ભરૂચ: નિર્ભયાને ન્યાય અને નરાધમને ફાંસીની સજાની માંગ સાથે વિદ્યાર્થીઓની રેલી

આઠ દિવસની સારવાર બાદ બાળકીએ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધો હતો.બાળકીના નિધનના સમાચાર મળતા જ ભરૂચ સહિત ઠેર ઠેર આરોપી વિરુદ્ધ લોકોમાં આક્રોશ ફેલાયો છે.

New Update
  • ભરૂચની નિર્ભયા જિંદગીનો જંગ હારી

  • ઠેર ઠેર લોકોમાં આક્રોશ

  • ભરૂચમાં વિદ્યાર્થીઓએ કાઢી રેલી

  • નરાધામને ફાંસીની સજાની માંગ કરાય

  • 500 પત્રો પણ લખાયા

ભરૂચમાં માત્ર દસ વર્ષની બાળકી સાથે આરોપીએ આચરેલા દુષ્કર્મના વિરોધમાં મંગળવારના રોજ જયેન્દ્રપુરી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના 500 જેટલા વિદ્યાર્થીઓએ રેલી સ્વરૂપે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી આરોપીને ફાંસીની સજાની માંગ કરી હતી
ભરૂચની નિર્ભયા સાથે તેના જ પાડોશીએ ક્રૂરતાપૂર્વક દુષ્કર્મ આચરતા તેની હાલત ગંભીર બનતા વડોદરામાં  ગતરોજ આઠ દિવસની સારવાર બાદ બાળકીએ અંતિમ શ્વાસ લીધો હતો.બાળકીના નિધનના સમાચાર મળતા જ ભરૂચ સહિત ઠેર ઠેર આરોપી વિરુદ્ધ લોકોમાં આક્રોશ ફેલાયો છે.
ત્યારે આજ રોજ ભરૂચની જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના  500 જેટલા વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓએ કોલેજથી રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી ખાતે પહોંચી સુત્રોચ્ચાર કરી આરોપીને ફાંસીની સજાની માંગ કરી હતી.આ ઉપરાંત વિદ્યાર્થીનીઓએ  500 જેટલા પત્રો લખીને કલેકટરને સોંપ્યા હતા અને  વિદ્યાર્થીઓએ બાળકી માટે બે મિનિટ મૌન પાડી શ્રધ્ધાંજલિ અર્પી હતી.
Read the Next Article

ભરૂચ : નિકોરાના આનંદીમાં આશ્રમ ખાતે સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન શિબિર યોજાઈ,800થી વધુ બહેનોએ લીધો લાભ

નિકોરા ધ્યાની ધામ આનંદીમાં આશ્રમ ખાતે 13 વર્ષથી વધુ વયની રાજપુત દીકરીઓ માટે એક દિવસીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 800થી વધુ રાજપૂત દિકરીઓએ લીધો શિબિરમાં ભાગ

New Update
  • સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન વિષય પર યોજાઈ શિબિર

  • નિકોરા આનંદીમાં ધ્યાની ધામ આશ્રમ ખાતે યોજાઈ શિબિર

  • રાજપૂત સમાજની દીકરીઓ માટે કરાયું આયોજન

  • 800થી વધુ રાજપૂત દિકરીઓએ લીધો શિબિરમાં ભાગ

  • રાજપૂત યુવા સંઘ પ્રેરિત મહિલા સંઘના હોદેદારોનું કરાયું સન્માન

ભરૂચના નિકોરા આનંદીમાં આશ્રમ ખાતે સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન શિબિર યોજાઈ હતી. જેમાં800થી વધારે બહેનોએ આ શિબિરનો લાભ લીધો હતો.

ભરૂચ તાલુકાના નિકોરા ગામેમાં નર્મદા નદીના કિનારે આનંદીમાં ધ્યાની ધામ આશ્રમ ખાતે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ પ્રેરિત મહિલા સંઘ અને યુવા પાંખ ભરૂચ જિલ્લા દ્વારા આયોજિત સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન શિબિરમાં800બહેનોએ શિબિરનો લાભ લીધો હતો.

નિકોરા ધ્યાની ધામ આનંદીમાં આશ્રમ ખાતે13વર્ષથી વધુ વયની રાજપુત દીકરીઓ માટે એક દિવસીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ આધુનિક યુગમાં પરિવારમાં સાંસ્કૃતિક સમસ્યાઓ થાય છેમેરેજ પછી  પોતાના જીવનમાં મૂલ્યવાન સમજણ આવે સાસરિયામાં પણ સંયુક્ત કુટુંબ સાથે રહી સમાજ અને પોતાનું નામ રોશન કરે તેવા ઉમદા હેતુથી સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં800થી વધુ દીકરીઓએ ઉપસ્થિત રહી પોતાના જીવનમાં પરિવર્તન માટેની હાંકલ  કરી હતી. આ સાથે જ આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાના નવ  નિયુક્ત હોદ્દેદારોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.