ભરૂચ: 9 વર્ષથી ધૂળ ખાતી સાયકલ મામલે સમાજ કલ્યાણ વિભાગનું નિવેદન

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર અને જંબુસરમાં વિદ્યાર્થીઓને વિતરણ કરવાની 350થી વધુ સાયકલ ધૂળ ખાય રહી હોવાના અહેવાલ બાદ સમાજ કલ્યાણ વિભાગનું નિવેદન સામે આવ્યું છે

New Update

અંકલેશ્વર અને જંબુસરમાં વિદ્યાર્થીઓને વિતરણ કરવાની 350થી વધુ સાયકલ ધૂળ ખાય રહી હોવાના અહેવાલ બાદ સમાજ કલ્યાણ વિભાગનું નિવેદન સામે આવ્યું છે

ગરીબ વિદ્યાર્થીઓ સરળતાથી શાળાએ પહોંચી શકે તે માટે સરસ્વતી સાધના યોજના હેઠળ સાયકલનું વિતરણ કરવામાં આવે છે પણ અંકલેશ્વરની જીનવાલા અને એમટીએમ હાઇસ્કૂલમાં 250 જેટલી સાયકલો વિતરણ થયા વિના પડી રહેતાં ભંગાર બની ચુકી છે.વર્ષો થી ધૂળ ખાતી આ સાઇકલો પ્રત્યે શિક્ષણ વિભાગ ના જવાબદાર અધિકારીઓ ની અનદેખી ને લઇ આજદિન સુધી લાભાર્થીઓ લાભથી વંચિત રહ્યા છે.
આ જ રીતે સાયકલનો જથ્થો જંબુસરની  શાળાઓમાં પણ પડ્યો છે. જંબુસરમાં પણ સાયકલનો મોટો જથ્થો કાટ ખાઈ રહ્યો છે ત્યારે આ અંગે સમાજ કલ્યાણ અધિકારીને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે સરસ્વતી સાધના યોજના હેઠળ વિદ્યાર્થીઓને આ સાયકલનું વિતરણ કરવાનું હોય છે પરંતુ હજુ સુધી વિતરણ કરવાનો આદેશ ના મળતા આ સાયકલ આમ જ પડી રહી છે. આગામી દિવસોમાં આદેશ આવતા જ આ સાયકલનું વિતરણ કરી દેવામાં આવશે
Read the Next Article

ભરૂચ: અષાઢી બીજે 6 સ્થળોએથી નિકળશે ભગવાન જગન્નાથની રથયાત્રા, પોલીસ ડ્રોન કેમેરાથી રાખશે નજર

અષાઢી બીજ નિમિત્તે ભરૂચ જિલ્લામાં છથી વધુ રથયાત્રા નિકળશે જેને ધ્યાને લઈ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આવતીકાલે અષાઢી બીજના

New Update

ભરૂચમાં આવતીકાલે કરવામાં આવ્યું આયોજન

6 સ્થળોએથી રથયાત્રાનું આયોજન

પોલીસનો રહેશે ચુસ્ત બંદોબસ્ત

ડ્રોન કેમેરાથી રાખવામાં આવશે નજર

700થી વધુ પોલીસકર્મીઓ રહેશે તૈનાત

અષાઢી બીજ નિમિત્તે ભરૂચ જિલ્લામાં છથી વધુ રથયાત્રા નિકળશે જેને ધ્યાને લઈ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

આવતીકાલે અષાઢી બીજના પાવન દિવસે ભરૂચ જિલ્લાભરમાં વિવિધ સ્થળોએ કુલ 6 રથયાત્રાઓ યોજાવાની છે. ભરૂચ શહેરમાં ત્રણ, અંકલેશ્વરમાં બે તથા ઝઘડિયામાં એક રથયાત્રા યોજાવાની છે. ભક્તિભાવ અને શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તે હેતુસર જિલ્લા પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.ભરૂચ શહેરની અતિ પૌરાણિક ગણાતી દત્ત મંદિરથી ભોઈવાડ સુધીની રથયાત્રાના માર્ગ પર આજે પોલીસ વિભાગ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ હતી. આ ફ્લેગ માર્ચ ફુરજા ચોકથી શરૂ થઈ લાલ બજાર, ચકલા, હાથીખાના બજાર, અને સોનેરીમહલ સુધી યોજાઈ હતી. સમગ્ર ફ્લેગ માર્ચ ડીવાયએસપી  સી.કે. પટેલના માર્ગદર્શન હેઠળ સંપન્ન થઈ હતી.રથયાત્રા દરમ્યાન પોલીસ બંદોબસ્તમાં 3 ડીવાયએસપી, 8 પીઆઈ, 23 પીએસઆઈ, 456 હેડ કોન્સ્ટેબલ તથા પોલીસ જવાનો સાથે 266 હોમગાર્ડનો સમાવેશ થાય છે. ઉપરાંત ડ્રોન કેમેરાની મદદથી સમગ્ર યાત્રામાર્ગ ઉપર નજર રાખવામાં આવશે.