ભરૂચ: ST વિભાગને હોળી ધુળેટીનું પર્વ ફળ્યું, આટલા રૂપિયાની થઈ વધારાની આવક !

હોળી ધુળેટીના પર્વ પર ભરૂચ એસટી વિભાગની આવકમાં વધારો નોંધાયો છે.તહેવારોના દિવસોમાં એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસ દોડાવવામાં આવી હતી

New Update
  • હોળી ધુળેટી પર્વ પર એસ.ટી.વિભાગે કર્યું આયોજન

  • એક્સ્ટ્રા બસ દોડાવવામાં આવી હતી

  • 92 એક્સ્ટ્રા બસ દોડાવવામાં આવી

  • રૂ.13.5 લાખની વધારાની આવક થઈ

  • 6800 મુસાફરોએ લીધો લાભ

Advertisment
હોળી ધુળેટીના પર્વ પર ભરૂચ એસટી વિભાગની આવકમાં વધારો નોંધાયો છે.તહેવારોના દિવસોમાં એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસ દોડાવવામાં આવી હતી જેનો મોટી સંખ્યામાં મુસાફરોએ લાભ લીધો હતો

હોળી ધુળેટીના તહેવારને ધ્યાને લઈ દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ભરૂચ ડેપો દ્વારા એક્સ્ટ્રા બસનું સંચાલન હાથ ધરવામાં આવ્યુ હતું જેમાં દાહોદ પંચમહાલ ગોધરા તરફના શ્રમયોગીઓને પોતાના વતન તરફ જવા માટે એક્સ્ટ્રા બસોની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હતી. ગત વર્ષે 78 બસ થકી એક્સ્ટ્રા બસનું સંચાલન કરવામાં આવ્યું હતું જગારે ચાલુ વર્ષે 92 બસ થકી એક્સ્ટ્રા સંચાલન કરવામાં આવ્યું હતું.એક્સ્ટ્રા બસના સંચાલન થકી આ વર્ષે 13.5 લાખ આવક થઈ છે જે ગત વર્ષની સરખામણીએ 2 લાખ વધુ છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે મુસાફરોમાં પણ વધારો નોંધાયો છે ગત વર્ષે 6,000 જેટલા મુસાફરો નોંધાયા હતા જ્યારે આ વર્ષે 800 મુસાફરોમાં વધારો થયો છે.આમ હોળી ધુળેટીના પર્વ પર એસ.ટી.વિભાગની આવકમાં વધારો થયો છે

Advertisment
Read the Next Article

અંકલેશ્વર: સામોર ગામે સરકારી જમીન પરના 5 વૃક્ષ કાપવા બદલ સરપંચને 5 હજારનો દંડ ફટકારાયો

અંકલેશ્વર તાલુકાના સામોર ગામની સીમમાં સરકારી જમીન પર પાંચ જેટલા વૃક્ષોનું નિકંદન બદલ ગામના સરપંચ કિરણ વસાવાને 5 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે

New Update
Samor Village
અંકલેશ્વર તાલુકાના સામોર ગામમાં રહેતા રાજેશ નટવરભાઈ મોદી દ્વારા ગામના સરપંચ કિરણ એલ વસાવાએ પંચવટી બાગમાંથી પરવાનગી વિના પાંચ જેટલા વૃક્ષોનું નિકંદન કર્યું હોવાની મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ કચેરીએ રજુઆત કરી હતી.
Advertisment
જે બાદ સ્થળ તપાસ કરતા આ વૃક્ષો સરકારી જમીનમાંથી કાપવામાં આવ્યા હોવાનું સામે આવતા મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ દ્વારા ગામના સરપંચ કિરણ વસાવાને એક વૃક્ષ દીઠ 1 હજાર મળી કુલ 5 વૃક્ષના નિકંદન બદલ 5 હજારનો દંડ ફટકાર્યો છે.
Advertisment