ભરૂચ: ઝાડેશ્વર ચોકડીથી તવરા સુધીનો માર્ગ અતિ બિસ્માર હાલતમાં

ભરૂચમાં શુકલતીર્થના ભાતીગળ મેળા પહેલા પણ ઝાડેશ્વર ચોકડીથી તવરા સુધીનો ચાર કી.મી.નો માર્ગ બિસ્માર હોવાથી વાહનચાલકો હાલાકી ભોગવી રહ્યા છે.

New Update
  • ભરૂચમાં માર્ગની બિસ્માર હાલત

  • ઝાડેશ્વર ચોકડીથી તવરા સુધીનો માર્ગ બિસ્માર

  • બિસ્માર માર્ગના કારણે વાહનચાલકોને હાલાકી

  • રૂ.20 કરોડના ખર્ચે માર્ગનું નવીનીકરણ

  • કામગીરી મંદગતિએ ચાલતી હોવાના આક્ષેપ

ભરૂચમાં શુકલતીર્થના ભાતીગળ મેળા પહેલા પણ ઝાડેશ્વર ચોકડીથી તવરા સુધીનો ચાર કી.મી.નો માર્ગ બિસ્માર હોવાથી વાહનચાલકો હાલાકી ભોગવી રહ્યા છે.
ભરૂચની ઝાડેશ્વર ચોકડીથી તવરા સુધી નવુ ભરૂચ શહેર આકાર લઇ રહ્યું છે પણ રસ્તાની હાલત બિસ્માર જોવા મળી રહી છે. અંદાજે રૂ. 20 કરોડથી વધુના ખર્ચે રસ્તાનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે પણ તેને કામગીરી મંદગતિએ ચાલી રહી છે.દર વર્ષે ચોમાસામાં રસ્તાની હાલત બદત્તર બની જતી હોવાથી સ્થાનિકોએ રસ્તા રોકો આંદોલન પણ કર્યું હતું.આખરે ભરૂચ અંકલેશ્વર શહેરી વિકાસ સત્તા મંડળ બૌડા દ્વારા નવા રસ્તા માટે 20 કરોડના ભંડોળની ફાળવણી કરી છે પણ રસ્તો શરૂઆતથી જ વિવાદમાં રહ્યો છે. રસ્તાની આસપાસ આવેલા ઘટાદાર વૃક્ષોને કાપી નાખવામાં આવતા વિરોધ થયો હતો.ઝાડેશ્વર ચોકડીથી તવરા સુધીના રોડ ઉપર  ખાડાઓથી વાહન ચાલકોની કમર તૂટી રહી છે. તથા ધૂળની ડમરીઓથી લોકોના સ્વાસ્થ્ય બગડી રહ્યા છે ત્યારે માર્ગના  સમારકામની કામગીરી વહેલી તકે પૂર્ણ કરવાની માંગ આવી છે.
Read the Next Article

અંકલેશ્વર: ONGCમાં નોકરીના બહાને રૂ.1.84 કરોડની છેતરપીંડીમાં ફરિયાદી જ આરોપી નિકળ્યો, પોલીસે કરી ધરપકડ

આરોપીએ વ્યક્તી દીઠ બે થી અઢી લાખ રૂપિયા લઇ ONGC કંપનીમાં હજીરા, મહેસાણા તથા ખંભાત ખાતે નોકરીએ લગાડવાની લાલચ આપી અનેક લોકોને ફસાવ્યા હતા...

New Update
ONGC Fraud
અંકલેશ્વર ONGC માં અલગ અલગ સ્થળે 90 લોકોને નોકરીની લાલચ આપી 1.84 કરોડની ઠગાઈમાં વોન્ટેડ આરોપી ઝડપાતા ફરિયાદી પણ આરોપી હોવાનો થયો ધડાકો અંકલેશ્વરની ONGC કંપનીમાં સિક્યોરિટીમાં રાજ્યમાં અલગ અલગ સ્થળે નોકરીની લાલચે 90થી વધુ લોકો સાથે આચરાયેલા રૂપિયા 1.84 કરોડના કૌભાંડમાં ફરિયાદી પણ આરોપી નીકળ્યો છે. 
અંકલેશ્વરની અમૃતકુંજ સોસાયટીમાં રહેતા ફરિયાદી એવા આરોપી ઘનશ્યામસીધ રાજપુતની અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે ધરપકડ કરી લીધી છે. વર્ષ 2022 થી 2024 માં વિરાટ નગર રહેતા ઓગસ્ત હરદેવ પાંડે એ પોતે નેશનલ ઇન્વેસ્ટીગેશન સિક્યુરીટી સર્વીિસ NISS કંપનીના મેનેજર તરીકેની ખોટી ઓળખ આપી હતી. વ્યક્તી દીઠ બે થી અઢી લાખ રૂપિયા લઇ ONGC કંપનીમાં હજીરા, મહેસાણા તથા ખંભાત ખાતે નોકરીએ લગાડવાની લાલચમાં લોકોને ફસાવ્યા હતા.
NISS કંપનીના બોગસ જોઇનીંગ લેટર અને આઇ કાર્ડ બનાવી તેનો સાચા તરીકે ઉપયોગ કરી વિશ્વાસમાં લઇ હાલના આરોપી એવા ફરિયાદીના પરિવારના 10 લોકો સહિત કુલ 50 જેટલા લોકો પાસેથી રૂપિયા 1.04 કરોડ પડાવ્યા હતા.સાથે જ ઠાકોરભાઇ આહીર અને તેની સાથેના 40 અન્ય લોકો પાસેથી દરેકના બે લાખ લેખે આશરે ₹80 લઇ નોકરીએ નહિ લગાવી નાસી છૂટ્યો હતો. જે આરોપી અગસ્ત પાંડે પકડાતા તેને પોલીસ સમક્ષ આ કૌભાંડમાં ફરિયાદી એવો ઘનશ્યામ સિંઘ પણ સામેલ હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. એ ડિવિઝન પોલીસે ફરિયાદીની આરોપી તરીકે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.