New Update
-
ભરૂચમાં રેલવે વિભાગનો નિર્ણય
-
2 રેલવે ફાટક તબક્કાવાર બંધ રાખવાનો નિર્ણય
-
બાયપાસથી નર્મદા ચોકડીને જોડતી ફાટક બંધ
-
નર્મદા ચોકડીથી બાયપાસ જતી ફાટક પણ બંધ
-
વાહનચાલકોનેથશે ફેરાવો
ભરૂચના જંબુસર બાયપાસથી નર્મદા ચોકડી માર્ગ તરફની ફાટક આજથી ત્રણ દિવસ માટે જ્યારે નર્મદા ચોકડીથી બાયપાસ તરફની ફાટક 25મી માર્ચથી તારીખ 27 સુધી સમારકામ અર્થે તબક્કાવાર બંધ કરવાનો નિર્ણય રેલવે તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે.
ભરૂચમાં રેલવે વિભાગ દ્વારા ભરૂચની જંબુસર બાયપાસ ચોકડી પાસે આવેલ રેલવે ફાટક સમારકામ અર્થે આજથી ત્રણ દિવસ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે,જ્યારે નર્મદા ચોકડીથી બાયપાસ તરફના માર્ગ પરની ફાટક પણ સમારકામ અર્થે ત્રણ દિવસ તારીખ 25મી માર્ચથી 27 સુધી બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.ફાટક બંધ રહેતા જંબુસર થી આવતા વાહનોએ મનુબર ચોકડીથી ફરીને બ્રિજ ઉપરથી પસાર થવું પડશે,તો શેરપુરાથી બાયપાસ અને મહંમદપુરા જતા વાહનોએ મનુબર ચોકડી સુધીનો ફેરો કરવો પડશે.ફાટક બંધ કરવામાં આવતા નર્મદા ચોકડીથી દહેજ જતા વાહનોને કોઈ મુશ્કેલી પડશે નહીં.
ઉલ્લેખનીય છે કે જંબુસર ચોકડી પરની અને કડીરૂપ ગણાતી રેલવે ફાટકનું સમારકામ રેલવે તંત્ર દ્વારા તબક્કાવાર કરવામાં આવશે.ત્યારે અપ એન્ડ ડાઉનમાં જ્યારે સમારકામ થશે,ત્યારે અંશતઃ વાહન ચાલકોએ થોડી મુશ્કેલી વેઠવાનો વારો આવી શકે છે.