ભરૂચ: નિર્ભયાને ન્યાય અને નરાધમને ફાંસીની સજાની માંગ સાથે વિદ્યાર્થીઓની રેલી

આઠ દિવસની સારવાર બાદ બાળકીએ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધો હતો.બાળકીના નિધનના સમાચાર મળતા જ ભરૂચ સહિત ઠેર ઠેર આરોપી વિરુદ્ધ લોકોમાં આક્રોશ ફેલાયો છે.

New Update
  • ભરૂચની નિર્ભયા જિંદગીનો જંગ હારી

  • ઠેર ઠેર લોકોમાં આક્રોશ

  • ભરૂચમાં વિદ્યાર્થીઓએ કાઢી રેલી

  • નરાધામને ફાંસીની સજાની માંગ કરાય

  • 500 પત્રો પણ લખાયા

ભરૂચમાં માત્ર દસ વર્ષની બાળકી સાથે આરોપીએ આચરેલા દુષ્કર્મના વિરોધમાં મંગળવારના રોજ જયેન્દ્રપુરી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના 500 જેટલા વિદ્યાર્થીઓએ રેલી સ્વરૂપે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી આરોપીને ફાંસીની સજાની માંગ કરી હતી
ભરૂચની નિર્ભયા સાથે તેના જ પાડોશીએ ક્રૂરતાપૂર્વક દુષ્કર્મ આચરતા તેની હાલત ગંભીર બનતા વડોદરામાં  ગતરોજ આઠ દિવસની સારવાર બાદ બાળકીએ અંતિમ શ્વાસ લીધો હતો.બાળકીના નિધનના સમાચાર મળતા જ ભરૂચ સહિત ઠેર ઠેર આરોપી વિરુદ્ધ લોકોમાં આક્રોશ ફેલાયો છે.
ત્યારે આજ રોજ ભરૂચની જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના  500 જેટલા વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓએ કોલેજથી રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી ખાતે પહોંચી સુત્રોચ્ચાર કરી આરોપીને ફાંસીની સજાની માંગ કરી હતી.આ ઉપરાંત વિદ્યાર્થીનીઓએ  500 જેટલા પત્રો લખીને કલેકટરને સોંપ્યા હતા અને  વિદ્યાર્થીઓએ બાળકી માટે બે મિનિટ મૌન પાડી શ્રધ્ધાંજલિ અર્પી હતી.
Read the Next Article

ભરૂચ : ઝઘડીયા ચાર રસ્તા નજીક ક્રાંતિવીર બિરસા મુંડાની પ્રતિમાનું સાંસદ મનસુખ વસાવાના હસ્તે અનાવરણ કરાયું...

ભરૂચ જિલ્લાના ઝઘડીયા ખાતે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે આદિવાસી ક્રાંતિકારી બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ ભરૂચના સાંસદ મનસુખ વસાવાના હસ્તે કરવામાં આવ્યું હતું.

New Update
  • ઝઘડીયા ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાય

  • ઝઘડીયાAPMC ખાતેથી વિશાળનું આયોજન પણ કરાયું

  • ઝઘડીયા ખાતે બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ કરાયું

  • સાંસદ મનસુખ વસાવા સહિતના આગેવાનોની ઉપસ્થિતિ

  • મોટી સંખ્યામાં આદિવાસી સમાજના યુવાનો ઉપસ્થિત રહ્યા

ભરૂચજિલ્લાનાઝઘડીયાખાતેવિશ્વ આદિવાસી દિવસનિમિત્તેક્રાંતિવીર બિરસા મુંડાની પ્રતિમાનું સાંસદ મનસુખ વસાવાના હસ્તે અનાવરણકરવામાં આવ્યું હતું.

ભરૂચ જિલ્લાના ઝઘડીયા ખાતે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે આદિવાસી ક્રાંતિકારી બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ ભરૂચના સાંસદ મનસુખ વસાવાના હસ્તે કરવામાં આવ્યું હતું. ઝઘડીયાAPMC ખાતેથી બેન્ડવાજાના તાલે રેલી નીકળી ઝઘડીયા ચાર રસ્તા નજીક બિરસા મુંડા પ્રતિમા પાસે પહોચી હતી. ત્યારબાદ આદિવાસી ક્રાંતિકારી બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાંસદ મનસુખ વસાવાએ ઝઘડીયા સુલતાનપુરા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ સુરેશ વસાવા તેમજ ભગવાન બિરસા મુંડા યુવા સમિતિને અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે સંગઠનના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં આદિવાસી સમાજના યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.