંકલેશ્વર નગરપાલિકા દ્વારા રખડતા ઢોર પકડવાની ડ્રાઇવનો પ્રારંભ, ઢોર ડબ્બામાં 14 રખડતા ઢોર પુરાયા....

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં રખડતાં ઢોરની વિકટ સમસ્યા મામલે નગરપાલિકા તંત્ર એક્શનમાં આવ્યું છે. જેમાં ટ્રાફિકને અડચણરૂપ રખડતા ઢોર પકડી અંકલેશ્વર નગરપાલિકાના ઢોર ડબ્બામાં પુરવામાં આવ્યા હતા.

New Update
stray cattlessss

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં રખડતાં ઢોરની વિકટ સમસ્યા મામલે નગરપાલિકા તંત્ર એક્શનમાં આવ્યું છે. જેમાં ટ્રાફિકને અડચણરૂપ રખડતા ઢોર પકડી અંકલેશ્વર નગરપાલિકાના ઢોર ડબ્બામાં પુરવામાં આવ્યા હતા.

ભરૂચ સહિત અંકલેશ્વરમાં રખડતાં ઢોરની વિકટ સમસ્યા માથાના દુઃખાવા સમાન બની ગઈ છે, ત્યારે રખડતા ઢોર મામલે અંકલેશ્વર નગરપાલિકા તંત્ર એક્શનમાં આવ્યું છે. અંકલેશ્વર નગરપાલિકાના ચીફ ઓફિસર કેશવલાલ કોલડિયાના માર્ગદર્શન હેઠળ શહેરમાં રખડતા ઢોર પકડવાની ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. જેમાં ટ્રાફિકને અડચણરૂપ રખડતા ઢોર પકડી અંકલેશ્વર નગરપાલિકાના ઢોર ડબ્બામાં પુરવામાં આવ્યા હતા. જેમાં ગાય અને વાછરડા સહિત 14 રખડતા ઢોરને ઢોર ડબ્બામાં પુરવામાં આવ્યા હતા. અંકલેશ્વર નગરપાલિકા સેનેટરી ઇન્સ્પેક્ટર રઘુવીરસિંહ મહીડાની રાહબરી હેઠળ સેનીટેશન ખાતાના 4 સુપરવાઈઝર અને 1 મુકાદમ સહિત 5 શ્રમિકો દ્વારા ઢોર પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તો બીજી તરફ, અંકલેશ્વર નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા પશુ પાલકોને તાકીદ કરવામાં આવે છે કે, તમારા પશુઓને ઘરે બાંધીને રાખો અને એને જાહેર રસ્તા ઉપર રખડતા છોડવા નહીં. જો તઓને આપેલ સૂચનાનું પાલન કરવામાં આવશે નહીં, તો જે તે પશુપાલકો વિરુદ્ધ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.