ભરૂચ: નિર્ભયાને ન્યાય અને નરાધમને ફાંસીની સજાની માંગ સાથે વિદ્યાર્થીઓની રેલી

આઠ દિવસની સારવાર બાદ બાળકીએ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધો હતો.બાળકીના નિધનના સમાચાર મળતા જ ભરૂચ સહિત ઠેર ઠેર આરોપી વિરુદ્ધ લોકોમાં આક્રોશ ફેલાયો છે.

New Update
  • ભરૂચની નિર્ભયા જિંદગીનો જંગ હારી

  • ઠેર ઠેર લોકોમાં આક્રોશ

  • ભરૂચમાં વિદ્યાર્થીઓએ કાઢી રેલી

  • નરાધામને ફાંસીની સજાની માંગ કરાય

  • 500 પત્રો પણ લખાયા

ભરૂચમાં માત્ર દસ વર્ષની બાળકી સાથે આરોપીએ આચરેલા દુષ્કર્મના વિરોધમાં મંગળવારના રોજ જયેન્દ્રપુરી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના 500 જેટલા વિદ્યાર્થીઓએ રેલી સ્વરૂપે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી આરોપીને ફાંસીની સજાની માંગ કરી હતી
ભરૂચની નિર્ભયા સાથે તેના જ પાડોશીએ ક્રૂરતાપૂર્વક દુષ્કર્મ આચરતા તેની હાલત ગંભીર બનતા વડોદરામાં  ગતરોજ આઠ દિવસની સારવાર બાદ બાળકીએ અંતિમ શ્વાસ લીધો હતો.બાળકીના નિધનના સમાચાર મળતા જ ભરૂચ સહિત ઠેર ઠેર આરોપી વિરુદ્ધ લોકોમાં આક્રોશ ફેલાયો છે.
ત્યારે આજ રોજ ભરૂચની જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના  500 જેટલા વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓએ કોલેજથી રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી ખાતે પહોંચી સુત્રોચ્ચાર કરી આરોપીને ફાંસીની સજાની માંગ કરી હતી.આ ઉપરાંત વિદ્યાર્થીનીઓએ  500 જેટલા પત્રો લખીને કલેકટરને સોંપ્યા હતા અને  વિદ્યાર્થીઓએ બાળકી માટે બે મિનિટ મૌન પાડી શ્રધ્ધાંજલિ અર્પી હતી.
Read the Next Article

ભરૂચ: અષાઢી બીજે 6 સ્થળોએથી નિકળશે ભગવાન જગન્નાથની રથયાત્રા, પોલીસ ડ્રોન કેમેરાથી રાખશે નજર

અષાઢી બીજ નિમિત્તે ભરૂચ જિલ્લામાં છથી વધુ રથયાત્રા નિકળશે જેને ધ્યાને લઈ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આવતીકાલે અષાઢી બીજના

New Update

ભરૂચમાં આવતીકાલે કરવામાં આવ્યું આયોજન

6 સ્થળોએથી રથયાત્રાનું આયોજન

પોલીસનો રહેશે ચુસ્ત બંદોબસ્ત

ડ્રોન કેમેરાથી રાખવામાં આવશે નજર

700થી વધુ પોલીસકર્મીઓ રહેશે તૈનાત

અષાઢી બીજ નિમિત્તે ભરૂચ જિલ્લામાં છથી વધુ રથયાત્રા નિકળશે જેને ધ્યાને લઈ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

આવતીકાલે અષાઢી બીજના પાવન દિવસે ભરૂચ જિલ્લાભરમાં વિવિધ સ્થળોએ કુલ 6 રથયાત્રાઓ યોજાવાની છે. ભરૂચ શહેરમાં ત્રણ, અંકલેશ્વરમાં બે તથા ઝઘડિયામાં એક રથયાત્રા યોજાવાની છે. ભક્તિભાવ અને શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તે હેતુસર જિલ્લા પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.ભરૂચ શહેરની અતિ પૌરાણિક ગણાતી દત્ત મંદિરથી ભોઈવાડ સુધીની રથયાત્રાના માર્ગ પર આજે પોલીસ વિભાગ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ હતી. આ ફ્લેગ માર્ચ ફુરજા ચોકથી શરૂ થઈ લાલ બજાર, ચકલા, હાથીખાના બજાર, અને સોનેરીમહલ સુધી યોજાઈ હતી. સમગ્ર ફ્લેગ માર્ચ ડીવાયએસપી  સી.કે. પટેલના માર્ગદર્શન હેઠળ સંપન્ન થઈ હતી.રથયાત્રા દરમ્યાન પોલીસ બંદોબસ્તમાં 3 ડીવાયએસપી, 8 પીઆઈ, 23 પીએસઆઈ, 456 હેડ કોન્સ્ટેબલ તથા પોલીસ જવાનો સાથે 266 હોમગાર્ડનો સમાવેશ થાય છે. ઉપરાંત ડ્રોન કેમેરાની મદદથી સમગ્ર યાત્રામાર્ગ ઉપર નજર રાખવામાં આવશે.