ભરૂચ: ગટરમાંથી મળેલા હાથ પરના ટેટુએ મૃતકની ઓળખ કરાવી ! હત્યારાની ધરપકડ માટે પોલીસની કવાયત

ભરૂચના કોલેજ રોડ પર ગટરોમાંથી માનવ  શીશ મળ્યા બાદ મૃતકોના અંગો મળી આવવાના મામલામાં પોલીસને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. પોલીસે મૃતકની ઓળખ કરવામાં સફળતા મેળવી છે.

New Update

મૃતકની ઓળખ કરવામાં સફળતા મળી, હવે હત્યારાની ધરપકડ માટે કવાયત

ભરૂચના કોલેજ રોડ પર આવેલ દૂધધારા ડેરી નજીકની ગટરમાંથી શનિવારે સમી સાંજના સમયે માનવ શીશ મળી આવ્યું હતું. શ્વાનો માનવશિશને ચૂંથી રહ્યા હતા તે દરમિયાન આ ઘટના બની હતી.

આ અંગે પોલીસ અને સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીને જાણ કરાતા તેઓ દોડી આવ્યા હતા અને અન્ય અંગોની શોધખોળ હાથ ધરી હતી દરમિયાન રવિવારે સવારના સમયે કમરથી ઘૂંટણ સુધીનો ભાગ મળી આવ્યો હતો તો રવિવારે સાંજે જ આ ગટરની સામે આવેલ ગટરમાંથી એક હાથ મળી આવ્યો હતો. તો સોમવારે સવારે પણ એક હાથ મળી આવ્યો હતો પોલીસે આમ આ મામલામાં મૃતકની ઓળખ કરવા માટે વિવિધ ટીમો બનાવી હતી ત્યારે પોલીસને મોટી સફળતા હાથ લાગી છે.

મૃતક ભરૂચની શ્રવણ ચોકડી વિસ્તારમાં આવેલ વેદાંત સોસાયટીમાં રહેતો 34 વર્ષીય સચિનકુમાર પ્રવિણસિંહ ચૌહાણ હોવાનું ખુલ્યું છે. સચિન ચૌહાણ તથા તેની પત્નિ પારૂલબેન તથા છોકરો શિવા સાથે હોળીના તહેવાર  માટે વતનમાં ગયા હતા ત્યાર બાદ પત્ની અને બાળકોને ત્યાં મુકીને 6 માર્ચ 2025ના રોજ પરત ભરૂચ ખાતે આવ્યો હતો.

જ્યારે 23 મી માર્ચના સાંજના આઠ વાગે સચિને તેની પત્ની પારુલને ફોન કરીને તેમને લેવા જવાની વાત કરી હતી ત્યાર બાદ સચિનનો મોબાઈલ ફોન સ્વિચ ઓફ થઈ ગયો હતો. જેથી સચીનના ભાઈએ 28 મી માર્ચ 2025 ના રોજ ભરૂચ આવીને તપાસ કરતા તેના ઘરે તાળું મળી આવ્યું હતું. સચિનનો કોઈ પત્તો ન લાગતા તેણે ગુમ થવા અંગે એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાવી હતી.

ગટરમાંથી મળેલ હાથ પરના ટેટુના આધારે પોલીસે મૃતકની ઓળખ કરવામાં સફળતા મેળવી હોવાનું જાણવા મળ્યું છે. મામલામાં મૃતક સચિનની ઘાતકી હત્યા કરવામાં આવ્યા બાદ તેના અંગો કાપી પોલીસને ગુમરાહ કરવા માટે ગટરમાં અલગ અલગ જગ્યાએ ફેંક્યા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે ત્યારે પોલીસે હત્યારાને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે.

Read the Next Article

ભરૂચ : વરસાદની તોફાની બેટિંગથી શહેર વિસ્તારમાં પાણી ભરાતા હાલાકી,વાહન ચાલકો માટે સર્જાય મુશ્કેલી,જનજીવન અસ્તવ્યસ્ત

ગુજરાત રાજ્યમાં હવામાન ખાતા દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. સોમવારની સવારથી જ વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદ ખાબક્યો હતો

New Update
  • ભરૂચ જિલ્લામાં વરસાદની તોફાની ઈનિંગ

  • શહેરમાં દોઢ ઇંચ વરસાદથી જળબંબાકાર

  • વિવિધ વિસ્તારમાં ભરાયા વરસાદી પાણી

  • અંકલેશ્વર-હાંસોટમાં એક એક ઇંચ વરસાદ ખાબક્યો

  • જાહેર માર્ગો પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી  

ભરૂચ જિલ્લામાં સોમવારની શુભ શરૂઆત મુશળધાર વરસાદથી થઇ હતી,અને સેવાશ્રમ,પાંચબત્તી,કસક,ગાંધી બજાર ચાર રસ્તા સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકો તેમજ વેપારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

ગુજરાત રાજ્યમાં હવામાન ખાતા દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. સોમવારની સવારથી જ વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદ ખાબક્યો હતો,જ્યારે ભરૂચ જિલ્લામાં પણ મેઘરાજાએ ધડબડાટી બોલાવી હતી.જાણવા મળ્યા મુજબ ભરૂચમાં દોઢ ઇંચ જ્યારે અંકલેશ્વર અને હાંસોટમાં એક - એક ઇંચ વરસાદ ખાબક્યો હતો.અને ભરૂચ શહેરમાં જળબંબાકારની જેવી સ્થિતિ સર્જાઈ ગઈ હતી.ભારે વરસાદને પગલે જનજીવન પણ પ્રભાવિત થયું હતું.

ભરૂચ શહેરના પાંચબત્તી,સેવાશ્રમ રોડ,ગાંધી બજાર ચાર રસ્તા,કસક સહિતના વિસ્તારોમાં વરસાદી પાણીએ જમાવટ કરતા વાહન ચાલકો સહિત વેપારીઓએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.અને દર વર્ષે વરસાદની મોસમમાં આ માર્ગો પર વરસાદી પાણી ભરાય છે,ત્યારે પાલિકા તંત્ર દ્વારા આ ઘટના સંદર્ભે યોગ્ય કામગીરી કરવામાં તેવી માંગ  ઉઠવા પામી હતી.