-
ભરૂચના જંબુસર પંથકમાં વરસાદ
-
વાતાવરણમાં આવ્યો પલટો
-
કમોસમી વરસાદ વરસ્યો
-
વાતાવરણમાં ઠંડક
-
aખેતીના પાકને નુકશાન
ભરૂચના જંબુસર પંથકમાં વાતાવરણમાં ફરી એકવાર પલટો આવ્યો હતો. ગતરોજ મોડી રાત્રીના સમયે જંબુસરના વિવિધ વિસ્તારો અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. સતત બીજા દિવસે જંબુસરના લીમજ, કાવા, પાંચકડા અને કોરા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો હતો. વરસાદ વરસતા જ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને લોકોને ઉકળાટ તેમજ બફારાથી રાહત મળી હતી. બીજી તરફ સતત વરસી રહેલા વરસાદના કારણે ધરતીપુત્રોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે.અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ષે હવામાન વિભાગ દ્વારા ચોમાસુ વહેલું આવવાની પણ આગાહી કરવામાં આવી રહી છે ત્યારે છેલ્લા 15 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે જેણે ખેતીના પાકને વ્યાપક નુકસાન પહોંચાડ્યું છે.