આ “ટ્રાફિકજામ”થી ક્યારે મળશે છુટકારો..! : અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે પર અનેક વાહનચાલકો અટવાયા...
નેશનલ હાઇવે નં. 48 પર ભારે ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થતાં અનેક વાહનચાલકોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે.
BY Connect Gujarat Desk7 Jan 2024 8:32 AM GMT
X
Connect Gujarat Desk7 Jan 2024 8:32 AM GMT
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નં. 48 પર ભારે ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થતાં અનેક વાહનચાલકોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે.
ભરૂચ જીલ્લામાં વાહનોથી સતત ધમધમતા નેશનલ હાઇવે પર અંકલેશ્વર નજીક ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા છે. જેમાં વડોદરાથી સુરત તરફ જતાં ટ્રેક પર ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. વહેલી સવારથી જ ટ્રાફિકજામ થતાં રવિવારની રજામાં મજા માણવા જતાં અનેક પરિવારો અટવાયા હતા. અંકલેશ્વર નજીક વારંવાર થતાં ટ્રાફિક જામના કારણે અનેક વાહનચાલકોને હાલાકી વેઠવાનો વારો આવે છે, ત્યારે પોલીસ વિભાગ દ્વારા દરેક પોઈન્ટ ઉપર ટ્રાફિક જવાનો અને પોલીસકર્મીઓ ગોઠવી યોગ્ય પગલાં ભરવામાં આવે, જેથી ટ્રાફિકજામની સમસ્યાનું મહદઅંશે નિરાકરણ આવી શકે તેવું વાહનચાલકોનું માનવું છે.
Next Story