ભરૂચ: સરકારી યોજનાની સાયકલ છેલ્લા 9 વર્ષથી ધૂળ ખાઈ રહી છે

ભરૂચના અંકલેશ્વરમાં શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સરકાર દ્વારા અપાતી સાયકલ છેલ્લા નવ વર્ષથી કાટ ખાઈ રહી છે

New Update

અંકલેશ્વરમાં શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સરકાર દ્વારા અપાતી સાયકલ છેલ્લા નવ વર્ષથી કાટ ખાઈ રહી છે સરકારી બાબુઓની આળસના કારણે સરકારની મહત્વકાંક્ષી યોજના અભરાઈએ ચઢી હોય એવુ લાગી રહ્યું છે

ગુજરાતમાં કોઈ સરકારી યોજનાનો લાભ નિયત સમયમર્યાદામાં તેના લાભાર્થીને મળે તો તે ચમત્કાર જેવી ઘટના ગણાય છે. સરકાર મોટા ઉપાડે યોજનાઓ જાહેર કરી દે છે પરંતુ તેના અમલમાં સરકારી બાબુઓની લાલિયાવાડી અને આયોજનના અભાવ સ્પષ્ટપણે જોવા મળએ છે. પરિણામે કેટલીક મહત્વની યોજના પણ સરકારી બાબુઓ, રાજકારણીઓ અને અધિકારીઓની મિલીભગતના કારણે તેના યોગ્ય લાભાર્થી સુધી નિયત સમયમર્યાદામાં પહોંચતી નથી.
જેના કારણે સેંકડો લોકોએ લાચારી ભોગવવી પડે છે.અંકલેશ્વરમાં આવી જ એક મહત્વની યોજના હાલ સરકારી લાલિયાવાડીનો ભોગ બની છે.અંકલેશ્વરની એમ.ટી.એમ.ગર્લ્સ હાઈસ્કૂલ અને જીનવાલા હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓને આપવામાં આવતી સાયકલ ધૂળ ખાય રહી છે.આ સાયકલ વર્ષ 2015 એટલે કે 9 વર્ષથી અહીં પડી છે પણ હજુ સુધી તેનું વિતરણ કરવામાં આવ્યું નથી.સાયકલનો આ જથ્થો અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત વિવિધ શાળામાં પડી રહ્યો છે જેને અંકલેશ્વર,હાંસોટ અને જંબુસર સહિતના તાલુકાઓના વિદ્યાર્થીઓને વિતરણ કરવામાં આવનાર હતું પરંતુ સરકારી બાબુઓની આળસના કારણે સાયકલ કાટ ખાઈ રહી છે અને વિદ્યાર્થીઓને સરકાર દ્વારા મળતી યોજનાનો લાભ નથી મળી રહ્યો
Read the Next Article

ભરૂચ : અંકલેશ્વર-ઝઘડિયા માર્ગ પર કાર ચાલકે અડફેટે લેતા બાઈક સવારનું ઘટના સ્થળે મોત, પોલીસે તપાસ આરંભી...

કાર ચાલકે બાઈક સવારને ટક્કર મારી હતી. જેના કારણે બાઈક સવાર રાજુભાઈ ચખલીયા બાઈક સાથે રોડ પર ફંગોળાયા હતા, જેથી તેઓને શરીરે ગંભીર ઇજા પહોંચતા ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું

New Update
  • અંકલેશ્વર-ઝઘડિયા માર્ગ પર સર્જાયો ગમખ્વાર અકસ્માત

  • કાર અને બાઇક વચ્ચેના અકસ્માતમાં એક વ્યક્તિનું મોત

  • કાર ચાલકે બાઈક સવાર યુયાવ્કને અડફેટે લેતા કરૂણ મોત

  • સ્થળ પર પરિવારના આક્રંદથી વાતાવરણ ગમગીન બન્યું

  • પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ કરી 

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર-ઝઘડિયા માર્ગ પર કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર ચાલકે અડફેટે લેતા બાઈક સવારનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

મળતી માહિતી અનુસારભરૂચ જિલ્લાના અંકલેશ્વરથી ઝઘડિયાને જોડતા મુખ્ય માર્ગની કામગીરી ચાલી રહી છે. આ વચ્ચે ઉછાલી નજીક નાના પુલીયા તેમજ એપ્રોચ રોડની ચાલતી કામગીરીના પગલે માર્ગ અત્યંત બિસ્માર બન્યો છે. એટલું જ નહીંદઢાલ બ્રિજ પર પડેલા મસમોટા ખાડા અકસ્માતનું નિમિત્ત બની રહ્યા છે.

તેવામાં આજરોજ અંકલેશ્વરના ઉછાલી ગામ નજીક ભારત પેટ્રોલિયમ પાસે ઉછાલી ગામના રણુજા ફાર્મમાં રહેતા 36 વર્ષીય શ્રમિક રાજુભાઈ ચખલીયા બાઈક પર ઉછાલી નજીકથી પસાર થઈ રહ્યા હતા. તે દરમ્યાન કાર ચાલકે બેફિકરાઈ ભરી રીતે ખાડે ગયેલા રોડ પર પણ પૂરપાટ આવતા બાઈક સવારને ટક્કર મારી હતી. જેના કારણે બાઈક સવાર રાજુભાઈ ચખલીયા બાઈક સાથે રોડ પર ફંગોળાયા હતાજેથી તેઓને શરીરે ગંભીર ઇજા પહોંચતા ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

બનાવની જાણ થતાં જ પરિવારજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતાજ્યાં પરિવારજનો હૈયાફાટ રુદનથી વાતાવરણમાં ગમગીની છવાય હતી. ઘટના અંગે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ફરાર કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલેખનીય છે કેમાર્ગના નવીનીકરણ વચ્ચે વરસાદના પગલે માર્ગ વધુ બિસ્માર બન્યો છેજેથી વાહન ચાલકો ખાડામાં પટકાઈને અકસ્માતને ભેટી રહ્યા છેત્યારે મંથર ગતિએ ચાલતા રોડના નવીનીકરણ અને પુલની કામગીરીને લઇ લોકોમાં રોષ ફેલાયો છે.