ભરૂચ: જંબુસર પંથકના વાતાવરણમાં ફરી પલટો, કમોસમી વરસાદ વરસ્યો !

ભરૂચના જંબુસર પંથકમાં વાતાવરણમાં ફરી એકવાર પલટો આવ્યો હતો. ગતરોજ મોડી રાત્રીના સમયે જંબુસરના વિવિધ વિસ્તારો અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો.

New Update
  • ભરૂચના જંબુસર પંથકમાં વરસાદ

  • વાતાવરણમાં આવ્યો પલટો

  • કમોસમી વરસાદ વરસ્યો

  • વાતાવરણમાં ઠંડક

  • aખેતીના પાકને નુકશાન 

ભરૂચના જંબુસર પંથકના વાતાવરણમાં ફરી એકવાર પલટો આવ્યો હતો. મોડી રાત્રિના સમયથી વરસાદ વરસ્યો હતો

ભરૂચના જંબુસર પંથકમાં વાતાવરણમાં ફરી એકવાર પલટો આવ્યો હતો. ગતરોજ મોડી રાત્રીના સમયે જંબુસરના વિવિધ વિસ્તારો અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. સતત બીજા દિવસે જંબુસરના લીમજ, કાવા, પાંચકડા અને કોરા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો હતો. વરસાદ વરસતા જ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને લોકોને ઉકળાટ તેમજ બફારાથી રાહત મળી હતી. બીજી તરફ સતત વરસી રહેલા  વરસાદના કારણે ધરતીપુત્રોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે.અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ષે હવામાન વિભાગ દ્વારા ચોમાસુ વહેલું આવવાની પણ આગાહી કરવામાં આવી રહી છે ત્યારે છેલ્લા 15 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે જેણે ખેતીના પાકને વ્યાપક નુકસાન પહોંચાડ્યું છે.

Read the Next Article

ભરૂચ: નર્મદા પરિક્રમાવાસીઓ માટે CM ભુપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય, હાંસોટના વમલેશ્વરમાં 100091 ચો.મી.જમીન ફાળવાય

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

New Update
bhupendra

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે પ્રવાસન ખાતા (ઉદ્યોગ અને ખાણ) વિભાગને વહીવટી હુકમ- 3 હેઠળ જમીન તબદીલ કરી આપવામાં આવી છે.ગુજરાત રાજ્યમાં નર્મદા પરિક્રમા આગવી ઓળખ સાથે ધાર્મિક મહત્વ ધરાવે છે. વમલેશ્વર યાત્રાધામ સહિત નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા અને પરિક્રમાપથના યાત્રાધામોના વિકાસથી ગુજરાત અને મઘ્યપ્રદેશ રાજ્યના હજારો પરિક્રમાવાસીઓ અને શ્રદ્ધાળુને પડતી વિવિધ મુશ્કેલીઓ હવે ભૂતકાળ બનશે.રાજ્ય સરકારના આ સંવેદનશીલ નિર્ણયથી ખરા અર્થમાં ભરૂચ જિલ્લામાં પ્રવાસન વિભાગને પ્રોત્સાહન મળશે તેમજ સ્થાનિકોને પણ તેનો લાભ થનાર છે. નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે મહત્વનો નિર્ણય લઇ જમીન ફાળવવાની મુખ્યમંત્રીએ મંજૂરી આપી છે. પ્રવાસન ખાતા દ્વારા વમલેશ્વર ખાતે સર્વે નંબર 553 ની 10091 ચોરસ મીટર જમીન ફાળવવા અંગે સરકારમાં માંગણી કરવામાં આવી હતી. જેને અનુલક્ષી મુખ્યમંત્રીએ આ નિર્ણય કર્યો છે.
ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકામાં આવેલું વમલેશ્વર ધાર્મિક સ્થળોમાં ખૂબ વિખ્યાત યાત્રાધામ છે. આ યાત્રાધામ સાથે નર્મદા પરિક્રમા ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વહીવટી મંજૂર હુકમ 3 હેઠળ તબદીલ કરતા મુખ્યમંત્રીનો આ નિર્ણય મહત્વપૂર્ણ બની રહેશે.