ભરૂચ: સ્ટેશન રોડ સ્થિત નર્મદા બસ પોર્ટને ખાણખનીજ વિભાગે રૂ.2.23 કરોડનો દંડ ફટકાર્યો, પરમીટ કરતા વધુ કર્યું હતું માટીનું ખોદકામ

ભરૂચના સ્ટેશન રોડ પર નિર્માણ પામેલ સીટી સેન્ટરના સંચાલકોને ખાણ અને ખનીજ વિભાગે પરમિટ કરતાં વધુ પ્રમાણમાં માટી ખોદવા બદલ રૂપિયા 2. 23 કરોડનો દંડ ફટકારતા ખળભળાટ મચી જવા પામ્યો છે

New Update
  • ભરૂચના સ્ટેશન રોડ પર આવેલું છે બસપોર્ટ

  • બસપોર્ટના સંચાલકોને દંડ ફટકારાયો

  • રૂ.2.23 કરોડનો દંડ ફટકારવા કરાયો હુકમ

  • ખાણ અને ખનીજ વિભાગની કાર્યવાહી

  • પરમીટ કરતા વધુ પ્રમાણમાં કરાયુ હતું માટી ખોદકામ

ભરૂચના સ્ટેશન રોડ પર નિર્માણ પામેલ સીટી સેન્ટરના સંચાલકોને ખાણ અને ખનીજ વિભાગે પરમિટ કરતાં વધુ પ્રમાણમાં માટી ખોદવા બદલ રૂપિયા 2. 23 કરોડનો દંડ ફટકારતા ખળભળાટ મચી જવા પામ્યો છે
ભરૂચના સ્ટેશન રોડ પર પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપના આધારે ડી.આર.એ નર્મદા બસ પોર્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા અત્યાધુનિક સિટી સેન્ટરનું નિર્માણ કરવામાં આવ્યું છે.આ સિટી સેન્ટરના નિર્માણમાં 20,000 મેટ્રિક ટન સાદી માટીના ખોદકામ માટે ખાણ અને ખનીજ વિભાગ દ્વારા પરમીટ આપવામાં આવી હતી. જો કે આ અંગે આરટીઆઈ એક્ટિવીસ્ટ રાજેશ પંડિતે વધુ ખોદકામ કરાયુ હોવાની ફરિયાદ સાથે વર્ષ 2022માં  ખાણ અને ખનીજ વિભાગને અરજી આપી હતી. જે બાદ ખાણ અને ખનીજ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવતા પરમીટ કરતા વધુ પ્રમાણમાં માટી ખોદકામ કરવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું હતું.
તંત્રની તપાસમાં કુલ 1,10,580 મેટ્રિક ટન સાદી માટેનું ખોદકામ કરવામાં આવ્યું હોવાનું બહાર આવતા ખાણ અને ખનીજ વિભાગ દ્વારા ડી.આર.એ નર્મદા બસ પોર્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીને રૂપિયા 2. 23 કરોડનો દંડ ભરવા માટે હુકમ કરતા  ખળભળાટ મચી જવા પામ્યો છે.
Read the Next Article

અંકલેશ્વર: અસ્થિર મગજના ઇસમે વૃદ્ધ પર ચપ્પુના ઘા ઝીંકી ગામ માથે લીધું, અંતે પાલિકા અને પોલીસની ટીમે પકડ્યો

અંકલેશ્વરમાં અસ્થિર મગજના ઈસમે ગામ માથે લીધું હતું.ચપ્પુ લઇ એક વૃદ્ધ પર 3 થી 4 ઘા ઝીંકી દીધા હતા.લોકો પકડવા દોડ્યા તો ડાંગ અને છરી લઇ લોકો પાછળ દોડ્યો હતો. 

New Update
ank

અંકલેશ્વરમાં અસ્થિર મગજના ઈસમે ગામ માથે લીધું હતું.ચપ્પુ લઇ એક વૃદ્ધ પર 3 થી 4 ઘા ઝીંકી દીધા હતા.લોકો પકડવા દોડ્યા તો ડાંગ અને છરી લઇ લોકો પાછળ દોડ્યો હતો. 

અંકલેશ્વર માં શુક્વારના રોજ એક વિચિત્ર ઘટનાએ  લોકોને દોડતા કરી દીધા હતા. અંકલેશ્વર વ્હોરવાડ ખાતે રહેતા ફારુખ નામનો માનસિક રીતે બીમાર વ્યક્તિ 2 મહિના પહેલા જ વડોદરાથી પરિવારજનો દ્વારા સારવાર કરી પરત આવ્યા હતા જોકે દવા બંધ થઇ જતા ફારુખ પુનઃ માનસિક બીમારીમાં આવી અભદ્ર વર્તન કરવાનું શરુ કરી દીધું હતું. ફળીયામાં નગ્ન ફરવા સાથે લાકડાની ડાંગ , કુહાડી ચપ્પુ લઇ નીકળી પડતો હતો. જેણે આજરોજ ફળિયામાં રહેતા 65 વર્ષીય વૃદ્ધ કાસીમભાઈ પર અચાનક ચપ્પુ વડે હુમલો કરી દીધો હતો અને એક પછી એક 3 થી 4 ધા કરી દીધા હતા જેઓએ બુમાબુમ કરતા લોકો તેને પકડવા માટે દોડ્યા હતા જો કે લાકડાના ડંડા અને ચપ્પુ લઇ પકડવા આવતા લોકો પર પણ હુમલો કરતો હતો.અંતે ફાયર વિભાગ અને પોલીસની ટીમ દ્વારા તેને ઝડપી પાડવામાં આવ્યો હતો. હુમલામાં ઘવાયેલા કાસીમભાઈ હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.