ભરૂચ: 10 વર્ષની નિર્ભયા સાથે પાશવી દુષ્કર્મ આચરી હત્યા કરનાર નરાધમને ફાંસીની સજા, કોર્ટે રેરેસ્ટ ઓફ ધ રેર કેસ ગણ્યો

ભરૂચની ઝઘડિયા જીઆઇડીસીમાં 10 વર્ષની બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ આચાર્ય બાદ તેની ઘાતકી હત્યા કરનાર નરાધમ આરોપીને અંકલેશ્વર સેસન્સ કોર્ટે 72 દિવસમાં જ ફાંસીની સજા ફટકારી છે

New Update
  • ભરૂચમાં બન્યો હતો ચકચારી બનાવ

  • 10 વર્ષની બાળકી સાથે આચરાયું હતું દુષ્કર્મ

  • ગંભીર ઇજાના પગલે બાળકીનું નિપજ્યું હતું મોત

  • કોર્ટે આરોપીને ફાંસીની સજા ફટકારી

  • આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળીયા નાખ્યા હતા 

ભરૂચની ઝઘડિયા જીઆઇડીસીમાં 10 વર્ષની બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ આચાર્ય બાદ તેની ઘાતકી હત્યા કરનાર નરાધમ આરોપીને અંકલેશ્વર સેસન્સ કોર્ટે 72 દિવસમાં જ ફાંસીની સજા ફટકારી છે
ભરૂચની ઝઘડિયા જીઆઈડીસીમાં ૧૦ વર્ષની બાળકીનું અપહરણ ,પાશવી બળાત્કાર અને ઘાતકી હત્યાના કેસમાં બળાત્કારીને ફાંસીની સજા ફટકારાઇ છે. આ ઐતિહાસિક અને દાખલારૂપ ચુકાદો ઘટનાના માત્ર ૭૨ દિવસમાં અંકલેશ્વર સેસનસ કોર્ટે આપ્યો છે. આ ગુનો સામે આવ્યા બાદ ભરૂચ એસપી મયુર ચાવડાએ SIT ની રચના કરી તપાસ સીધી તેમની દેખરેખ હેઠળ રાખી હતી.  SIT માં DYSP ડો. કુશલ ઓઝા , LCB PI મનીષ વાળા , SOG PSI M H વાઢેર , ઝઘડિયા PI નીતિન ચૌધરી સહીત 10 થી વધુ અધિકારીઓની નિમણુંક કરાઈ હતી.
16 ડિસેમ્બરે  વિજય પાસવાને પાડોશીની દીકરી લાકડા વણતી હતી ત્યારે બળાત્કાર કર્યો હતો. આ પિશાચે બાળકીના ગુપ્તાંગમાં સળીયાના ઘા કર્યા હતા. પોલીસે ગણતરીના કલાકોમાં બળાત્કારીની ધરપકડ કરી હતી. અત્યંત ગંભીર રીતે ઈજાગ્રસ્ત બાળકી 8 દિવસ મોત સામે  ઝઝૂમી હતી જેનું વડોદરામાં કરુણ મોત નીપજ્યું હતું. આ કેસ અંકલેશ્વર સેસન્સ કોર્ટમાં  ચાલતા માત્ર ૭૨ દિવસમાં કોર્ટે આરોપી વિજય પાસવાનને ફાંસીની સજા ફટકારી  છે. આરોપીનો જીવ ન જાય ત્યાં સુધી લટકતો રાખવા કોર્ટે આદેશ કર્યો હોવાનું સરકારી વકીલ પરેશ પંડયાએ જણાવ્યું હતું. વિજય પાસવાનની ફાંસી ઉપરાંત 10 લાખ વળતર ચૂકવવા અંકલેશ્વર સેસન્સ કોર્ટ દ્વારા આદેશ કરાયો છે. બળાત્કારની ઘટના બાદ સારવાર માટે ખસેડાયેલી બાળકીના શરીર પર 30 ઘા મળી આવ્યા હતા. સરકારી વકીલ પરેશ પંડ્યાએ કેસને રેરેસ્ટ ઓફ રેરની કક્ષામાં ધ્યાને લેવા કોર્ટને અપીલ કરી હતી. સરકારી વકીલ પરેશ પંડ્યાએ એકપણ રૂપિયો ફી લીધા વગર આખા કેસની લડત આપી હતી.  
Read the Next Article

ભરૂચ: મલયાલી વેલફેર એસો.દ્વારા રક્તદાન શિબિર યોજાઈ, રક્તદાતાઓએ લીધો ઉત્સાહભેર ભાગ

ભરૂચના મલયાલી વેલ્ફેર એસોસિએશન અને યુનિટી બ્લડ સેન્ટરના સંયુક્ત ઉપક્રમે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યુ આયોજન

  • મલયાલી વેલફેર એસો.દ્વારા આયોજન

  • રક્તદાન શિબિર યોજાય

  • રજતદાતાઓએ કર્યું ઉત્સાહભેર રક્તદાન

  • યુનિટી બ્લડ બેંકનો સહયોગ સાંપડ્યો

ભરૂચના મલયાલી વેલ્ફેર એસોસિએશન અને યુનિટી બ્લડ સેન્ટરના સંયુક્ત ઉપક્રમે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો
ભરૂચ મલયાલી વેલ્ફેર એસોસિએશન તથા યુનિટી બ્લડ સેન્ટરના સંયુક્ત ઉપક્રમે જી.એન.એફ.સી. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.આ રક્તદાન શિબિરનો ઉદ્દેશ જરૂરિયાતમંદ અને આર્થિક રીતે નબળા દર્દીઓને કટોકટીના સમયે સમયસર રક્ત ઉપલબ્ધ કરાવી શકાય તેવો હતો.શિબિરમાં મોટી સંખ્યામાં નાગરિકોએ ભાગ લઈ રક્તદાન કર્યું હતું.આ શિબિરની સફળતામાં મલયાલી વેલ્ફેર એસોસિએશનના સભ્યો તથા યુનિટી બ્લડ સેન્ટરના તબીબી સ્ટાફે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. કાર્યક્રમ અંતે સંસ્થાઓ તરફથી રક્તદાતાઓને પ્રમાણપત્ર આપી તેમનો વ્યક્ત આવ્યો હતો.