ભરૂચ: 10 વર્ષની નિર્ભયા સાથે પાશવી દુષ્કર્મ આચરી હત્યા કરનાર નરાધમને ફાંસીની સજા, કોર્ટે રેરેસ્ટ ઓફ ધ રેર કેસ ગણ્યો

ભરૂચની ઝઘડિયા જીઆઇડીસીમાં 10 વર્ષની બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ આચાર્ય બાદ તેની ઘાતકી હત્યા કરનાર નરાધમ આરોપીને અંકલેશ્વર સેસન્સ કોર્ટે 72 દિવસમાં જ ફાંસીની સજા ફટકારી છે

New Update
  • ભરૂચમાં બન્યો હતો ચકચારી બનાવ

  • 10 વર્ષની બાળકી સાથે આચરાયું હતું દુષ્કર્મ

  • ગંભીર ઇજાના પગલે બાળકીનું નિપજ્યું હતું મોત

  • કોર્ટે આરોપીને ફાંસીની સજા ફટકારી

  • આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળીયા નાખ્યા હતા 

Advertisment W3.CSS
ભરૂચની ઝઘડિયા જીઆઇડીસીમાં 10 વર્ષની બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ આચાર્ય બાદ તેની ઘાતકી હત્યા કરનાર નરાધમ આરોપીને અંકલેશ્વર સેસન્સ કોર્ટે 72 દિવસમાં જ ફાંસીની સજા ફટકારી છે
ભરૂચની ઝઘડિયા જીઆઈડીસીમાં ૧૦ વર્ષની બાળકીનું અપહરણ ,પાશવી બળાત્કાર અને ઘાતકી હત્યાના કેસમાં બળાત્કારીને ફાંસીની સજા ફટકારાઇ છે. આ ઐતિહાસિક અને દાખલારૂપ ચુકાદો ઘટનાના માત્ર ૭૨ દિવસમાં અંકલેશ્વર સેસનસ કોર્ટે આપ્યો છે. આ ગુનો સામે આવ્યા બાદ ભરૂચ એસપી મયુર ચાવડાએ SIT ની રચના કરી તપાસ સીધી તેમની દેખરેખ હેઠળ રાખી હતી.  SIT માં DYSP ડો. કુશલ ઓઝા , LCB PI મનીષ વાળા , SOG PSI M H વાઢેર , ઝઘડિયા PI નીતિન ચૌધરી સહીત 10 થી વધુ અધિકારીઓની નિમણુંક કરાઈ હતી.
16 ડિસેમ્બરે  વિજય પાસવાને પાડોશીની દીકરી લાકડા વણતી હતી ત્યારે બળાત્કાર કર્યો હતો. આ પિશાચે બાળકીના ગુપ્તાંગમાં સળીયાના ઘા કર્યા હતા. પોલીસે ગણતરીના કલાકોમાં બળાત્કારીની ધરપકડ કરી હતી. અત્યંત ગંભીર રીતે ઈજાગ્રસ્ત બાળકી 8 દિવસ મોત સામે  ઝઝૂમી હતી જેનું વડોદરામાં કરુણ મોત નીપજ્યું હતું. આ કેસ અંકલેશ્વર સેસન્સ કોર્ટમાં  ચાલતા માત્ર ૭૨ દિવસમાં કોર્ટે આરોપી વિજય પાસવાનને ફાંસીની સજા ફટકારી  છે. આરોપીનો જીવ ન જાય ત્યાં સુધી લટકતો રાખવા કોર્ટે આદેશ કર્યો હોવાનું સરકારી વકીલ પરેશ પંડયાએ જણાવ્યું હતું. વિજય પાસવાનની ફાંસી ઉપરાંત 10 લાખ વળતર ચૂકવવા અંકલેશ્વર સેસન્સ કોર્ટ દ્વારા આદેશ કરાયો છે. બળાત્કારની ઘટના બાદ સારવાર માટે ખસેડાયેલી બાળકીના શરીર પર 30 ઘા મળી આવ્યા હતા. સરકારી વકીલ પરેશ પંડ્યાએ કેસને રેરેસ્ટ ઓફ રેરની કક્ષામાં ધ્યાને લેવા કોર્ટને અપીલ કરી હતી. સરકારી વકીલ પરેશ પંડ્યાએ એકપણ રૂપિયો ફી લીધા વગર આખા કેસની લડત આપી હતી.  
Read the Next Article

અંકલેશ્વર : ઈદ-ઉલ-અઝહા નિમિત્તે મુસ્લિમ બિરાદરોએ વિશેષ નમાઝ અદા કરી, એકમેકને ઈદની શુભકામનાઓ પાઠવી...

ઈસ્લામ ધર્મના પ્રમુખ તહેવારો પૈકી એક ઈદ-ઉલ-અજહા એટલે કે, બકરી ઈદનો તહેવાર હોય છે. આ દિવસે બકરાનું બલિદાન આપવામાં આવતું હોવાથી આ પર્વને કુરબાનીના પર્વ તરીકે ઓળખવામાં આવે છે. 

New Update
  • આજે ઈદ-ઉલ-અઝહાની ઠેર ઠેર ઉજવણી કરાય

  • મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદની નમાઝ અદા કરાય

  • ઇદગાહ મેદાન અને મસ્જિદોમાં નમાઝ અદા કરી

  • દેશમાં ઉન્નતિ અને ભાઇચારા માટે નમાઝ અદા કરી

  • એકબીજાને ઈદના પર્વની શુભકામનાઓ પાઠવાય

Advertisment W3.CSS

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેર અને તાલુકામાં મુસ્લિમ બિરાદરોએ ઈદ-ઉલ-અઝહાની ઉજવણી કરી હતી. આ સાથે જ ઇદની વિશેષ નમાઝ અદા કરી એકબીજાને ઇદની મુબારકબાદી પાઠવી હતી.

ઇસ્લામિક કેલેન્ડર મુજબ મુસ્લિમ સમુદાયના મોટાભાગના લોકો જુલ-હિજજાહ મહિનામાં હજ કરે છે. મક્કાની વાર્ષિક હજ યાત્રા ઈદ-ઉલ-અજહાના દિવસે સમાપ્ત થાય છે. બકરી ઇદ અથવા ઈદ-ઉલ-અજહા જુલ-હિજ્જાના 10મા દિવસે ઉજવવામાં આવે છે. ઈસ્લામ ધર્મના પ્રમુખ તહેવારો પૈકી એક ઈદ-ઉલ-અજહા એટલે કેબકરી ઈદનો તહેવાર હોય છે. આ દિવસે બકરાનું બલિદાન આપવામાં આવતું હોવાથી આ પર્વને કુરબાનીના પર્વ તરીકે ઓળખવામાં આવે છે. 

ત્યારે અંકલેશ્વર શહેરના ઈદગાહ ખાતે મુસ્લિમ બિરાદરોએ સૌપ્રથમ ફજરની નમાઝ અદા કરી હતી. ત્યારબાદ ઇદના દિવસે પઢવામાં આવતી વિશેષ ઇદની નમાઝ અદા કરવામાં આવી હતી. આ સાથે જ દેશમાં ઉન્નતિ અને ભાઇચારો બની રહે તે માટે એકમેકને શુભકામનાઓ પાઠવી હતી.