ભરૂચ: ST વિભાગ હોળી-ધુળેટીના પર્વ પર વધારાની બસ દોડવાશે, શ્રમયોગીઓને સરળતાથી વતન પહોંચાડવા આયોજન

આગામી હોળી ધુળેટીના પર્વને ધ્યાને લઈ ભરૂચ એસ.ટી. વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસ દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રમયોગીઓ સરળતાથી પોતાના વતન જઈ શકે તે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

author-image
By Connect Gujarat Desk
New Update
  • ભરૂચ એસ.ટી.વિભાગનું આયોજન

  • હોળી-ધુળેટીના પર્વને લઇ આયોજન

  • વધારાની એસ.ટી.બસ દોડવાશે

  • શ્રમયોગીઓ માટે વિશેષ વ્યવસ્થા

  • રોજની 30 બસ વધારાની દોડાવાશે.

Advertisment W3.CSS
આગામી હોળી ધુળેટીના પર્વને ધ્યાને લઈ ભરૂચ એસ.ટી. વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસ દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રમયોગીઓ સરળતાથી પોતાના વતન જઈ શકે તે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.
આગામી હોળી ધુળેટીના તહેવારને ધ્યાને લઈ દાહોદ પંચમહાલ તરફના શ્રમયોગીઓને તેઓના વતન તરફ જવા માટે ભરૂચ એસ.ટી. વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસ સંચાલન કરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. ગતવર્ષે 78 વાહનો સંચાલિત કરી 11 લાખની આવક સાથે 5,200 શ્રમયોગીઓને તેમના વતન પહોંચાડવામાં આવ્યા હતા. જેને ધ્યાને લઈ ચાલુ વર્ષે પણ રોજિંદી 30 બસોનુ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જે અલગ અલગ સ્થળોએથી જેમ કે ભોલાવ બસ સ્ટેશન, જી.એન.એફ.સી. બસ સ્ટેશન, અંકલેશ્વર જીઆઇડીસી બસ સ્ટેશનથી એક્સ્ટ્રા સંચાલન તારીખ 10 માર્ચથી 12 માર્ચ સુધી ત્રણ દિવસમાં 90થી વધુ  એક્સ્ટ્રા બસ સંચાલન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
શ્રમયોગીઓને વતન જવા અર્થે આખી બસને માંગણી કરવાથી "એસ.ટી આપના દ્વારે" સૂત્ર હેઠળ તેઓને તેઓના કામ કરવાના સ્થળથી બસની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે જેથી તેઓ પોતાના વતન સરળતાથી પહોંચી શકશે.
Read the Next Article

ભરૂચ: NH 48 પર વરેડિયા ચોકડી નજીક રસ્તો ઓળંગતા જૈન સાધ્વીને ટેમ્પાએ મારી ટક્કર, સેવિકાનું મોત, સાધ્વીજી ઇજાગ્રસ્ત

સેવિકાના માથા પરથી આઇસર ટેમ્પાનું ટાયર ફરી વળતા સ્થળ પર જ મૃત્યુ થયું હતું. જ્યારે ઇજાગ્રસ્ત સાધ્વીજીને સારવાર અર્થે 108 માં ભરૂચ સિવિલમાં ખસેડાયા

New Update
Palej Police
રાજસ્થાનના પાલીથી જૈન સાધ્વીજી મધુ સુધાજી વિહાર માટે નીકળ્યા હતા. આજે મળસ્કે તેઓ ભરૂચ હાઇવે પર વરેડિયા સુંદર વિહાર ધામથી નીકળી અસુરીયા જૈન વિહાર ધામે જઈ રહ્યાં હતાં. તેઓ સાથે અર્ટિગાના લઈ ડ્રાઈવર વિહારમાં સાથે હતા. વરેડિયા ચોકડી વ્હિલચેરમાં સાધ્વીજીને ક્રોસ કરાવી સેવિકા ગજરા બેન મેઘવાલ પાલેજ - ભરૂચની લેન તરફ જઈ રહ્યા હતા. ત્યારે ત્રીજી લેનમાં આવેલા આઇસર ટેમ્પા ચાલકે વ્હીલચેરને અડફેટે લઈ ફંગોળી દીધી હતી.
Advertisment W3.CSS
જેમાં સાધ્વી મહારાજજી અને સેવિકા રસ્તા પર પટકાયા હતા. સેવિકાના માથા પરથી ટેમ્પાનું ટાયર ફરી વળતા સ્થળ પર જ મૃત્યુ થયું હતું. જ્યારે ઇજાગ્રસ્ત સાધ્વીજીને 108 માં ભરૂચ સિવિલમાં ખસેડાયા હતા. પાલેજ પોલીસ મથકે ટેમ્પા ચાલક અચ્છેલાલ યાદવ સામે ગુનો દાખલ કરાયો હતો.