ભરૂચ:જંબુસર બાયપાસથી નર્મદા ચોકડી તરફ માર્ગની ફાટક આજથી 3 દિવસ બંધ, વાહનચાલકોને થશે ફેરાવો

ભરૂચમાં રેલવે વિભાગ દ્વારા ભરૂચની જંબુસર બાયપાસ ચોકડી પાસે આવેલ રેલવે ફાટક સમારકામ અર્થે આજથી ત્રણ દિવસ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે,

New Update
  • ભરૂચમાં રેલવે વિભાગનો નિર્ણય

  • 2 રેલવે ફાટક તબક્કાવાર બંધ રાખવાનો નિર્ણય

  • બાયપાસથી નર્મદા ચોકડીને જોડતી ફાટક બંધ

  • નર્મદા ચોકડીથી બાયપાસ જતી ફાટક પણ બંધ

  • વાહનચાલકોનેથશે ફેરાવો

ભરૂચના જંબુસર બાયપાસથી નર્મદા ચોકડી માર્ગ તરફની  ફાટક આજથી ત્રણ દિવસ માટે જ્યારે નર્મદા ચોકડીથી બાયપાસ તરફની ફાટક 25મી માર્ચથી તારીખ 27 સુધી સમારકામ અર્થે તબક્કાવાર બંધ કરવાનો નિર્ણય રેલવે તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે.
ભરૂચમાં રેલવે વિભાગ દ્વારા ભરૂચની જંબુસર બાયપાસ ચોકડી પાસે આવેલ રેલવે ફાટક સમારકામ અર્થે આજથી ત્રણ દિવસ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે,જ્યારે નર્મદા ચોકડીથી બાયપાસ તરફના માર્ગ પરની ફાટક પણ સમારકામ અર્થે ત્રણ દિવસ તારીખ  25મી માર્ચથી 27 સુધી બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.ફાટક બંધ રહેતા જંબુસર થી આવતા વાહનોએ મનુબર ચોકડીથી ફરીને બ્રિજ ઉપરથી પસાર થવું પડશે,તો શેરપુરાથી બાયપાસ અને મહંમદપુરા જતા વાહનોએ મનુબર ચોકડી સુધીનો ફેરો કરવો પડશે.ફાટક બંધ કરવામાં આવતા નર્મદા ચોકડીથી દહેજ જતા વાહનોને કોઈ મુશ્કેલી પડશે નહીં.
ઉલ્લેખનીય છે કે જંબુસર ચોકડી પરની અને કડીરૂપ ગણાતી રેલવે ફાટકનું સમારકામ રેલવે તંત્ર દ્વારા તબક્કાવાર કરવામાં આવશે.ત્યારે અપ એન્ડ ડાઉનમાં જ્યારે સમારકામ થશે,ત્યારે અંશતઃ વાહન ચાલકોએ થોડી મુશ્કેલી વેઠવાનો વારો આવી શકે છે.
Read the Next Article

ભરૂચ: પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ પૂર્વ CM વિજય રૂપાણીને શ્રધ્ધાસુમન અર્પણ કરાયા, શોકસભાનું કરાયુ આયોજન

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી માટે શોકસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા 

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

  • ભાજપ દ્વારા શોકસભાનું આયોજન

  • સ્વ.વિજય રૂપાણીને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા

  • ભાજપના આગેવાનો રહ્યા ઉપસ્થિત

  • સ્વ.વિજય રૂપાણીના કાર્યોને યાદ કરાયા

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી માટે શોકસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા 
તાજેતરમાં વિમાન દુર્ઘટનામાં અવસાન પામેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી માટે ભરૂચ શહેરમાં શોકસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
શોકસભામાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા, જિલ્લાના ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા, જંબુસરના ધારાસભ્ય ડી.કે. સ્વામી,પૂર્વ ધારાસભ્ય અને સંઘ પ્રદેશ ભાજપના પ્રભારી દુષ્યંત પટેલ, પૂર્વ પ્રમુખ મારુતિસિંહ અટોદરીયા સહિતના આગેવાનોએ ઉપસ્થિત રહી પુર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.શોકસભામાં પક્ષના કાર્યકરો તથા વિભિન્ન સમાજના પ્રતિનિધિઓએ પણ હાજરી આપી દુઃખની લાગણી વ્યક્ત કરી હતી. કાર્યક્રમના અંતે સૌએ પ્રાર્થના કરી સ્વ.વિજય રૂપાણીના આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી હતી.