New Update
-
ભરૂચમાં બન્યો હતો ચકચારી બનાવ
-
10 વર્ષની બાળકી સાથે આચરાયું હતું દુષ્કર્મ
-
ગંભીર ઇજાના પગલે બાળકીનું નિપજ્યું હતું મોત
-
કોર્ટે આરોપીને ફાંસીની સજા ફટકારી
-
આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળીયા નાખ્યા હતા
ભરૂચની ઝઘડિયા જીઆઇડીસીમાં 10 વર્ષની બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ આચાર્ય બાદ તેની ઘાતકી હત્યા કરનાર નરાધમ આરોપીને અંકલેશ્વર સેસન્સ કોર્ટે 72 દિવસમાં જ ફાંસીની સજા ફટકારી છે
ભરૂચની ઝઘડિયા જીઆઈડીસીમાં ૧૦ વર્ષની બાળકીનું અપહરણ ,પાશવી બળાત્કાર અને ઘાતકી હત્યાના કેસમાં બળાત્કારીને ફાંસીની સજા ફટકારાઇ છે. આ ઐતિહાસિક અને દાખલારૂપ ચુકાદો ઘટનાના માત્ર ૭૨ દિવસમાં અંકલેશ્વર સેસનસ કોર્ટે આપ્યો છે. આ ગુનો સામે આવ્યા બાદ ભરૂચ એસપી મયુર ચાવડાએ SIT ની રચના કરી તપાસ સીધી તેમની દેખરેખ હેઠળ રાખી હતી. SIT માં DYSP ડો. કુશલ ઓઝા , LCB PI મનીષ વાળા , SOG PSI M H વાઢેર , ઝઘડિયા PI નીતિન ચૌધરી સહીત 10 થી વધુ અધિકારીઓની નિમણુંક કરાઈ હતી.
16 ડિસેમ્બરે વિજય પાસવાને પાડોશીની દીકરી લાકડા વણતી હતી ત્યારે બળાત્કાર કર્યો હતો. આ પિશાચે બાળકીના ગુપ્તાંગમાં સળીયાના ઘા કર્યા હતા. પોલીસે ગણતરીના કલાકોમાં બળાત્કારીની ધરપકડ કરી હતી. અત્યંત ગંભીર રીતે ઈજાગ્રસ્ત બાળકી 8 દિવસ મોત સામે ઝઝૂમી હતી જેનું વડોદરામાં કરુણ મોત નીપજ્યું હતું. આ કેસ અંકલેશ્વર સેસન્સ કોર્ટમાં ચાલતા માત્ર ૭૨ દિવસમાં કોર્ટે આરોપી વિજય પાસવાનને ફાંસીની સજા ફટકારી છે. આરોપીનો જીવ ન જાય ત્યાં સુધી લટકતો રાખવા કોર્ટે આદેશ કર્યો હોવાનું સરકારી વકીલ પરેશ પંડયાએ જણાવ્યું હતું. વિજય પાસવાનની ફાંસી ઉપરાંત 10 લાખ વળતર ચૂકવવા અંકલેશ્વર સેસન્સ કોર્ટ દ્વારા આદેશ કરાયો છે. બળાત્કારની ઘટના બાદ સારવાર માટે ખસેડાયેલી બાળકીના શરીર પર 30 ઘા મળી આવ્યા હતા. સરકારી વકીલ પરેશ પંડ્યાએ કેસને રેરેસ્ટ ઓફ રેરની કક્ષામાં ધ્યાને લેવા કોર્ટને અપીલ કરી હતી. સરકારી વકીલ પરેશ પંડ્યાએ એકપણ રૂપિયો ફી લીધા વગર આખા કેસની લડત આપી હતી.
Latest Stories