ભરૂચ : નવી વસાહતથી ગીતાપાર્ક સુધીના માર્ગ પર ટ્રાફિકને અડચણરૂપ દબાણોને પાલિકાએ દૂર કર્યા...

ભરૂચ નગરપાલિકા દબાણ શાખાની ટીમ દ્વારા નવી વસાહત વિસ્તારથી ગીતાપાર્ક સોસાયટી સુધીના મુખ્ય માર્ગ પર અડચણરૂપ દબાણ દૂર કરવામાં આવ્યા હતા.

New Update
  • નગરપાલિકાની દબાણ શાખા દ્વારા કડક કાર્યવાહી કરાય

  • દબાણ શાખા દ્વારા ગેરકાયદે દબાણકર્તાઓ સામે લાલ આંખ

  • નવી વસાહતથી ગીતાપાર્ક સુધી માર્ગ પર અડચણરૂપ દબાણ

  • પાલિકા દ્વારા તમામ ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવ્યા

  • પાલિકાની કડક કાર્યવાહીના પગલે અન્ય દબાણકર્તામાં ફફડાટ

ભરૂચ નગરપાલિકા દબાણ શાખાની ટીમ દ્વારા નવી વસાહત વિસ્તારથી ગીતાપાર્ક સોસાયટી સુધીના મુખ્ય માર્ગ પર અડચણરૂપ દબાણ દૂર કરવામાં આવ્યા હતા.

ભરૂચ શહેરમાં વાહનોની સંખ્યામાં વધારો થતા ટ્રાફિકની સમસ્યા દિન પ્રતિદિન વકરી રહી છે. શહેરના મુખ્ય માર્ગો પર કેટલાક લોકો ટ્રાફિકને અડચણરૂપ લારી-ગલ્લાઓ મુકી દેતા હોવાથી વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડે છેત્યારે ભરૂચ નગરપાલિકાની દબાણ શાખા દ્વારા શહેરના મુખ્ય માર્ગ જેવા કેનવી વસાહતથી ગીતાપાર્ક સોસાયટી સુધીના માર્ગ પર કરવામાં આવેલા ગેરકાયદે દબાણો પર પાલિકાએ તવાઈ બોલાવી હતી. જેમાં કેટલાક દબાણરૂપ લારી-ગલ્લાને હટાવાની કામગીરી ધરવામાં આવતા દબાણકર્તાઓમાં દોડધામ મચી જવા પામી હતી. આ સાથે જ પાલિકાની દબાણ શાખા દ્વારા શક્તિનાથ વિસ્તારથી ભૃગુઋષિ બ્રિજ સુધીના દબાણો પણ હટાવાની કામગીરી કરવામાં આવનાર છેત્યારે ભરૂચ નગરપાલિકાની કડક કાર્યવાહીના પગલે અન્ય દબાણકર્તાઓમાં પણ ફફડાટ ફેલાયો છે.

Read the Next Article

અંકલેશ્વર : સુરવાડી ગામે દસ દિવસથી વીજ પુરવઠો ખોરવાતા ખેડૂતોમાં રોષ,નિયમિત પાણી ન મળતા ઉભો પાક સુકાઈ જવાની ભીતી

સુરવાડી ગામમાં અનિયમિત વીજ પુરવઠાથી લોકો પરેશાન થઇ ગયા છે.જ્યારે એગ્રીકલ્ચર લાઈનમાં 8 કલાક મળતો વીજ પુરવઠો પણ ખોરવાય જતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો

author-image
By Connect Gujarat Desk
New Update
  • અનિયમિત વીજ પુરવઠાએ ખેડૂતોમાં ચિંતા વધારી

  • વીજળી ખોરવાતા સિંચાઇની સમસ્યા પણ ઘેરી બની

  • ખેતરમાં ઉભા પાકમાં પાણી આપવું બન્યું મુશ્કેલ

  • છેલ્લા દસ દિવસથી નથી મળી રહી વીજળી

  • ખેડૂતોની રજૂઆત બાદ પણ સમસ્યા યથાવત 

અંકલેશ્વર તાલુકાના સુરવાડી ગામ ખાતે છેલ્લા દસ દિવસથી વીજ પુરવઠો ખોરવાયો છે,જેના કારણે એગ્રીકલ્ચર લાઈનમાં 8 કલાક મળતી વીજળી પણ ખેડૂતોને મળી રહી નથી,અને ખેતર માં ઉભો પાક સુકાઈ જવાની ભીતી ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે.

અંકલેશ્વર તાલુકાના સુરવાડી ગામમાં અનિયમિત વીજ પુરવઠાથી લોકો પરેશાન થઇ ગયા છે.જ્યારે એગ્રીકલ્ચર લાઈનમાં 8 કલાક મળતો વીજ પુરવઠો પણ ખોરવા જતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.ખેડૂતો દ્વારા આ અંગે દક્ષિણ ગુજરાત વીજ કંપની લી.ખાતે રજૂઆત  બાદ પણ તેઓની સમસ્યાનું કોઈજ નિરાકરણ આવ્યું નથી.ખેતરમાં ઉભા પાકમાં સિંચાઈ માટે પાણી પણ તેઓ વીજ પુરવઠાના અભાવે આપી શકતા નથી.ત્યારે ઉભો પાક સુકાઈ ન જાય તે માટે ખેડૂતો દ્વારા પ્લાસ્ટિકના ડબ્બાથી પાકમાં પાણી નાખવાની નોબત આવી છે.