ભરૂચ : નવી વસાહતથી ગીતાપાર્ક સુધીના માર્ગ પર ટ્રાફિકને અડચણરૂપ દબાણોને પાલિકાએ દૂર કર્યા...

ભરૂચ નગરપાલિકા દબાણ શાખાની ટીમ દ્વારા નવી વસાહત વિસ્તારથી ગીતાપાર્ક સોસાયટી સુધીના મુખ્ય માર્ગ પર અડચણરૂપ દબાણ દૂર કરવામાં આવ્યા હતા.

New Update
  • નગરપાલિકાની દબાણ શાખા દ્વારા કડક કાર્યવાહી કરાય

  • દબાણ શાખા દ્વારા ગેરકાયદે દબાણકર્તાઓ સામે લાલ આંખ

  • નવી વસાહતથી ગીતાપાર્ક સુધી માર્ગ પર અડચણરૂપ દબાણ

  • પાલિકા દ્વારા તમામ ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવ્યા

  • પાલિકાની કડક કાર્યવાહીના પગલે અન્ય દબાણકર્તામાં ફફડાટ

ભરૂચ નગરપાલિકા દબાણ શાખાની ટીમ દ્વારા નવી વસાહત વિસ્તારથી ગીતાપાર્ક સોસાયટી સુધીના મુખ્ય માર્ગ પર અડચણરૂપ દબાણ દૂર કરવામાં આવ્યા હતા.

ભરૂચ શહેરમાં વાહનોની સંખ્યામાં વધારો થતા ટ્રાફિકની સમસ્યા દિન પ્રતિદિન વકરી રહી છે. શહેરના મુખ્ય માર્ગો પર કેટલાક લોકો ટ્રાફિકને અડચણરૂપ લારી-ગલ્લાઓ મુકી દેતા હોવાથી વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડે છેત્યારે ભરૂચ નગરપાલિકાની દબાણ શાખા દ્વારા શહેરના મુખ્ય માર્ગ જેવા કેનવી વસાહતથી ગીતાપાર્ક સોસાયટી સુધીના માર્ગ પર કરવામાં આવેલા ગેરકાયદે દબાણો પર પાલિકાએ તવાઈ બોલાવી હતી. જેમાં કેટલાક દબાણરૂપ લારી-ગલ્લાને હટાવાની કામગીરી ધરવામાં આવતા દબાણકર્તાઓમાં દોડધામ મચી જવા પામી હતી. આ સાથે જ પાલિકાની દબાણ શાખા દ્વારા શક્તિનાથ વિસ્તારથી ભૃગુઋષિ બ્રિજ સુધીના દબાણો પણ હટાવાની કામગીરી કરવામાં આવનાર છેત્યારે ભરૂચ નગરપાલિકાની કડક કાર્યવાહીના પગલે અન્ય દબાણકર્તાઓમાં પણ ફફડાટ ફેલાયો છે.

Read the Next Article

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ભવ્ય તિરંગા યાત્રા યોજાય, દેશપ્રેમના રંગ જોવા મળ્યા

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા માતરીયા તળાવથી સ્ટેચ્યુ પાર્ક સુધી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે ભરૂચમાં જિલ્લા

New Update

ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

ભાજપ દ્વારા આયોજન કરાયું

તિરંગા યાત્રાનું આયોજન

આગેવાનો અને કાર્યકરો જોડાયા

દેશભક્તિના રંગ જોવા મળ્યા

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા માતરીયા તળાવથી સ્ટેચ્યુ પાર્ક સુધી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. 

સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે ભરૂચમાં જિલ્લા ભાજપ દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, મહામંત્રી નિરલ પટેલ, શહેર પ્રમુખ જતીન શાહ સહિત પક્ષના અગ્રણીઓ, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા. હાથમાં તિરંગો લહેરાવતા કાર્યકરો દેશભક્તિના સૂત્રોચ્ચાર કરતા આગળ વધતા નજરે પડ્યા હતા.ભાજપ દ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત યોજાયેલી આ યાત્રા દરમિયાન શહેરના મુખ્ય માર્ગો પર દેશપ્રેમનો જુસ્સો છલકાતો જોવા મળ્યો હતો. યાત્રામાં દેશભક્તિ ગીતો, સૂત્રોચ્ચારો અને તિરંગાની લહેરાટ સાથે ઉત્સાહનો માહોલ છવાયો હતો.