ભરૂચ: ST વિભાગ હોળી-ધુળેટીના પર્વ પર વધારાની બસ દોડવાશે, શ્રમયોગીઓને સરળતાથી વતન પહોંચાડવા આયોજન

આગામી હોળી ધુળેટીના પર્વને ધ્યાને લઈ ભરૂચ એસ.ટી. વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસ દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રમયોગીઓ સરળતાથી પોતાના વતન જઈ શકે તે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

author-image
By Connect Gujarat Desk
New Update
  • ભરૂચ એસ.ટી.વિભાગનું આયોજન

  • હોળી-ધુળેટીના પર્વને લઇ આયોજન

  • વધારાની એસ.ટી.બસ દોડવાશે

  • શ્રમયોગીઓ માટે વિશેષ વ્યવસ્થા

  • રોજની 30 બસ વધારાની દોડાવાશે.

આગામી હોળી ધુળેટીના પર્વને ધ્યાને લઈ ભરૂચ એસ.ટી. વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસ દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રમયોગીઓ સરળતાથી પોતાના વતન જઈ શકે તે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.
આગામી હોળી ધુળેટીના તહેવારને ધ્યાને લઈ દાહોદ પંચમહાલ તરફના શ્રમયોગીઓને તેઓના વતન તરફ જવા માટે ભરૂચ એસ.ટી. વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસ સંચાલન કરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. ગતવર્ષે 78 વાહનો સંચાલિત કરી 11 લાખની આવક સાથે 5,200 શ્રમયોગીઓને તેમના વતન પહોંચાડવામાં આવ્યા હતા. જેને ધ્યાને લઈ ચાલુ વર્ષે પણ રોજિંદી 30 બસોનુ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જે અલગ અલગ સ્થળોએથી જેમ કે ભોલાવ બસ સ્ટેશન, જી.એન.એફ.સી. બસ સ્ટેશન, અંકલેશ્વર જીઆઇડીસી બસ સ્ટેશનથી એક્સ્ટ્રા સંચાલન તારીખ 10 માર્ચથી 12 માર્ચ સુધી ત્રણ દિવસમાં 90થી વધુ  એક્સ્ટ્રા બસ સંચાલન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
શ્રમયોગીઓને વતન જવા અર્થે આખી બસને માંગણી કરવાથી "એસ.ટી આપના દ્વારે" સૂત્ર હેઠળ તેઓને તેઓના કામ કરવાના સ્થળથી બસની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે જેથી તેઓ પોતાના વતન સરળતાથી પહોંચી શકશે.
Read the Next Article

ભરૂચ : પોલીસ દ્વારા હોસ્ટેલ ગ્રાઉન્ડ પર ભવ્ય નવરાત્રીનું મહોત્સવનો પ્રારંભ, IG સંદીપ સિંહે કર્યું પૂજન અર્ચન

ભરૂચ પોલીસ વેલ્ફેર સોસાયટી દ્વારા શહેરના મધ્યમાં આવેલ હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેનું વડોદરા રેન્જના આઈ.જી સંદીપસિંહના

New Update

નવ નવેલી રાતનો આજથી પ્રારંભ

ભરૂચ પોલીસ દ્વારા ભવ્ય આયોજન

હોસ્ટેલ ગ્રાઉન્ડ પર ગરબા મહોત્સવનું આયોજન

પૂજન અર્ચન સાથે પ્રારંભ કરાયો

પોલીસ અધિકારીઓ- કર્મચારીઓ રહ્યા ઉપસ્થિત

ભરૂચ પોલીસ વેલ્ફેર સોસાયટી દ્વારા શહેરના મધ્યમાં આવેલ હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેનું વડોદરા રેન્જના આઈ.જી સંદીપસિંહના હસ્તે પૂજન અર્ચન કરી પ્રારંભ કરવામાં આવ્યો હતો
ભરૂચ શહેરમાં જગત જનનીમાં જગદંબાની ભક્તિ અને આરાધનાના પર્વ નવરાત્રીનો આજથી પ્રારંભ થયો છે ત્યારે ભરૂચ પોલીસ દ્વારા શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રી મહોત્સવ યોજાઈ રહ્યો છે ત્યારે વડોદરા રેન્જના આઈ.જી.સંદીપસિંહ અને ભરૂચ જિલ્લા પોલીસવડા અક્ષય રાજ મકવાણાના હસ્તે શાસ્ત્રોક્તવિધિ અનુસાર પૂજન અર્ચન કરી ગરબા મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે પોલીસ અધિકારીઓ કર્મચારીઓ તેમજ શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.ખેલૈયાઓ સુરક્ષા ને સલામતી સાથે ગરબા રમી શકે તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને મહિલાઓ માટે હેલ્પ ડેસ્ક તથા આરોગ્યની સુવિધા પણ ઊભી કરવામાં આવી છે. નવરાત્રિના નવ દિવસ ભરૂચ પોલીસ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમશે.