ભરૂચ : દહેજ-ભેંસલી નજીકથી યુવકનો મૃતદેહ મળી આવવાનો મામલો, એક હત્યારાની પોલીસે કરી ધરપકડ...

ભેંસલી ગામની અવાવરું જગ્યામાંથી એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. જેનું ગળું દબાવી હત્યા કરાઈ હોવાનું બહાર આવતા પોલીસે એક શખ્સની ધરપકડ કરી...

New Update
  • દહેજ-ભેંસલી નજીકથી યુવકનો મૃતદેહ મળી આવવાનો મામલો

  • 4 મહિના પહેલાં અવાવરૂ જગ્યાએથી મળી આવ્યો હતો મૃતદેહ

  • યુવકનો મૃતદેહ ભેંસલી નજીક ફેંકી હત્યારાઓ થયા હતા ફરાર

  • પોલીસે એક આરોપીને ઝડપી પાડ્યોજ્યારે 4 શખ્સો વોન્ટેડ

  • રૂપિયાની લેતીદેતીમાં યુવકની હત્યા કરવામાં આવી : પોલીસ

 ભરૂચ જિલ્લાના દહેજ નજીક ભેંસલી ગામની અવાવરું જગ્યામાંથી એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. જેનું ગળું દબાવી હત્યા કરાઈ હોવાનું બહાર આવતા પોલીસે એક શખ્સની ધરપકડ કરી છેજ્યારે અન્ય 4 શખ્સોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

મૂળ ઉત્તરપરદેશના ઝાંસીના અતુલ પટેરિયાનો ભાઈ દિલીપકુમાર ઉર્ફે દિપક વડોદરાની આર્યા રોડ લાઈન્સમાં સુપરવાઈઝર તરીકે નોકરી કરતો હતો. જે ભરૂચ જિલ્લાના દહેજના જોલવા ખાતે રહેતો અને ડ્રાઇવરોનો હિસાબ કિતાબ રાખતો હતો. તે અરસામાં ગત તા. 22મી સપ્ટેમ્બર-2024ના રોજ અતુલના પુત્રનો જન્મદિવસ હોયજેથી તેઓએ દિલીપને ફોન કર્યો હતો.

પરંતુ તે બંધ આવતો હતો. જે બાદ સાંજના સમયે દિલીપ સાથે રહેતાં બ્રિજમોહને તેમને ફોન કરીને જણાવ્યું હતું કે20મી સપ્ટેમ્બરથી દિલીપ ગાયબ છે. તે ગામ આવ્યો છે કેકેમ તે અંગે પૂછતા તે વતનમાં આવ્યો ન હોવાનું જણાવ્યું હતું. તે અરસામાં દહેજના ભેંસલી ગામેથી તેનો મૃતદેહ મળી આવતા અતુલે હત્યાની આશંકા વ્યક્ત કરી દહેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

જેમાં પોલીસે તપાસ આગળ ધપાવતા પેનલ પીએમ કરાવવા સાથે સીસીટીવી ફૂટેજટેકનિકલ સર્વેલાન્સ તેમજ હ્યુમન સોર્સિસની મદદ લેવામાં આવી હતી. તો બીજી તરફપોલીસ તપાસમાં મૃતક દિપકના કાર્ડથી અલગ અલગ ATMથી તેના એકાઉન્ટમાંથી રૂપિયા ઉપાડ્યાં હોવાનું માલુમ પડતાં પરિવારજનોને પુછતાં તેમણે કોઈ રૂપિયા ઉપાડ્યા ન હોવાનું તેમજ આર્યા ટ્રાન્સ્પોર્ટમાં ડ્રાઇવિંગ કરતાં શાહનવાઝ ઉર્ફે ખુરશીદ ઉર્ફે સાહિલ તેમજ સોહેલ એહમદ પ્રતાપગઢ સાથે રૂપિયાની લેવડદેવડમાં વિવાદ થયો હોવાનું માલુમ પડયું હતું.

 જેથી તેઓની તપાસ કરતાં તે તેમજ અન્ય 4 સાગરિતો શંકાના દાયરામાં આવ્યા હતા. જેથી પોલીસે તમામ શંકમંદો શાહનવાઝ ઉર્ફે ખુરશીદ ઉર્ફે સાહિલસોહેલ એહમદખાનમહંમદ હનીશ ઉર્ફે રાજાનસીફ તેમજ મહમદ અનસ સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તે દરમ્યાન માહિતી મળી હતી કેઆ આરોપીઓ પૈકી એક જોલવામાં ડ્રાઈવરની નોકરી શોધી રહ્યો છે.

બાતમીના આધારે દહેજ પોલીસે દોડી જઇ મોહમ્મદ અનસને ઝડપી પાડી પૂછપરછ કરતા દીપકની હત્યા તેના અન્ય 4 સાથીદારો સાથે મળી કરી હોવાની કબૂલાત આપી મુંબઈથી પ્લાન બનાવી આવતા દોરડુંરૂમાલ ચપ્પુ‌ લીધા હોવાનું જણાવી તેના દ્વારા દિલિપ મોતને ઘાટ ઉતારી ભેસલી ખાતે મૃતદેહ ફેંકી મુંબઈ ભાગી ગયા હોવાનું પણ કહેતા પોલીસે તેની અટકાયત કરી રિમાન્ડ માટેની તજવીજ હાથ ધરી અન્ય 4 આરોપીઓને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે.

Read the Next Article

ભરૂચ : જિલ્લાની 67 ગ્રામ પંચાયત રાજની ચૂંટણી માટે યોજાયું મતદાન,મતદારોનો જોવા મળ્યો ઉત્સાહ

ભરૂચ જિલ્લાની કુલ 85 ગ્રામ પંચાયત માટે ચૂંટણીની જાહેરાત થઇ હતી,જેમાંથી 18 પંચાયતો સમરસ જાહેર થઇ હતી,તેથી 67 ગ્રામ પંચાયત માટે ચૂંટણી પ્રક્રિયા યોજવામાં આવી

New Update

ભરૂચ જિલ્લામાં પંચાયતીરાજની યોજાઈ ચૂંટણી

67 ગ્રામ પંચાયતો માટે યોજાઈ ચૂંટણી

શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા સંપન્ન

વૃદ્ધ અને અશક્ત મતદારોએ પણ બતાવ્યો ઉત્સાહ

ઉમેદવારોના ભાવિ મતપેટીમાં સીલ  

25 જૂને યોજાશે મતગણતરી

ભરૂચ જિલ્લાની પંચાયતીરાજની ચૂંટણી માટે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા યોજાઇ હતી.સવારના 7 વાગ્યાથી શરૂ થયેલા મતદાન પ્રક્રિયામાં મતદારોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

ભરૂચ જિલ્લાની કુલ 85 ગ્રામ પંચાયત માટે ચૂંટણીની જાહેરાત થઇ હતી,જેમાંથી 18 પંચાયતો સમરસ જાહેર થઇ હતી,તેથી 67 ગ્રામ પંચાયત માટે ચૂંટણી પ્રક્રિયા યોજવામાં આવી હતી.જેમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા યોજાઇ હતી.અને સવારથી જ મતદારોમાં મતદાન માટેનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

ભરૂચના તવરા,ઝાડેશ્વર, બંબુસર સહિતની ગ્રામ પંચાયતો માટે મતદાન પ્રક્રિયા યોજાઇ હતી.બંબૂસર ગામે સરપંચ પદ માટે પેટા ચૂંટણી યોજાઈ હતી.બંબુસર ગામે સરપંચ પદ માટે અત્યાર સુધી સમરસ થતું આવ્યું હતું અને 2021માં ચૂંટણી યોજાઈ હતી.જેમાં મતદાનના 2 દિવસ પહેલા સરપંચ પદના ઉમેદવારનું નિધન થતા ચૂંટણી ઠેલાઈ હતી. સરપંચ પદ માટે હાલ યોજાઈ રહેલી ચૂંટણીમાં બંબૂસર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ પદ માટે પેટા ચૂંટણી યોજાઈ છે.જેમાં 3 ઉમેદવારોએ ઉમેદવારી કરતા આજરોજ મતદાન યોજાયું હતું.અને  મતદારોએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું.

આ ઉપરાંત તવરા ગ્રામ પંચાયતની બેઠક પર મતદાન બુથ પર મતદારોની લાંબી કતાર જોવા મળી હતી,અને વરસતા વરસાદમાં પણ મતદારોનો ઉત્સાહ જોવા મળ્યો હતો.

મતદાન પ્રક્રિયા દરમિયાન પોલીસ દ્વારા અશક્ત મતદારો માટે સરાહનીય કામગીરી કરવામાં આવી હતી,અને લોકશાહીના પર્વમાં વૃદ્ધ અને અશક્ત મતદારોએ ઉત્સાહભેર મતદાન કરીને અન્ય લોકો માટે પ્રેરણારૂપ બન્યા હતા.  

અંકલેશ્વર તાલુકામાં 23 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ હતી.તાલુકાની કુલ 27 ગ્રામ પંચાયતમાંથી 4 પંચાયતો સમરસ જાહેર થઈ હતી.23 ગ્રામ પંચાયતોમાંથી 12 ગ્રામ પંચાયતોને સંવેદનશીલ જાહેર કરવામાં આવી હતી.ચૂંટણીની કામગીરીમાં 250 કર્મચારીઓ જોડાયા હતા. મતદાન પ્રક્રિયા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

અંકલેશ્વરના માંડવા,કોસમડી,સજોદ સહિત 23 ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં મતદારોએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું.અને ઉમેદવારોએ પોતાની જીતના દાવા કર્યા હતા. ઉલ્લેખનીય છે કે આગામી તારીખ 25મી જૂનના રોજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મતગણતરી યોજવામાં આવશે,અને ઉમેદવારોના ભાવિનો ફેંસલો થશે.