ભરૂચ: ધો.12 સામાન્ય-વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનો પ્રારંભ,અધિકારીઓએ વિદ્યાર્થીઓને આપ્યો આવકાર

ભરૂચ જિલ્લામાં ધોરણ 12 સામાન્ય તેમજ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો હતો વિવિધ પરીક્ષા કેન્દ્રો પર અધિકારીઓએ પહોંચી વિદ્યાર્થીઓને આવકાર આપ્યો હતો

New Update
  • ભરૂચ જિલ્લામાં બોર્ડની પરીક્ષાનો પ્રારંભ

  • ધો.10 બાદ ધોરણ 12ની પરીક્ષાનો પણ પ્રારંભ થયો

  • કુમકુમ તિલક કરી વિદ્યાર્થીઓને અપાયો પ્રવેશ

  • અધિકારીઓ રહ્યા ઉપસ્થિત

  • પરીક્ષા કેન્દ્રો બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત

Advertisment
ભરૂચ જિલ્લામાં ધોરણ 12 સામાન્ય તેમજ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો હતો વિવિધ પરીક્ષા કેન્દ્રો પર અધિકારીઓએ પહોંચી વિદ્યાર્થીઓને આવકાર આપ્યો હતો
આજથી ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાઓનો પ્રારંભ થયો છે ત્યારે સવારના સમયે ધોરણ 10નું પ્રથમ ભાષાનું પ્રશ્નપત્ર શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું હતું અને પ્રશ્નપત્ર એકંદરે  સરળ રહેતા વિદ્યાર્થીઓ ખુશખુશાલ નજરે પડ્યા હતા ત્યારે બપોરના સમયે ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનો પ્રારંભ થયો હતો.ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલ જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે અધીક કલેક્ટર એન.આર. ધાંધલ અને જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાઉલે વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી પુષ્પગુરછ આપી પરીક્ષા કેન્દ્ર પર આવકાર આપ્યો હતો.ભરૂચ જિલ્લામાં 12 સામાન્ય પ્રવાહની 12 પરીક્ષા કેન્દ્ર અને 30 બિલ્ડીંગમાં  8154 વિદ્યાર્થીઓ તેમજ ધો.12 વિજ્ઞાન પ્રવાહના ચાર પરીક્ષા કેન્દ્રો અને 17  બિલ્ડીંગમાં 3048 વિદ્યાર્થીઓ માટે  વ્યવસ્થા  કરવામાં આવી છે.પરીક્ષા કેન્દ્રની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો
Advertisment
Read the Next Article

ભરૂચ: મનરેગા કૌભાંડમાં હાંસોટના 4 ગામોમાં પોલીસની તપાસ, પંચકેસ સહિતની પ્રક્રિયા પૂર્ણ કરાય

ભરૂચમાં પણ મનરેગા કૌભાંડ બહાર આવ્યું છે.જેમાં બે એજન્સીએ મળી 11 ગામોમાં મનરેગા હેઠળ થયેલા કામોમાં ગેરરીતિ આચરી રૂપિયા 19.64 લાખ સરકાર પાસે વસૂલ્યા હોવાની પોલીસ ફરિયાદ નોંધાય 

New Update
  • ભરૂચમાં બહાર આવ્યું મનરેગા કૌભાંડ

  • 3 તાલુકાના ગામોમાં કૌભાંડ આચરાયું

  • પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો

  • ગામોમાં પંચકેસ સહિતની પ્રક્રિયા શરૂ કરાય

  • 9 પોલીસકર્મીઓનો તપાસ ટીમમાં સમાવે સમાવેશ થાય છે 

Advertisment

 

ભરૂચ જિલ્લામાં બહાર આવેલ મનરેગા કૌભાંડમાં પોલીસની ટીમ દ્વારા આજરોજ હાંસોટ તાલુકાના 4 ગામોમાં તપાસ કરી પંચકેસ સહિતની કાર્યવાહી કરી હતી ભરૂચમાં પણ મનરેગા કૌભાંડ બહાર આવ્યું છે.જેમાં બે એજન્સીએ મળી 11 ગામોમાં મનરેગા હેઠળ થયેલા કામોમાં ગેરરીતિ આચરી રૂપિયા 19.64 લાખ સરકાર પાસે વસૂલ્યા હોવાની પોલીસ ફરિયાદ નોંધાય  હતી.આ બે એજન્સીઓમાં વેરાવળની જલારામ એન્ટરપ્રાઇઝ અને મુરલીધર એજન્સીનો સમાવેશ થાય છે. આ મામલે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

ભરૂચ જિલ્લા પોલીસવડા મયુર ચાવડા દ્વારા સ્પેશિયલ ટીમ બનાવવામાં આવી છે. જેમાં 3 અધિકારીઓ અને 6 પોલીસકર્મીઓનો સમાવેશ થાય છે. આ અંગે તપાસ અધિકારી આર.એમ.વસાવાએ જણાવ્યુ હતું કે ટીમ દ્વારા આજરોજ હાંસોટ તાલુકાના સમલી, કંટીયાજાળ, બોલાવ અને સુણેવખુદ ગામમાં તપાસ કરવામાં આવી હતી.પોલીસકર્મીઓ દ્વારા પંચકેસ સહિતની કાર્યવાહી કરવામાં આવી છે.ભરૂચ જિલ્લાના કુલ 56 ગામોમાં 7.30 કરોડનું કૌભાંડ આચરાયુ હોવાની આશંકા પોલીસ ફરિયાદમાં વ્યક્ત કરવામાં આવી છે જેમાં હાંસોટ તાલુકાના સૌથી વધુ ગામોનો સમાવેશ થાય છે.

Advertisment